Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના વિરાવળ સ્મશાનગૃહને ગુજરાત ગેસની નોટિસ:2030 સુધીમાં મફત ગેસ સપ્લાય તબક્કાવાર બંધ કરાશે

    12 hours ago

    નવસારીના વિરાવળ ખાતે આવેલા સ્મશાનગૃહને ગુજરાત ગેસ કંપની દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે આગામી સમયમાં સ્મશાનગૃહને મળતો વિનામૂલ્યે ગેસ સપ્લાય તબક્કાવાર બંધ કરી દેવામાં આવશે. આ નિર્ણયને પગલે કોંગ્રેસ અને સ્મશાન ટ્રસ્ટે ભારે રોષ વ્યક્ત કર્યો છે. ગુજરાત ગેસ લિમિટેડ (GGL) દ્વારા પાઠવવામાં આવેલી નોટિસ મુજબ, અત્યાર સુધી સ્મશાનભૂમિના ગેસ બિલની ચુકવણી 'સેતુ' (SETU - Socio Economical Transformation Upliftment Society) સંસ્થા દ્વારા CSR હેઠળ કરવામાં આવતી હતી. હવે નવો 'ફેઝ્ડ ટ્રાન્ઝિશન પ્લાન' અમલમાં મુકાયો છે. આ યોજના હેઠળ, નાણાકીય વર્ષ 2025-26માં SETU 100% ચુકવણી કરશે. ત્યારબાદ, વર્ષ 2026 થી 2029 દરમિયાન ટ્રસ્ટનો ફાળો દર વર્ષે 25% લેખે વધતો જશે. આખરે, વર્ષ 2029-30 થી ગેસ વપરાશનો સંપૂર્ણ 100% ખર્ચ ટ્રસ્ટે પોતે ભોગવવો પડશે. વિરાવળ સ્મશાન ભૂમિ અગ્નિ સંસ્કાર સહાયક ટ્રસ્ટના ટ્રસ્ટી શૈલેષ માલીએ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈને પત્ર લખી આ મામલે મધ્યસ્થી કરવા વિનંતી કરી છે. પત્રમાં જણાવાયું છે કે, કંપની તરફથી મળેલી નોટિસ માનવતાની અંતિમ સેવાને અડચણરૂપ બની રહી છે. માલીએ વધુમાં જણાવ્યું કે, મધ્યમ અને ગરીબ પરિવારો માટે વિનામૂલ્યે અગ્નિસંસ્કારની સેવા આશીર્વાદરૂપ છે, જે સરકારના સહયોગથી ચાલુ રહેવી જોઈએ. નવસારી શહેર કોંગ્રેસના પ્રમુખ દિપક બારોટે જણાવ્યું કે, જો આ સબસિડી બંધ થશે, તો આગામી સમયમાં એક મૃતદેહના અંતિમ સંસ્કારનો ખર્ચ અંદાજે ₹5000 સુધી પહોંચી શકે છે, જે સામાન્ય માણસની કમર તોડી નાખશે. સ્મશાન ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, જો ગેસ મોંઘો થશે તો તેની સીધી અસર પર્યાવરણ પર પડશે. ગેસ મોંઘો થતા લોકો ફરીથી પરંપરાગત લાકડા તરફ વળશે, જેનાથી વૃક્ષોનું નિકંદન નીકળશે. નવસારી અને આસપાસના 30 ગામોના લોકો આ સ્મશાનગૃહનો ઉપયોગ કરે છે. રોજના 15 થી 18 અંતિમ સંસ્કાર ગેસ પર થાય છે, જે હવે ખર્ચાળ બનશે અને ગરીબ પરિવારોને મોટો ફટકો પડશે. જૂનો અનુભવ: 2015-16માં જ્યારે ગેસ સશુલ્ક હતો ત્યારે એક બોડી દીઠ ₹1500 થી ₹1800 ખર્ચ થતો હતો, જે વર્તમાન ભાવ મુજબ અનેકગણો વધી શકે છે. સ્મશાન ટ્રસ્ટ અને સ્થાનિક અગ્રણીઓએ સરકાર અને ગુજરાત ગેસ કંપનીને આ સંવેદનશીલ મુદ્દે પુનઃવિચારણા કરવા અપીલ કરી છે. આ મામલે નવસારી શહેરના કોંગ્રેસ પ્રમુખ દિપક બારોટે જણાવ્યું કે, હમણાં જાણવા મળતી માહિતી મુજબ આ સરકાર હાલમાં ગેસની સમસ્યાથી તો લોકો પીડાય છે, રાંધણ ગેસ અને ઘરેલું ગેસ તેમજ કોમર્શિયલ ગેસમાં તો લોકો આંદોલન પર ઉતર્યા છે. પણ હમણાં મને જાણવા મળ્યું છે તે મુજબ આવનારા સમયમાં જે આ સ્મશાનગૃહોને ગેસ સપ્લાય થાય છે અને CSR માં જે સરકાર તરફથી સબસીડી મળતી હતી, તે સબસીડી આવનારા સમયમાં કેન્સલ થાય એવું લાગે છે. જેને લઈને મોંઘવારીમાં લોકોનું આ સરકારે જીવવાનું તો દુષ્કર બનાવ્યું છે, પણ મરણ પણ મોંઘું થવાનું છે અને મૃતકના પરિવારજનોને એક મૃતદેહ બાળવા માટેના લગભગ પાંચેક હજારનો ખર્ચો આગામી સમયમાં આવશે એવું મને લાગી રહ્યું છે ત્યારે સરકારની આ પ્રકારની નીતિનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. નવસારી શહેરને અડીને આવેલી વિરાવળ સ્મશાન ભૂમિના ટ્રસ્ટી શૈલેષ માલી જણાવે છે કે, નવસારી સ્મશાનભૂમિ અગ્નિ સંસ્કાર સહાયક ટ્રસ્ટ. વર્ષોથી વિનામૂલ્યે અગ્નિ સંસ્કારની સેવા આપતી એક સંસ્થા નવસારીમાં એક આખું સેવાનું પ્રદાન કરી રહી છે. હાલમાં જ ગુજરાત ગેસ કંપની દ્વારા અમને એક નોટિસ પાઠવવામાં આવી કે આપને જે આપવામાં આવતો વિનામૂલ્યે ગેસ સમયાંતરે 2030 સુધીમાં અમે એને સદંતર બંધ કરી દઈશું અને તમારે એને માટેની જે પણ મૂલ્ય થશે જે પણ વેલ્યુ થશે એ પૂરેપૂરી તમારે ભરપાઈ કરવી પડશે. શૈલેષ માલીએ વધુમાં જણાવ્યું કે, સરકાર અને કંપનીને આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે માનવ જીવનનો આ અંતિમ સંસ્કારની ડબદબાભરી શ્રદ્ધાંજલિ આપવી હોય, સામાન્ય માણસ એને પોતે આટલી મોંઘવારીના જમનામાં એને જીરવી શકતો હોય તો આવો એક ભારણ આવવાથી એક સામાન્ય પરિવાર એક ગરીબ પરિવાર કચડાઈ જતો અમને દેખાઈ રહ્યો છે. તો આપના માધ્યમથી હું જરૂરથી એવું કહેવા માંગીશ કે સરકાર અને કંપની આ બાબતે વિચાર વિમર્શ કરીને જે અમને આપતી સગવડો જે વિનામૂલ્યે ગેસ જે કંપનીઓ અમને આપી રહી છે એ ગેસ અમને મળતો રહે આવનારા વર્ષોમાં અને સામાન્ય પરિવારને પણ એને માટેની જે એના પર આવી પડેલું દુઃખ છે એ સહન કરવાની શક્તિમાં આપને સૌ સરકાર, પરિવાર, સંસ્થા આપણે સૌ સાથે મળીને સહભાગી બનીએ તો એ એક મોટી શ્રદ્ધાંજલિ અર્પિત કરેલી દેખાશે. કદાચ માની લો કે કદાચ કંપની અને સરકાર આ બાબતે ગંભીરતા ન દાખવે તો જ્યારે પરિવાર પર આવી એક પૈસા ચૂકવીને અગ્નિ સંસ્કાર કરવાનો સમય આવશે તો એ ઘણો વિચારવા જેવો પ્રશ્ન છે કારણ કે જે તે સમયે પણ અમે જ્યારે 2015-16 માં જ્યારે ગેસ બિલ ભરતા હતા ત્યારે જે તે સમયના ભાવ પ્રમાણે હું ગણું તો એક બોડી પાછળ 1500થી 1800 રૂપિયાનો ગેસ એક બોડી પાછળ વપરાતો હતો અને આજના સમયમાં આજની કંપનીનો શું ભાવ છે એનાથી હું અજાણ છું પણ છતાં પણ જો એવો જો કોઈક બોજો આવી પડે તો એ પરિવાર ઉપર જે આવી પડેલું દુઃખ છે એ સહન કરવા માટે આપણે સહભાગી તો ન બનીએ પણ એ બિચારો એ જે ખર્ચ છે એ ખર્ચને કમ્પલસરી ભરવા માટે એ સક્ષમ ન બની શકે. અને સંસ્થા અમારી સંસ્થા એવી છે કે અમારી સંસ્થાનું બંધારણ એવું કહે છે કે અમારે વિનામૂલ્યે આ સેવા આપવાની છે પણ આ તો કંપની અને સરકાર જો આ બાબતે અમારા પર દબાણ લાવે તો અમારે બી અમારે ચોક્કસપણે આ બાબતે વિચારવું રહ્યું કે બંધારણમાં પણ ફેરફાર કરવાનો અમારી એક ફરજ બની જશે. શૈલેષ માલીએ વધુમાં કહ્યું કે, સામાન્ય માણસ જે આજે ગરીબ પરિવારો જે અહીં અગ્નિ સંસ્કારનો લાભ લે છે અમારા નવસારી શહેરની આજુબાજુના હું માનીશ તો 25થી 30 એવા ગામડાઓ છે કે જે આ સંસ્થાનો ઉપયોગ કરે છે અને અહીંની જે સગવડોનો લાભ લે છે અને એવરેજ હું તમને જણાવીશ તો નવસારી શહેરમાં 15થી 18 બોડી આ સંસ્થા એવરેજ અગ્નિ સંસ્કારનું એક સુપેરે આયોજન જે અમે મૂક્યું છે એનો લાભ લોકો લે છે અને અમારા સૌની ટ્રસ્ટીગણોની અમારી સંસ્થાની બી એવી લાગણી છે કે આ બાબતે સરકાર ગંભીરતાથી નોંધ લે અને આવનારા દિવસો જ્યારે પર્યાવરણ માટે બી જોખમી છે પર્યાવરણની આપણે ચિંતા કરીએ છીએ તો આપણે ફરીથી જ્યારે એક સમાજ આ પર્યાવરણના સંતુલન માટે ગેસ ફર્નેશ તરફ વળ્યો છે તો એ લાકડા તરફ ફરીથી ન વળે અને પર્યાવરણની આપણે અસુરક્ષાનો ભય પેદા ન કરીએ એ માટે પણ આપણે સૌએ ચિંતા કરવાની જરૂર છે.
    Click here to Read More
    Previous Article
    ગેસના ભાવવધારા અને અછત મુદ્દે 'આપ'નો વિરોધ પ્રદર્શન:ઘોઘાગેટ પાસે વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોની અટકાયત
    Next Article
    લોક અદાલતથી 3 હજારથી વધુ ચેક રિટર્નના કેસોનો નિકાલ:વડોદરામાં નેશનલ લોક અદાલતમાં કરોડોના વળતર સાથે હજારો કેસોનો નિકાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment