Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર સાયબર ટીમે ખાનગી કંપનીમાં જાગૃતિ કાર્યક્રમ યોજ્યો:200 કર્મચારીઓને સાયબર સુરક્ષા અને છેતરપિંડીથી બચવા માર્ગદર્શન અપાયું

    1 week ago

    સુરેન્દ્રનગર જિલ્લા સાયબર ક્રાઈમ ટીમે S.S.White Technologies કંપની ખાતે સાયબર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ડિજિટલ વ્યવહારો અને ઇન્ટરનેટના વધતા ઉપયોગ સાથે સાયબર ગુનાઓનું પ્રમાણ વધતા આ પહેલ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં કંપનીના આશરે 200 કર્મચારીઓએ ભાગ લીધો હતો. સાયબર ક્રાઈમ ટીમના PSI યુ.બી.પટેલ, TE જૈનમભાઈ, PC મોહસીનભાઈ, HC નકશનભાઈ અને WPC ગાયત્રીબેન સહિતના નિષ્ણાતોએ કર્મચારીઓને દૈનિક જીવન અને કાર્યસ્થળે ઓનલાઈન સુરક્ષા જાળવવા અંગે તકનીકી અને વ્યવહારુ સમજ આપી હતી. માર્ગદર્શન દરમિયાન નાણાકીય છેતરપિંડીથી બચવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. કર્મચારીઓને ઓનલાઈન બેન્કિંગ ફ્રોડ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ ફ્રોડ અને નકલી લોન એપ્સથી સાવધ રહેવા અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, સોશિયલ મીડિયા સુરક્ષા અંગે પણ જાણકારી અપાઈ હતી. અજાણી લિંક્સ પર ક્લિક ન કરવા, OTP કે UPI PIN કોઈની સાથે શેર ન કરવા અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને સુરક્ષિત રાખવા અંગે સૂચનો કરાયા હતા. લોભામણી સ્કીમો, નકલી કસ્ટમર કેર નંબરો અને સાયબર ક્રાઈમના નવા modus operandi વિશે પણ કર્મચારીઓને જાગૃત કરવામાં આવ્યા હતા. જો કોઈ નાગરિક ઓનલાઈન સાયબર નાણાકીય છેતરપિંડીનો ભોગ બને, તો તેણે તુરંત જ ભારત સરકારના સાયબર હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરવા અથવા www.cybercrime.gov.in વેબસાઈટ પર તાત્કાલિક ફરિયાદ નોંધાવવા અપીલ કરવામાં આવી હતી. આનાથી ફ્રોડ થયેલી રકમને હોલ્ડ કરી શકાય છે. S.S.White Technologies કંપનીના મેનેજમેન્ટ અને તમામ કર્મચારીઓએ સુરેન્દ્રનગર પોલીસની આ પહેલને આવકારી હતી. તેમણે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને સાયબર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વન્યજીવ સુરક્ષા સામે ફરી ઉઠ્યા ગંભીર સવાલો:​કુકસવાડા ગામે ખુલ્લા કૂવામાં ખાબક્યું સિંહ બાળ; વન વિભાગે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યું; તંત્રની બેદરકારી સામે રોષ
    Next Article
    કૃષિ રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં ગોધરામાં સંકલ્પ સંમેલન:'વિકસિત ભારત 2047'ના સંકલ્પને સિદ્ધ કરવા આહવાન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment