Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંદ્રુમાણામાં ગૌરી માતાજી મંદિરનો 21મો પાટોત્સવ ઉજવાયો:મુકુંદપ્રકાશજી મહારાજે ગૌ સેવાને કલ્યાણકારી ગણાવી

    9 hours ago

    પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે શ્રી ગૌરી માતાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 21મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. પાટોત્સવ નિમિત્તે માતાજીનો યજ્ઞ, ધ્વજારોહણ અને નવીન પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શ્રી અણહિલવાડ ગૌભક્તિ મહોત્સવના પ્રેરણાદાતા સંત મુકુંદપ્રકાશજી મહારાજે ઉપસ્થિત રહી ગૌ માતાની સેવા કરવા બોધ આપ્યો હતો. ટ્રસ્ટના પ્રમુખ ચેતનભાઈ વ્યાસના અધ્યક્ષ સ્થાને યોજાયેલી જનરલ સભામાં પૂ. મુકુંદપ્રકાશજી મહારાજે જણાવ્યું કે, ગૌ માતા પૃથ્વી પર મા દુર્ગાનો અવતાર છે અને પુરાણો, ગ્રંથો તથા શાસ્ત્રોમાં તેનું વર્ણન છે. તેમણે ગૌ માતાની સેવાને કલ્યાણકારી ગણાવી હતી. પૂજ્ય સ્વામીજીએ ચેતનભાઈને પરમ ગૌભક્ત ગણાવ્યા અને તેમના સહયોગથી પાટણમાં ભૂતો ન ભવિષ્યતિ ગૌભક્તિ મહોત્સવ સંપન્ન થયો હોવાનું જણાવ્યું. પાટોત્સવના મુખ્ય યજમાન તરીકે ચિંતનભાઈ નિરંજનભાઈ વ્યાસ યજ્ઞમાં બિરાજ્યા હતા. પંડિત મહેશભાઈ દવે, ભરતભાઈ, જીગ્નેશભાઈ તેમજ અન્ય વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞ વિધિ સંપન્ન કરવામાં આવી હતી. અમદાવાદના મહિલા શ્રદ્ધાળુ દ્વારા લાવવામાં આવેલી માતાજીની ધજાનું ભવ્ય સામૈયું કરીને ફૂલ પાંદડી વરસાવી મંદિરમાં સ્વાગત કરાયું હતું. પૂજારી મુકેશભાઈ દવે દ્વારા પૂજન કરાયા બાદ મંદિરના શિખર ઉપર ધજા ફરકાવવામાં આવી. મુખ્ય પ્રવેશદ્વારના દાતા ડો. ભાસ્કરભાઈ ઉત્તમરાય વ્યાસની અનુપસ્થિતિમાં ઉપપ્રમુખ લાલજીભાઈ ડી. પટેલ તેમજ પ્રમુખ સહિત ટ્રસ્ટી મંડળના હસ્તે રિબીન ખોલીને મંત્રોચ્ચાર સાથે પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે મંદિરને સુંદર રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. વ્યાસ મીનાબેન હિરેનકુમાર પરિવાર મછાવાવાળા (હાલ મહેસાણા) દ્વારા ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ દાતાઓનું સાલ ઓઢાડી, શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. જેમાં માતાજીમાં બે તોલા સોનું અર્પણ કરનાર પૂર્વ પ્રમુખ સ્વ. મંગળભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ પટેલ, મંદિરના રંગ ભવનમાં 125 કિલોનું કલાત્મક ઝુમ્મર ભેટ અર્પણ કરનાર હરેશભાઈ કુબેરભાઈ પટેલ (ઇંગ્લેન્ડ)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રાત-દિવસ મહેનત કરનાર રામજીભાઈ પટેલ, શૈલેષ પટેલ, કલ્પેશ પટેલ, દિલીપભાઈ વ્યાસ, વિનોદ પટેલ, બાબુભાઈ પટેલ, લાલજીભાઈ પટેલ, મંત્રી સુરેશભાઈ વ્યાસ, પૂર્વ પ્રમુખ પ્રમોદભાઈ વ્યાસ, તાલુકા મહિલા પીઆઈ વી.એ. દેસાઈ, અનાવાડા ગૌશાળાના દિનેશભાઈ જોષી અને મહેસાણા પરશુરામ ધામના પિયુષભાઈ વ્યાસનું પણ સન્માન કરવામાં આવ્યું. આગામી પાટોત્સવના યજમાન માટે ઉછામણી કરાઈ હતી, જેમાં મુખ્ય યજમાન તરીકે જીગ્નેશકુમાર દિનેશભાઈ વ્યાસ, ધ્વજારોહણના યજમાન તરીકે નટુભાઈ વ્યાસ (વડાવલી-ડીસા), આસો નવરાત્રી આઠમના યજ્ઞના દાતા તરીકે એક માઈ ભક્ત અને ભોજન દાતા તરીકે અન્ય દાતાઓના નામ જાહેર કરાયા હતા.
    Click here to Read More
    Previous Article
    ફલધરા જલારામધામ રોડનું કામ 4 મહિનાથી અટક્યું:સામાજિક કાર્યકરે રોણવેલ DGVCL કચેરી સામે ભૂખ હડતાળ પર બેસવાની ચીમકી ઉચ્ચારી
    Next Article
    बिजनौर में फैक्ट्री से गर्म राख लाकर बाग में डाली, वहां खेलने आ गए बच्चे फिर उसके बाद क्या हुआ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment