Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડિજિટલ યુગમાં પુસ્તકોનું મહત્વ અકબંધ:યુવા પેઢીએ સાહિત્યિક વારસો સમજવો જરૂરી, ચરોતર સાહિત્ય ઉત્સવ-2026' સંપન્ન

    1 week ago

    આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી અને સરદાર પટેલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલો 'ચરોતર સાહિત્ય ઉત્સવ-2026' સંપન્ન થયો છે. શિક્ષણ અને સાહિત્યની પવિત્ર ભૂમિ પર આયોજિત આ મહોત્સવમાં સાહિત્યકારો, શિક્ષણવિદો અને અગ્રણીઓની હાજરીમાં સાહિત્યિક ચેતનાનો પર્વ ઉજવાયો હતો. ઉત્સવના પ્રારંભે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાએ પ્રેરણાદાયી ઉદબોધનમાં જણાવ્યું હતું કે, સાહિત્ય એ માત્ર શબ્દોની રમત નથી, પરંતુ જીવન જીવવાની કળા છે. તેમણે ડિજિટલ યુગમાં પણ પુસ્તકોનું મહત્વ અકબંધ હોવાનું જણાવી, યુવા પેઢીને વાંચન તરફ પાછા વળવા અને પોતાના વારસાને સમજવા પર ભાર મૂક્યો હતો. જહાએ વધુમાં ઉમેર્યું કે ચરોતરી બોલીમાં રહેલું માધુર્ય અને મક્કમતા ગુજરાતી ભાષાનું ગૌરવ છે. જો યુવા પેઢી આ વારસાને સમજશે, તો જ સંસ્કૃતિ જીવંત રહેશે. સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલે શિક્ષણ અને સાહિત્યના આંતરસંબંધો પર પ્રકાશ પાડતા કહ્યું કે, સાહિત્ય વગરનું શિક્ષણ અધૂરું છે. તેમણે રાવજી પટેલ, જોસેફ મેકવાન અને ધીરુબેન પટેલ જેવા સમર્થ સર્જકોના પ્રદાનને યાદ કરી ચરોતરના સાહિત્યિક વારસાને વિશ્વ ફલક પર લઈ જવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે સાંસદ મિતેશ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્લામેન્ટમાં ગુજરાતી સહિત 11 ભાષાઓમાં ભાષણની છૂટ આપી પ્રાદેશિક ભાષાઓનું ગૌરવ વધાર્યું છે. વલ્લભસ્વામીદાસજીએ મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવાનોને જોઈને આનંદ વ્યક્ત કર્યો હતો, જ્યારે અકાદમીના મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવે ચરોતરની ધરતીને 'પ્રતાપી ભૂમિ' ગણાવી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. બે દિવસીય મહોત્સવ દરમિયાન 'ચરોતરનો સર્જક પ્રવાહ' અને 'યુવા કવિ સંમેલન' જેવા સત્રોમાં પ્રીતમ, રાવજી પટેલ અને ઈશ્વર પેટલીકરના સાહિત્ય પર ગહન ચર્ચા થઈ હતી. બીજા દિવસે પ્રભાતફેરી અને 'નડિયાદની સાક્ષર ત્રિપુટી' પર વિશેષ સત્ર યોજાયું હતું. મહોત્સવના અંતિમ તબક્કે ધ્રુવ ભટ્ટની નવલકથા પર આધારિત નાટક 'અકૂપાર'ના મંચન સાથે આ સાહિત્યિક પર્વનું રંગારંગ સમાપન થયું હતું.
    Click here to Read More
    Previous Article
    ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પૂર્ણ:વિદ્યાર્થીઓને જીવ વિજ્ઞાનનું પેપર સરળ લાગ્યું
    Next Article
    Iran Israel USA War LIVE | ઇઝરાયેલમાં થયેલ તબાહીના દ્રશ્યો! લોકોમાં ભયનો માહોલ | Missile | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment