Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર અને રાજ્યભરમાં સોમવારે શ્રમિકોના ધરણાં:ભારતીય મજદુર સંઘ દ્વારા ગુજરાતભરમાં ધરણાં અને આવેદનપત્રનો હુંકાર, 30 હજાર લઘુત્તમ વેતન અને 8મા પગાર પંચની માંગ સાથે કલેક્ટર કચેરીઓ ગુંજશે

    21 hours ago

    આંગણવાડી, આશા વર્કર્સ અને બાંધકામ સહીત 1000 જેટલાં શ્રમિકોના પ્રશ્નોને લઈને સોમવારે વિરોધ પ્રદર્શનમાં જોડાશે ભારતીય મજદૂર સંઘના આહ્વાનથી આગામી 17 ને સોમવારના રોજ શ્રમિકોના વિવિધ પડતર પ્રશ્નોને લઈને દેશવ્યાપી વિરોધ પ્રદર્શન યોજાનાર છે આ અંતર્ગત ગુજરાતભરની કલેક્ટર કચેરીઓ ખાતે બપોરે 3 થી 5 વાગ્યા દરમિયાન ધરણાં યોજીને આવેદનપત્ર પાઠવવામાં આવશે, ભાવનગર ખાતે પણ વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા અંદાજે 1 હજાર જેટલા શ્રમિકો આ વિરોધ પ્રદર્શનમાં જોડાશે. આઝાદી બાદ શ્રમિકોનો અવાજ બનવાના ઉદ્દેશ્ય સાથે 23 જુલાઈ 1955ના રોજ દત્તોપંત ઠેંગડીજી દ્વારા સ્થાપિત ભારતીય મજદુર સંઘ (BMS) આજે 71 વર્ષની ગૌરવશાળી યાત્રા પૂર્ણ કરી વિશ્વનું સૌથી મોટું શ્રમિક સંગઠન બની ગયું છે. રાષ્ટ્રવાદી વિચારધારા અને પારિવારિક ભાવના સાથે કામ કરતું આ સંગઠન આજે આશરે 8 હજાર જેટલા ટ્રેડ યુનિયનો સાથે સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોનો મજબૂત અવાજ છે. તાજેતરમાં રાંચી (ઝારખંડ) ખાતે મળેલી ભારતીય મજદુર સંઘની કેન્દ્રીય કાર્યસમિતિની બેઠકમાં શ્રમિકોના વિવિધ પડતર પ્રશ્નોને લઈને આગામી 17 ઓગસ્ટ 2026ના રોજ ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની કલેક્ટર કચેરી ખાતે ધરણાં યોજવા અને આવેદનપત્ર પાઠવવાનો મહત્વપૂર્ણ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે શ્રમિકોની મુખ્ય 12 માંગણીઓમાં માસિક લઘુત્તમ વેતન વધારીને રૂ. 30 હજાર કરવામાં આવે, કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) ની પગાર મર્યાદા રૂ. 21 હજાર થી વધારીને રૂ. 42,000 કરવામાં આવે, ઓછામાં ઓછું EPS પેન્શન માસિક રૂ. 7500 + મોંઘવારી ભથ્થું (DA) તથા ચિકિત્સા યોજના આપવામાં આવે, પ્રોવિડન્ટ ફંડ (EPF) ની પગાર મર્યાદા રૂ. 15,000 થી વધારીને રૂ.30,000 કરવામાં આવે., બોનસ ગણતરી માટેની મર્યાદા રૂ. 7000 થી વધારીને રૂ. 18,000 કરવામાં આવે, બોનસપાત્ર પગાર મર્યાદા રૂ. 21,000 થી વધારીને રૂ.42,000 કરવામાં આવે., આંગણવાડી, મધ્યાહન ભોજન યોજના અને આશા વર્કરોના માનદ વેતનમાં વિશેષ વધારો થવો જોઈએ., શ્રમિકોને 'સમાન કામ માટે સમાન વેતન' ની નીતિનો કડક અમલ થવો જોઈએ., શ્રમ સંહિતામાં રહેલી શ્રમ વિરોધી જોગવાઈઓ તાત્કાલિક દૂર કરવામાં આવે., ગ્રેચ્યુઈટીની કરમુક્ત મર્યાદા વધારીને રૂ. 40 લાખ સુધી કરવામાં આવે. કર્મચારીઓ માટે આઠમા પગાર પંચની સત્વરે અમલવારી કરવામાં આવે., તથા જૂની પેન્શન સ્કીમ નો લાભ ફરીથી શરૂ કરવામાં આવે સહીત ની 12 જેટલી માંગણીઓને લઈ આગામી તા.17/8 ને સોમવારના રોજ બપોરે 3 થી 5 વાગ્યા સુધી ઘરણા કાર્યક્મ યોજાશે...
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં સંગઠન પર્વ 2026ની ઉજવણી:સી.કે. સમાજવાડી ખાતે ગ્રાન્ટેડ શાળાઓ બચાવવા અને સ્વજન સહાય યોજના પર ભાર
    Next Article
    સિગપુર PHC માં 80મા સ્વતંત્રતા દિનની ઉજવણી:રસિલાબેને ધ્વજવંદન કર્યું, ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment