Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિચરતી-વિમુક્ત જાતિના 12 પરિવારોને પ્લોટની સનદ અર્પણ:કલેક્ટર મિહિર પટેલના હસ્તે નટ-મદારી સમાજનું ઘરનું સ્વપ્ન સાકાર, વર્ષો જૂના પ્રશ્નનો સુખદ અંત

    8 hours ago

    બનાસકાંઠા જિલ્લામાં વિચરતી અને વિમુક્ત જાતિના 12 પરિવારોને કાયમી રહેઠાણ માટે પ્લોટની સનદો અર્પણ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે આ સનદો અપાઈ હતી, જેનાથી વર્ષોથી કાયમી સરનામા અને ઓળખના અભાવે સરકારી યોજનાઓના લાભથી વંચિત રહેલા પરિવારોને નવી આશા મળી છે. પ્લોટની સનદ મળતા લાભાર્થી પરિવારોમાં આનંદ અને સંતોષની લાગણી પ્રસરી હતી. તેમણે જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, હવે તેમના પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થશે. ગામ વાસણના એક લાભાર્થીએ કહ્યું કે, "આજે અમને પ્લોટની સનદ મળી છે, જેની અમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા." જન કલ્યાણ NT-DNTના પ્રમુખ સુરેશ રાઠોડે માહિતી આપી હતી કે, બનાસકાંઠા જિલ્લાના નટ અને મદારી સમાજના પરિવારોના પ્લોટ ફાળવણીના પ્રશ્નો વર્ષ 2021થી વિવિધ વહીવટી પ્રક્રિયાઓને કારણે પેન્ડિંગ હતા. અગાઉ ફાળવેલી જમીનમાં વરસાદી પાણીના વહેણની સમસ્યા હોવાથી ત્યાં વસવાટ શક્ય ન હતો. આથી નવી અને યોગ્ય જગ્યાની પસંદગી તથા કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં સમય લાગ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, કલેક્ટર મિહિર પટેલે આ પ્રશ્નને સંવેદનશીલતા અને હકારાત્મક અભિગમ સાથે લીધો હતો. તેમના સતત માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી, મામલતદાર, સર્કલ ઓફિસર, તાલુકા પંચાયત અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ સંકલિત પ્રયાસો કરી તમામ પ્રક્રિયાઓ સમયસર પૂર્ણ કરી. આના પરિણામે વર્ષોથી અટવાયેલ પ્રશ્નનો સુખદ અંત આવ્યો છે. આ પ્લોટની ફાળવણી વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારોને સમાજની મુખ્ય ધારામાં જોડવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. કાયમી સરનામું મળવાથી હવે આ પરિવારોને આવાસ, શિક્ષણ, આરોગ્ય, રેશનકાર્ડ, આધાર, મતદાર યાદી સહિતની વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી શકશે. આનાથી તેમના બાળકોના શિક્ષણ અને પરિવારના સામાજિક-આર્થિક વિકાસ માટે પણ નવી તકો ઊભી થશે. ગુજરાત સરકારના સર્વસમાવેશક વિકાસના અભિગમ હેઠળ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોથી છેવાડાના, વંચિત સમાજ સુધી વિકાસનો લાભ પહોંચાડવામાં સફળતા મળી છે. આ ઐતિહાસિક પહેલથી ખાસ કરીને નટ અને મદારી સમાજમાં ખુશી, ગૌરવ અને વિશ્વાસની લાગણી પ્રસરી છે. આ પ્રસંગે લાભાર્થી પરિવારો, જન કલ્યાણ NT-DNTના હોદ્દેદારો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સુત્રાપાડા નગરપાલિકાએ ઘનકચરા વ્યવસ્થાપન નિયમો-2026 પર તાલીમ યોજી:પ્રમુખ, સભ્યો, અધિકારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
    Next Article
    How Poor Singapore Became Super Rich | Lee Kuan Yew

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment