Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુત્રાપાડા નગરપાલિકાએ ઘનકચરા વ્યવસ્થાપન નિયમો-2026 પર તાલીમ યોજી:પ્રમુખ, સભ્યો, અધિકારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

    9 hours ago

    સુત્રાપાડા નગરપાલિકા દ્વારા સોમવારે નગરપાલિકા હોલ ખાતે ઘન કચરા વ્યવસ્થાપન નિયમો-2026 (SWM Rules-2026) ના અસરકારક અમલીકરણ માટે એક દિવસીય વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ, ભાવનગર ઝોનના માર્ગદર્શન હેઠળ અને ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા અમલમાં મુકાયેલા નિયમો તથા સુપ્રીમ કોર્ટના આદેશોના પાલન રૂપે આયોજિત કરાયો હતો. આ તાલીમ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ, વિવિધ સમિતિઓના ચેરમેન, ચૂંટાયેલા સભ્યો, ચીફ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટરો, સુપરવાઈઝરો, સફાઈ કર્મચારીઓ, સ્થાનિક નાગરિકો અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિતોને SWM Rules-2026 અંગે વિસ્તૃત માહિતી અપાઈ હતી. કચરાના વૈજ્ઞાનિક નિકાલ, ભીના અને સૂકા કચરાના યોગ્ય વર્ગીકરણ, શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની કાનૂની જવાબદારીઓ, સામાન્ય નાગરિકો (વેસ્ટ જનરેટર્સ) તેમજ મોટા કચરો ઉત્પાદકો (બલ્ક વેસ્ટ જનરેટર્સ)ની ફરજો અંગે સવિસ્તાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત, શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવામાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ભૂમિકા, સેનેટરી સ્ટાફ અને સુપરવાઈઝરોની જવાબદારીઓ, દૈનિક કામગીરી દરમિયાન સલામતીના ધોરણો અને ઘન કચરા વ્યવસ્થાપનના અસરકારક અમલીકરણ અંગે પણ વિસ્તૃત ચર્ચા થઈ હતી. કાર્યક્રમનું રાજ્ય સ્તરે ડિજિટલ મોનિટરિંગ થઈ શકે તે માટે, તાલીમ દરમિયાન લેવાયેલા જીઓ-ટેગ ફોટોગ્રાફ્સ, વિડિયો અને ઉપસ્થિત મહાનુભાવોની વિગતો સાથેનો અહેવાલ 'સ્વચ્છતા સમીક્ષા કેન્દ્ર (SSK)' પોર્ટલ પર ઓનલાઈન અપલોડ કરાયો હતો. અંતમાં, સુત્રાપાડા નગરપાલિકાએ શહેરના તમામ નાગરિકોને પોતાના ઘર અને વ્યવસાયના સ્થળેથી ભીનો અને સૂકો કચરો અલગ-અલગ આપવા અપીલ કરી હતી. નગરપાલિકાએ જણાવ્યું કે નાગરિકોના સહયોગથી જ સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ સુત્રાપાડાનું નિર્માણ શક્ય બનશે. ઘન કચરા વ્યવસ્થાપન નિયમો-2026નું અસરકારક પાલન કરીને સ્વચ્છતા અભિયાનને વધુ વેગ આપવા સંયુક્ત પ્રયાસો કરવા પણ અપીલ કરાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    સુરત જિલ્લામાં બે સ્થળેથી અજાણ્યા મૃતદેહ મળ્યા:પાલોદ અને કામરેજ પોલીસે તપાસ શરૂ કરી
    Next Article
    વિચરતી-વિમુક્ત જાતિના 12 પરિવારોને પ્લોટની સનદ અર્પણ:કલેક્ટર મિહિર પટેલના હસ્તે નટ-મદારી સમાજનું ઘરનું સ્વપ્ન સાકાર, વર્ષો જૂના પ્રશ્નનો સુખદ અંત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment