Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિરડીમાં સાઈ ટ્રસ્ટ રોજ 200 કિલો ગેસ બચાવી રહ્યું છે:સોલર સિસ્ટમથી રોજ 40 હજાર શ્રદ્ધાળુઓનું ભોજન બની રહ્યું છે; સરકારે અનોખું મોડેલ ગણાવ્યું

    8 hours ago

    ઈરાન-ઇઝરાયલ સંઘર્ષને કારણે દુનિયાભરમાં ઈંધણના પુરવઠા પર દબાણ વધવાની આશંકા છે. આવા સમયે શિરડી ખાતે શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટનું સોલર કુકિંગ સિસ્ટમ એક ઉદાહરણ બની ગયું છે. સૌર ઊર્જાથી ચાલતી આ સિસ્ટમથી રોજ હજારો શ્રદ્ધાળુઓ માટે ભોજન બનાવવામાં આવી રહ્યું છે. આ સોલર સિસ્ટમથી દરરોજ લગભગ 2,000 કિલો ભોજન બનાવવામાં આવે છે, જે લગભગ 40 હજાર શ્રદ્ધાળુઓ માટે પૂરતું હોય છે. આનાથી દરરોજ લગભગ 200 કિલો ગેસની બચત પણ થઈ રહી છે. આ અનોખી પહેલને જોતા મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીએ પણ આ પ્રોજેક્ટને દેશના એક અનોખા મોડેલ તરીકે સન્માનિત કર્યો છે. શિરડીમાં રોજ સરેરાશ 75 થી 80 હજાર શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. સાંઈ સંસ્થાનના પ્રસાદાલયમાં શ્રદ્ધાળુઓને મફત ભોજન આપવામાં આવે છે અને લગભગ 40 હજાર લોકો દરરોજ તેનો લાભ લે છે. પહેલા આટલી મોટા પ્રમાણમાં ભોજન બનાવવા માટે લગભગ 1,700 કિલો ગેસ ખર્ચ થતો હતો, જેનાથી સંસ્થાન પર ઘણો આર્થિક બોજ પડતો હતો. 2009માં સોલર કુકિંગ સિસ્ટમ શરૂ થઈ ઊર્જા બચત અને વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને સંસ્થાનના ટ્રસ્ટી મંડળે જુલાઈ 2009માં સોલર કુકિંગ સિસ્ટમ લગાવવાનો નિર્ણય કર્યો. આ પ્રોજેક્ટ પર લગભગ 1 કરોડ 37 લાખ રૂપિયા ખર્ચ થયા. પ્રસાદાલય પરિસરમાં 73 સોલર ડિશ લગાવવામાં આવી, જેની મદદથી સોલર કુકરમાં ભોજન તૈયાર કરવામાં આવે છે. આ વ્યવસ્થાથી માત્ર ઊર્જાની બચત જ નથી થઈ રહી, પરંતુ પર્યાવરણને પણ ફાયદો મળી રહ્યો છે. આ ઉપરાંત, સાંઈ સંસ્થાને સૌર ઊર્જાથી શ્રદ્ધાળુઓ માટે ગરમ પાણીની સુવિધા પણ શરૂ કરી છે, જેનાથી નવા શ્રદ્ધાળુ નિવાસ, દ્વારાવતી અને સાંઈ આશ્રમ જેવી જગ્યાઓ પર રોજ 10 હજારથી વધુ શ્રદ્ધાળુઓને 24 કલાક મફત ગરમ પાણી મળી રહ્યું છે. 10 ક્વિન્ટલ દાળ શાક, 15 ક્વિન્ટલ ભાત રોજ બનાવાય છે પ્રસાદાલયમાં 150 લિટર ક્ષમતાના 10 મોટા કુકર લગાવવામાં આવ્યા છે. આ સિસ્ટમ દ્વારા એક સમયે 15 ક્વિન્ટલ ચોખા, 5 ક્વિન્ટલ દાળ અને 5 ક્વિન્ટલ શાક રાંધી શકાય છે. 2009 થી 2026 સુધીના સમયગાળામાં આ સિસ્ટમને કારણે બે લાખ કિલોથી વધુ ગેસની બચત થઈ છે. સંસ્થાને બે કરોડ રૂપિયાથી વધુની આર્થિક બચત કરી છે. ---------------------------------------- આ સમાચાર પણ વાંચો… કોમર્શિયલ LPG સિલિન્ડરનો સપ્લાય શરૂ, સરકારે કહ્યું- દિલ્હીની હોટલ-રેસ્ટોરન્ટ કચરામાંથી બનેલા ગેસનો ઉપયોગ કરે સરકારે 5 દિવસ પછી કોમર્શિયલ LPG સિલિન્ડર પરનો પ્રતિબંધ હટાવી દીધો છે. પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું કે દેશના 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોમર્શિયલ સિલિન્ડરનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. સરકારે 9 માર્ચે કોમર્શિયલ સિલિન્ડરના સપ્લાય પર પ્રતિબંધ લગાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Aamir Khan celebrates 61st birthday with Gauri Spratt, Kiran Rao and Reena Dutta; Irfan Pathan shares video
    Next Article
    માછલીના પાણીથી વેરાવળ બંદર રોડ ચીકણો બન્યાની બૂમરાણ:ટુ-વ્હીલર ચાલકો સ્લીપ થતાં હોવાથી સામાજિક કાર્યકરે લેખિત રજૂઆત; સોમનાથ, કોડીનાર અને ઊના તરફનો ટ્રાફિક અહીં ડાયવર્ટ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment