Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં 'રિમઝિમ મલ્હાર-2026' કાર્યક્રમ યોજાયો:ધ્વનિ સંગીત પરિવારે યુનિવર્સિટી હોલમાં વર્ષાગીતો રજૂ કર્યા

    10 hours ago

    પાટણમાં ધ્વનિ સંગીત પરિવાર દ્વારા 'રિમઝિમ મલ્હાર-2026' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં યોજાયેલા આ વર્ષાગીતોના કાર્યક્રમમાં સંગીતપ્રેમીઓનો અભૂતપૂર્વ માનવમહેરામણ ઉમટી પડ્યો હતો. હોલ સંપૂર્ણપણે ભરાઈ ગયો હતો, જેમાં બેસવા માટે પણ જગ્યા નહોતી. સંગીત-રસિકોએ શાંતિપૂર્વક શાસ્ત્રીય, હિન્દી ફિલ્મી અને નોન-ફિલ્મી વર્ષાગીતોનો અંત સુધી આનંદ માણ્યો હતો. આ ગીતો વર્ષાઋતુના પ્રથમ વરસાદથી ભીની થયેલી માટીની સુગંધથી પરોવાયેલા અનુભવાયા હતા. ન્યુ ભારત રેડીયો સેન્ટર, પાટણના સૌજન્યથી યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ અશોકભાઈ વ્યાસે કાર્યક્રમના અધ્યક્ષ કુલપતિ ડૉ. કે.સી. પોરિયા , પ્રિયા વિજયભાઈ રાયચંદાણી, ડૉ. જીતેન્દ્રભાઈ પટેલ, ડૉ. દેવલ દોશી, ડૉ. પ્રિયાંશી પટેલ, કાનજીભાઈ પટેલ, હાજર ટ્રસ્ટીઓ તેમજ સૌ દાતાશ્રીઓ અને શ્રોતાજનોને ઉષ્માભેર આવકાર્યા હતા. કુલપતિ ડૉ. કે. સી. પોરિયાના પ્રાસંગિક ઉદ્બોધન બાદ વર્ષાગીતોની અવિરત ધારા વરસી હતી. સંસ્થાના સ્થાપક મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. સમ્યક પારેખના નિપુણ માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા વિદ્યાર્થી કલાકારો ખ્યાતિ નાયક ભાવસાર, ક્રિશ્ના બારોટ, કુ. શિખા નાયક, ડૉ. ભાવિન ગઢવી, શીતલ રાજપૂત, ધારાબેન પટેલ, કુ. વિદિશા મોદી, ઇશાન રાઠોડ, ઋષિ પટેલ, સચિન રાજગોર, કુ. માન્યા, કુ. દ્રષ્ટિ અને કુ. પ્રાચી જેવા ગાયક-ગાયિકાઓએ અવિસ્મરણીય પ્રસ્તુતિઓ આપી હતી. ગાયક કલાકારોએ 'ગરજ ગરજ વરસો', 'આજ ફિર જીને કી તમન્ના હૈ', 'મેઘા રે મેઘા રે', 'સાવન કા મહિના', 'કહાં સે આયે બદરા', 'રિમઝિમ રિમઝિમ', 'ઝિલમિલ સિતારો કા...' જેવા શાસ્ત્રીય, હિન્દી ફિલ્મી અને નોન-ફિલ્મી ગીતો રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. વાદ્યવૃંદમાં કીબોર્ડ પર મયુર યોગી, તબલા પર જીગર બારોટ અને રિષભ નાયક, ઢોલક-કોન્ગો પર શ્રી સુનીલ પરમાર, પેડ પર આકાશ વાઘેલા અને બેઝ ગિટાર પર કલ્પેશ પ્રજાપતિએ સાથ આપ્યો હતો. આ કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન તરીકે આત્મારામભાઈ નાયી અને અશ્વિનભાઈ નાયકે વિશેષ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમનું સુંદર સંચાલન આત્મારામભાઈ નાયી અને નેહલબેન દવે દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં સંસ્થાના મંત્રી અતુલભાઈ નાયકે સૌ દાતાઓ, શ્રોતાઓ અને કાર્યક્રમમાં ફાળો આપનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરના સુવા ગામમાં પાણી ઘૂસ્યા:ભારે વરસાદથી 8 મકાન ગરકાવ, 100 લોકો ફસાયા
    Next Article
    મોરબીમાં અવની ચોકડી પાસે દબાણ હટાવો ઝુંબેશ:11 લારીધારકોને ₹2,200નો દંડ, લારી જપ્ત કરવાની ચેતવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment