Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:માણાવદરમાં ગેસ એજન્સીનો ઘરનો નિયમ, ગ્રાહકો સિલિન્ડર લેવા જતા હોવા છતાં રૂા. 20 ચાર્જ વસુલ્યો

    8 hours ago

    માણાવદરમાં ગેસ એજન્સી દ્વારા કુત્રિમ અછત ઊભી કરીને જે ગ્રાહકો ગેસની બોટલ ગોડાઉનથી પોતાની રીતે લઈ આવતા હોવા છતાં તેઓની પાસેથી વીસ રૂપિયા ડિલિવરી ચાર્જ વસુલાત હોવાનું સામે આવ્યું છે. માણાવદરના ધ્રુવ ઇન્ડેન એજન્સી દ્વારા ઘરના નિયમ ચાલતા હોય તેમ ગ્રાહકો પાસેથી ડીલીવરી નામે લાલિયાવાડી ચાલતી હોય તેમ સામે આવ્યું છે. ઈરાન અને અમેરિકા - ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગ્રાહકોને ઘર પર ગેસની બોટલો સમયસર ન મળતી હોવાથી ગેસ એજન્સી ખાતે લેવા જતા હોય છે ત્યારે ગેસ એજન્સી ખાતેથી ડીલેવરી ચલણ અને ગોડાઉન ગેટ પાસ આપવામાં આવે છે અને ગ્રાહકોને માણાવદરથી ગેસ એજન્સીથી 2 કિ.મી ના અંતર આવેલા ગોડાઉન લેવા જવું પડે છે. પરંતુ ગ્રાહક જાતે ગેસની બોટલ લઈ આવતા હોવા છતાં ગ્રાહકો પાસેથી રૂ. 20 જેવી ડિલિવરીની રકમ પણ વસુલ કરવામાં આવી રહી છે. ત્યારે ગ્રાહકોને ઘર ઉપર ગેસની બોટલ મળતી ન હોવા છતાં કેમ ડિલિવરી ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે તે પ્રશ્નાર્થ છે. ઓછી ડિલિવરી પણ શંકાસ્પદ છેલ્લા એક મહિનાની અંદર બોટલ સ્ટોક, બુકિંગ અને ડીલિવરી કેમ ઓછી કરવામાં આવતી હતી તેની પણ તપાસ કરવી જરૂરી છે. ડીલિવરી ઓછી થવાથી ગ્રાહકોને લાઈનમાં ઊભા રહીને ગોડાઉન ખાતેથી સિલિન્ડર લેવાની જરૂરિયાત પડી હતી અને તેનો સીધો ફાયદો સંચાલકોને થયો છે તે દિશામાં પણ તપાસ કરવી જોઈએ. મામલો મામલતદાર સુધી પહોંચ્યો માણાવદરના ભાવિનભાઈ રાઠોડે માણાવદર મામલતદાર કચેરીમાં લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે એજન્સીમાં ઘણા સમયથી આવી રીતે ડિલિવરીના પૈસા ગ્રાહકો પાસેથી ખુલ્લેઆમ વસૂલાઈ રહ્યા છે અને આ બાબતે સીસીટીવી કેમેરા પણ તપાસવા લેખિત રજૂઆત કરી છે. તસ્વીર. નિલેશ પાણખાણિયા ગ્રાહકોએ કહ્યું, રકમ પરત મળવી જોઈએ આ અંગે ગ્રાહકોએ કહ્યું હતું કે અત્યાર સુધીમાં કેટલા ગ્રાહકો પાસેથી આ ડીલીવરી ચાર્જ લેવામાં આવ્યો છે તેની તપાસ કરવી જરૂરી છે. જે ગ્રાહકોથી પાસેથી આ ડિલિવરી ચાર્જ લેવામાં આવ્યો છે તેની રકમ પરત આપવી પણ જોઈએ જેથી સંચાલક બીજીવાર આવી ભૂલ કરે નહીં. ભૂલથી ડિલિવરીની રકમ લેવામાં આવતી હશે : સંચાલક આ અંગે માણાવદર ધ્રુવ ઇન્ડેન સર્વિસના સંચાલક લલીતભાઈ ઘોડાસરા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ટ્રાફિકને હિસાબે ભૂલથી આ રકમ લેવામાં આવી હશે એવુ કહીને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લૂસિવ‎:સોશિયલ મીડિયાથી દૂર રહી ધો.12ના રેન્કરોએ મેળવ્યું ઊંચું પરિણામ મોબાઇલનો ઉપયોગ અભ્યાસ અને ફ્રેશ થવા પૂરતો
    Next Article
    અથાક મહેનત રંગ લાવી:દૂધ વેચનારની દીકરી ધો- 12માં તાલુકા પ્રથમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment