Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વ વેટરનરી દિવસ 2026:ફૂડ સેફ્ટી અને જાહેર આરોગ્ય અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

    12 hours ago

    વિશ્વ વેટરનરી દિવસ–2026 ની ઉજવણીના ભાગરૂપે પી.એમ. શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. 'Veterinarians: Guardians of Food and Health' થીમ હેઠળ ફૂડ સેફ્ટી, પ્રતિસંચારીત રોગો અને જાહેર આરોગ્ય જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન 22 એપ્રિલ, 2026 ના રોજ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિધાલય, કામધેનુ યુનિવર્સિટી, સરદારકૃષિનગરના વેટરનરી પબ્લિક હેલ્થ વિભાગ અને લાઈવસ્ટોક પ્રોડક્ટ્સ ટેક્નોલોજી વિભાગના સંયુક્ત ઉપક્રમે કરાયું હતું. કાર્યક્રમને આચાર્ય ડૉ. એચ.સી. ચૌહાણનું માર્ગદર્શન મળ્યું હતું. તેમણે વિશ્વ વેટરનરી દિવસની થીમ અનુસાર સમાજમાં જાગૃતિ ફેલાવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો અને પશુચિકિત્સકોની મહત્વપૂર્ણ ભૂમિકા સમજાવી હતી. ડૉ. એસ.એચ. સિન્ધી, પ્રાધ્યાપક અને વડા (વી.પી.એચ.),એ કાર્યક્રમના આયોજન અને સંકલનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓ અને સ્ટાફને જાહેર આરોગ્ય, ફૂડ સેફ્ટી અને પ્રતિસંચારીત રોગો અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. કાર્યક્રમ દરમિયાન નિષ્ણાત વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. એન.એમ. પટેલે 'પ્રતિસંચારીત રોગો અને જાહેર આરોગ્ય' વિષય પર માર્ગદર્શન આપતા પશુઓમાંથી માનવોમાં ફેલાતા રોગો અને તેના નિવારણ અંગે માહિતી આપી હતી. ડૉ. એ.એસ. પટેલે 'ફાર્મથી થાળી સુધી ખાદ્ય સુરક્ષા' વિષય પર વ્યાખ્યાન આપીને ખોરાકના ઉત્પાદનથી લઈને વપરાશ સુધીની સ્વચ્છતા અને સલામતીના નિયમો સમજાવ્યા હતા. ડૉ. કે.જે. પટેલે 'પર્યાવરણ સ્વચ્છતા અને સફાઈ' વિષય પર માર્ગદર્શન આપતા સ્વચ્છ પર્યાવરણ અને વ્યક્તિગત સ્વચ્છતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લઈ નિષ્ણાતોને પ્રશ્નો પૂછી ઉપયોગી માહિતી મેળવી હતી. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા, સુરક્ષિત આહાર અને આરોગ્યપ્રદ જીવનશૈલી અંગે જાગૃતિ ફેલાઈ હતી. અંતે, આયોજકોએ પી.એમ. જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય, સ્ટાફ અને સંચાલન મંડળ તેમજ કામધેનુ યુનિવર્સિટીના આચાર્ય અને સમગ્ર ટીમનો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    હત્યા કેસમાં આરોપી વિકી બજરીયાને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ:મૃતક આસીફ જુણેજા ઝઘડો કરતા આરોપીને સમજાવવા માટે ગયો હતો અને તેની હત્યા થઈ હતી
    Next Article
    અમદાવાદ-મહેસાણા હાઈવે પર અજાણ્યા વાહને બેને કચડ્યા:અન્ય વાહનોના ટાયર ફરી વળતા માર્ગ પર માંસના લોચા વિખેરાયા, છેલ્લા ત્રણ દિવસમાં અકસ્માતમાં 4 જિંદગી હોમાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment