Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સહકારી મંડળીઓમાં પારદર્શિતા વધારવા સરકારનો મોટો નિર્ણય:કસ્ટોડિયન અને તપાસ અધિકારીઓ માટે નવી ગાઇડલાઇન જાહેર, 2030 સુધી અમલમાં રહેશે નિયમો

    6 hours ago

    રાજ્યની સહકારી મંડળીઓમાં વહીવટી પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે સહકાર વિભાગ દ્વારા એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. સહકાર રજિસ્ટ્રાર દ્વારા કસ્ટોડિયન તથા તપાસ અધિકારીઓની નિમણૂક પ્રક્રિયાને વધુ ચુસ્ત બનાવવા માટે નવી માર્ગદર્શિકા સાથેનો 'માસ્ટર પરિપત્ર' બહાર પાડવામાં આવ્યો છે. આ નવી ગાઇડલાઇન આગામી 31 ડિસેમ્બર, 2030 સુધી અમલમાં રહેશે. લાયકાત અને સ્વચ્છ છબી ધરાવતા લોકોની જ થશે પસંદગી નવી માર્ગદર્શિકા મુજબ, હવે સહકારી મંડળીઓમાં વહીવટદાર (કસ્ટોડિયન) અને તપાસ અધિકારી તરીકે માત્ર એવા જ વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવશે જેઓ નિર્ધારિત લાયકાત અને સમાજમાં સ્વચ્છ છબી ધરાવતા હોય. આ પ્રક્રિયામાં નિવૃત્ત સરકારી અધિકારીઓ તેમજ સહકારી ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવતા વકીલોને પણ તક આપવાની જોગવાઈ કરવામાં આવી છે, જેથી કાયદાકીય અને વહીવટી પ્રક્રિયા વધુ સુદ્રઢ બની શકે. ગેરરીતિ આચરનારા અને દાગી અધિકારીઓ માટે દરવાજા બંધ સરકારે આ નિમણૂકોમાં નૈતિકતાના ધોરણોને વધુ કડક બનાવ્યા છે. જે અધિકારીઓએ અગાઉ પોતાની નોકરી દરમિયાન ખાતાકીય તપાસ, શિસ્તભંગના પગલાં અથવા અન્ય કોઈ કાયદાકીય કાર્યવાહીનો સામનો કર્યો હોય, તેમને આ જવાબદારી માટે સર્વથા અયોગ્ય ગણવામાં આવશે. વધુમાં, સહકાર વિભાગે એવી ચીમકી પણ આપી છે કે જો કોઈ સ્ટાફ જાણીબુઝીને ગેરલાયક ઉમેદવારોની ભલામણ કરશે, તો તેમની સામે પણ કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. સભાસદોના હિતની સુરક્ષા અને સુશાસન પર ભાર છેલ્લા કેટલાક સમયથી રાજ્યની વિવિધ સહકારી મંડળીઓમાં વહીવટી ગેરરીતિ, આંતરિક વિવાદો અને ભ્રષ્ટાચારના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. આ સમસ્યાઓના કાયમી ઉકેલ માટે સરકાર દ્વારા પસંદગી પ્રક્રિયામાં અનુભવ, કાર્યક્ષમતા અને પ્રામાણિકતાને સર્વોપરી ગણવામાં આવી છે. વિભાગનો દાવો છે કે આ માસ્ટર પરિપત્રના અમલીકરણથી સહકારી મંડળીઓમાં સુશાસન મજબૂત બનશે અને મંડળીના નાનામાં નાના સભાસદના હિતોનું રક્ષણ થશે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢના સ્પામાં યુવતીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી:અઠવાડિયા પહેલા જ નોકરી પર લાગી હતી, આપઘાતનું કારણ જાણવા તપાસનો ધમધમાટ
    Next Article
    માધુપુરામાં અવિનાશ મસાલાના ગોડાઉન પર AMCનો દરોડો:2500 કિલો હળદર અને 1400 કિલો ટુકડા કાજુનો જથ્થો જપ્ત, હળદરમાં લોટની ભેળસેળ અને 84% સ્ટાર્ચ પ્રમાણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment