Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૃષિ રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં ગોધરામાં સંકલ્પ સંમેલન:'વિકસિત ભારત 2047'ના સંકલ્પને સિદ્ધ કરવા આહવાન કરાયું

    1 week ago

    ગોધરાના સ્વામિનારાયણ મંદિર ખાતે કૃષિ રાજ્ય મંત્રી રમેશ કટારાના અધ્યક્ષસ્થાને 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન' યોજાયું. આ સંમેલનમાં મંત્રી કટારાએ વર્ષ ૨૦૪૭ સુધીમાં 'વિકસિત ભારત'ના સંકલ્પને સિદ્ધ કરવા માટે સૌને આહવાન કર્યું હતું. આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે 'વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ'ના મંત્ર સાથે યોજાયો હતો. આ પ્રસંગે સંબોધન કરતા કૃષિ રાજ્ય મંત્રી રમેશ કટારાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, પંચમહાલ અને દાહોદ જિલ્લા પ્રત્યે વડાપ્રધાનને વિશેષ લગાવ છે. તેમની દીર્ઘદ્રષ્ટિને કારણે ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓમાં અભૂતપૂર્વ સુધારો થયો છે. મંત્રી કટારાએ શિક્ષણ ક્ષેત્રે આવેલા પરિવર્તનોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આજે સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટરની સુવિધાઓ ઉપલબ્ધ બની છે. તેમણે પીએમ કિસાન યોજના, આયુષ્માન ભારત કાર્ડ, 108 કટોકટી સેવાઓ અને મફત અનાજ જેવી લોકકલ્યાણકારી યોજનાઓ થકી ગરીબો અને ખેડૂતોના જીવનમાં સકારાત્મક બદલાવ આવ્યો હોવાનું ગૌરવભેર જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાને દિલ્હીથી સીધા નાણાં પંચની ગ્રાન્ટ સરપંચોના ખાતામાં જમા કરાવીને ગ્રામીણ સ્તરે વહીવટી તંત્રને મજબૂત અને સ્વાયત્ત બનાવ્યું છે. હાફેશ્વરથી કડાણા સુધીની પાણીની યોજનાઓ દ્વારા ખેડૂતોના ખેતરો સુધી સિંચાઈનું પાણી પહોંચાડવાનું મહત્વપૂર્ણ કાર્ય પણ થયું છે. મંત્રીએ દેશમાં શાંતિ-સલામતી અને મહિલાઓની સુરક્ષામાં થયેલા વધારાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે અંબાજી, પાવાગઢ, સોમનાથ જેવા ધાર્મિક સ્થળોના નવનિર્માણ અને અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને પ્રધાનમંત્રીના સપના સાકાર થવાનું પ્રતીક ગણાવ્યું. અંતમાં, મંત્રી કટારાએ વર્ષ 2047 સુધીમાં 'વિકસિત ભારત'ના સંકલ્પને સિદ્ધ કરવા માટે સૌને એક થઈને સહકાર આપવા અપીલ કરી હતી. આ પ્રસંગે સાંસદ રાજપાલસિંહ જાદવ, જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ, હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર સાયબર ટીમે ખાનગી કંપનીમાં જાગૃતિ કાર્યક્રમ યોજ્યો:200 કર્મચારીઓને સાયબર સુરક્ષા અને છેતરપિંડીથી બચવા માર્ગદર્શન અપાયું
    Next Article
    Jammu and Kashmir Weather News | જમ્મુ-કાશ્મીરના હવામાનમાં અદભુત પલટો | Rains | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment