Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ મનપા ઘોર નિંદ્રામાં ?:​જૂનાગઢ મનપાની સત્તાવાર વેબસાઈટ પર નરસિંહ મહેતાએ સરોવરના કરોડોના પ્રોજેક્ટની વાસ્તવિકતા છુપાવવા વર્ષ 2015ના જૂના ડેટા મુકાયાનો વિપક્ષનો ગંભીર આક્ષેપ

    19 hours ago

    ​જૂનાગઢ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને બેદરકારીનો એક મોટો ભાંડાફોડ સામે આવ્યો છે, જેને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જનતાના ટેક્સના પૈસાનું અંધેર શાસન ચલાવતી જૂનાગઢ મહાનગરપાલિકા ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. ડિજિટલ ઇન્ડિયાના આ યુગમાં કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ કૌભાંડો છુપાવવાનું હથિયાર બની ગઈ હોય તેવા ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. ખાસ કરીને જૂનાગઢના ઐતિહાસિક નરસિંહ મહેતા તળાવના વિકાસ કાર્યો અને તેના ખર્ચની વિગતોને લઈને મોટો વિવાદ ઊભો થયો છે, કારણ કે ગ્રાઉન્ડ રિયાલિટી અને વેબસાઈટ પર અપલોડ કરાયેલા ડેટા વચ્ચે આકાશ-પાતાળનો તફાવત જોવા મળી રહ્યો છે. ​મહાનગરપાલિકાના વિવિધ પ્રોજેક્ટ અને કોર્પોરેશનને લગતી તમામ માહિતી દેશ-વિદેશના લોકોને તેમજ સરકારને સહેલાઈથી મળી રહે તેવા હેતુથી આ નવી વેબસાઇટ બનાવવામાં આવી છે. જો કે, વિરોધ પક્ષ દ્વારા એવો આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે શરૂઆતમાં 48 કરોડના ખર્ચે મંજૂર થયેલો નરસિંહ મહેતા તળાવનો પ્રોજેક્ટ પાછળથી વધારીને 67 કરોડ રૂપિયા સુધી પહોંચાડી દેવાયો હતો. આ કરોડો રૂપિયાના પ્રોજેક્ટમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો અને વાસ્તવિકતા છુપાવવા માટે જ કોર્પોરેશનની વેબસાઈટ પર તદ્દન અલગ, વર્ષ 2015ના જૂના નકશા અને જૂનો ડેટા મૂકીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર તરફથી મળેલી રકમ પણ વેબસાઈટ પર ઓછી દર્શાવવામાં આવી હોવાના અને મૂળ ડિઝાઇનમાંથી પાર્કિંગ તથા રીંગરોડ જેવી સુવિધાઓ ગાયબ કરી દેવાઈ હોવાના ગંભીર આક્ષેપો થયા છે. ​આ સમગ્ર મામલે જૂનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણા એ જણાવ્યું હતું કે.જૂનાગઢ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટમાં અત્યંત ગંભીર ક્ષતિઓ અને મોટી ભૂલો રાખવામાં આવી છે. જૂનાગઢ એક ઐતિહાસિક અને વૈશ્વિક સ્તરે જાણીતી પ્રવાસન નગરી છે. આ સંજોગોમાં મહાનગરપાલિકાની વેબસાઈટ પર શહેરના જોવાલાયક સ્થળો, ડેવલપમેન્ટ પ્લાન્ટ અને વિવિધ પ્રોજેક્ટ્સની સાચી માહિતી મૂકવી જરૂરી છે, જેથી દેશ-વિદેશના લોકો અને સ્થાનિક જનતા જાણી શકે કે જૂનાગઢમાં કયા-કયા વિકાસ કાર્યો ચાલી રહ્યા છે, તેની પાછળ કેટલો ખર્ચ થયો છે અને કયા એન્જિનિયર દ્વારા તે કામગીરી કરવામાં આવી છે. ​પરંતુ હાલની સ્થિતિએ વેબસાઈટ પર નરસિંહ મહેતા તળાવના કોલમ પર ક્લિક કરતા જ 'અંડર ધ ગોલ્ડન જુબલી' અંતર્ગત મિનિસ્ટર ઓફ અર્બન ડેવલપમેન્ટ પ્લાન્ટની વિશિષ્ટ ઓળખ દર્શાવતા જે નકશા ખુલે છે, તે વાસ્તવિકતાથી તદ્દન અલગ છે. અત્યારે નરસિંહ મહેતા તળાવ જે સ્થિતિમાં છે તેવા નકશા મૂકવાને બદલે, વર્ષ 2015ના જૂના નકશા દર્શાવવામાં આવી રહ્યા છે, જે તે સમયે કન્સલ્ટન્ટ એજન્સી સી. સી. પટેલ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. વાસ્તવમાં, અત્યારનો આખો પ્લાન્ટ, નવું સ્ટ્રક્ચર અને તમામ સુવિધાઓ એચ.સી.પી. ડિઝાઇન દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેનું કન્સ્ટ્રક્શન દેવર્ષ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા કરવામાં આવ્યું છે અને પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર અલ્પેશ ચાવડા આ પ્રોજેક્ટ જોઈ રહ્યા છે. ​તેના બદલે વેબસાઈટ પર નિવૃત્ત થઈ ચૂકેલા નાયબ કાર્યપાલક ઇજનેર આર. કે. કુછડીયાના નામ સાથેનો જૂનો ડેટા બતાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, પ્રોજેક્ટના ખર્ચ અંગે પણ 30 કરોડ અથવા 3 કરોડની આસપાસના તદ્દન ખોટા આંકડા અને ભ્રામક માહિતી અપલોડ કરવામાં આવી છે. મહાનગરપાલિકાની વેબસાઈટ પર જ જો આ પ્રકારે ખોટી વિગતો આપવામાં આવતી હોય, તો પ્રશ્ન એ થાય છે કે તંત્રને વાસ્તવિક પ્રોજેક્ટ અને સાચા આંકડા મૂકવામાં શું વાંધો છે ? ​આ બાબતમાં બે જ શક્યતાઓ હોઈ શકે; કાં તો જે કંપનીએ આ વેબસાઈટ કે સોફ્ટવેર બનાવ્યો છે તેનામાં અણઆવડત છે જેના કારણે ખોટી માહિતી મુકાઈ ગઈ છે, અથવા તો કોઈ ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા જાણીજોઈને આ ખોટી માહિતી અપલોડ કરાવવામાં આવી છે. જનતાને તળાવ પાછળ થયેલા સાચા ખર્ચની અને તેની સાથે જોડાયેલા જવાબદાર ઇજનેરોની સાચી વિગતો ખબર ન પડે તે માટે માહિતી છુપાવવાનો આ પ્રયાસ હોઈ શકે છે. મનપાની આ વેબસાઈટ હજુ હમણાં જ નવી લોન્ચ કરવામાં આવી છે, તો પછી તેમાં આટલી બધી મોટી ભૂલો કઈ રીતે રહી શકે? વર્ષ 2015માં તત્કાલીન મુખ્યમંત્રી દ્વારા નરસિંહ મહેતા તળાવનું લોકાર્પણ થઈ ચૂક્યું હોવા છતાં, આજે વર્ષ 2026માં પણ 2015ની જૂની માહિતી કેમ બતાવવામાં આવે છે? આ વેબસાઈટ આખું વિશ્વ જોતું હોય છે, ત્યારે તંત્રએ તેને પબ્લિશ કરતા પહેલા વ્યવસ્થિત રીતે ચકાસીને યોગ્ય ખાતરી કરવી જોઈતી હતી. હાલમાં આ વેબસાઈટ પર મોટાભાગની વિગતો તદ્દન ખોટી અને ગેરમાર્ગે દોરનારી મૂકવામાં આવી છે. ​મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવી ઠાકરે જણાવ્યું હતું કે ​સામાન્ય રીતે મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ પર તમામ વિગતો અને ડેટા નિયમિત રીતે રોજબરોજ અપડેટ કરવામાં આવતા જ હોય છે. તેમ છતાં, વેબસાઈટ પર જૂની માહિતી અને ક્ષતિઓ અંગે વિપક્ષ દ્વારા જે પણ પ્રશ્નો કે વાતો સામે લાવવામાં આવી છે, તે બાબતને અમે ગંભીરતાથી લઈશું અને તેના પર ચોક્કસપણે યોગ્ય તપાસ કરાવીશું.જો તપાસ દરમિયાન એવું માલૂમ પડશે કે વેબસાઈટ પર નરસિંહ મહેતા સરોવર કે પવિત્ર દામોદર કુંડના પ્રોજેક્ટની નવી વિગતો હજુ સુધી અપડેટ નથી થઈ, તો અમે જવાબદાર વિભાગનું તાત્કાલિક ધ્યાન દોરીશું. ત્યારે વાસ્તવિક ગ્રાઉન્ડ સ્થિતિએ જોવા જઈએ તો હાલમાં નરસિંહ મહેતા સરોવર ખૂબ જ સુંદર અને સુવિધાજનક બની ગયું છે, એટલે કોર્પોરેશનની વેબસાઈટ પર તેની નવીન વિગતો મુકાઈ જ ગઈ હોવી જોઈએ. છતાં પણ, અમે પોતે ખૂબ જ ચોકસાઈપૂર્વક આખી વેબસાઈટનું નિરીક્ષણ કરીશું અને જો કોઈ પણ જગ્યાએ માહિતી અપડેટ થવાની બાકી હશે, તો તેને સત્વરે આધુનિક ડેટા સાથે અપડેટ કરવા માટે સંબંધિત અધિકારીઓને કડક સૂચના આપીશું.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી:કલેક્ટર હર્ષદ વોરા સહિત અધિકારીઓ અને લોકો જોડાયા
    Next Article
    સંગીતના તાલે સાંસદ ઝૂમી ઉઠ્યા, VIDEO:વિશ્વ સંગીત દિવસે વડોદરાના કમાટીબાગ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ યુવાઓ સાથે જોડાયા, ગુજરાતી ગીતોના તાલે રંગત જમાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment