Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વ. મુકેશભાઈને રક્તદાન થકી વીરાંજલિ અપાઈ:આદર્શ વિદ્યાસંકુલમાં 200 બોટલ રક્તદાન, ભાઈ-બહેનોએ ભાગ લીધો

    6 days ago

    શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ પાટણ સંચાલિત આદર્શ વિદ્યાસંકુલ ખાતે સ્વ. મુકેશભાઈ ચૌધરી (દદ્દુ)ની શ્રદ્ધાંજલિ રૂપે વીરાંજલિ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 200 થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પનું આયોજન શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ પાટણ, લોકસેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને NSS સ્વયંસેવકો દ્વારા સંયુક્ત રીતે કરાયું હતું. સંસ્થાના પ્રમુખ હરેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ કેમ્પ સમાજસેવક સ્વ. મુકેશભાઈ ચૌધરીને શ્રદ્ધાંજલિ આપવા માટે યોજાયો હતો. આ કેમ્પમાં ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 200 થી વધુ દાતાઓએ રક્તદાન કરીને સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં ભોજનદાતા તરીકે સચીનભાઈ અને દિલીપભાઈએ સહયોગ આપ્યો હતો. આદર્શ કોલેજના NSS સ્વયંસેવકોએ પણ રક્તદાન અને સેવાઓ દ્વારા સમાજનિર્માણ માટે યોગદાન આપ્યું હતું. આ પ્રસંગે પૂર્વ પ્રમુખ લક્ષ્મણભાઈ ચૌધરી, સામાજિક અગ્રણીઓ કુબેરભાઈ ચૌધરી, શંકરભાઈ ચૌધરી, મહેશભાઈ ચૌધરી, નવીનભાઈ ચૌધરી, ભરતભાઈ ચૌધરી, ભગીરથ કાગ સહિત અનેક સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Pawan Khera Bail मिलने के बाद Delhi पहुंचे, हुआ जोरदार स्वागत, कही ये बात | Himanta Biswa Sarma
    Next Article
    ગાંધીનગર કોર્ટ સંકુલમાં હિંસક હુમલો:ઘરેલું હિંસાના કેસની સુનાવણી દરમિયાન પત્નીએ પિતા અને ભાઈ સાથે મળી પતિને માર માર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment