Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છત્તીસગઢના ખલ્લારી માતા મંદિરમાં રોપ-વે કેબલ તૂટ્યો:ટ્રોલી 20 ફૂટ નીચે પડી, પહાડ સાથે અથડાઈ, યુવતીનું મોત, 4ની હાલત ગંભીર

    4 days ago

    છત્તીસગઢના મહાસમુન્દ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ ખલ્લારી મંદિરમાં રવિવારે એક મોટો અકસ્માત થયો. ચૈત્ર નવરાત્રિના ચોથા દિવસે સવારે લગભગ 10:30 વાગ્યે મંદિર પહોંચવા માટે બનેલા રોપવેનો કેબલ અચાનક તૂટી ગયો. ટ્રોલીમાં સવાર 5 શ્રદ્ધાળુઓ 20 ફૂટની ઊંચાઈએથી નીચે પટકાયા. ટ્રોલી પહાડના ખડક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં એક યુવતીનું મોત થયું છે. 4 ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોમાં બાળકો અને વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે. તમામને તાત્કાલિક બાગબહારા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યા, જ્યાંથી તેમને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. માહિતી અનુસાર, શ્રદ્ધાળુઓ દેવીના દર્શન કરીને રોપવેથી પરત ફરી રહ્યા હતા. પહેલા આ તસવીરો જુઓ- દર્શન કરીને પાછા ફરતી વખતે અકસ્માત નજરેજોનારના જણાવ્યા મુજબ, શ્રદ્ધાળુઓ દર્શન કરીને રોપવેથી પરત ફરી રહ્યા હતા. કેબલ તૂટ્યા બાદ ટ્રોલી બેકાબુ થઈ ગઈ. લગભગ 20 ફૂટ નીચે પહાડીના ખડક સાથે અથડાઈ. આ જોરદાર આંચકાને કારણે ટ્રોલીમાં બેઠેલા લોકોને ગંભીર ઈજાઓ થઈ. દુર્ઘટના બાદ મંદિર પરિસરમાં અફરાતફરી મચી ગઈ અને મોટી સંખ્યામાં હાજર શ્રદ્ધાળુઓ ભયભીત થઈ ગયા. સ્થાનિક ગ્રામજનો અને પોલીસે તરત જ રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું. ઈજાગ્રસ્તોને ખાનગી વાહનોની મદદથી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. નવરાત્રિને કારણે શ્રદ્ધાળુઓની ભીડ ચૈત્ર નવરાત્રિને કારણે ખલ્લારી મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ હતી. સ્થાનિક લોકોએ રોપવેના નિયમિત જાળવણી અને સુરક્ષા ધોરણોની અવગણનાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે જો સમયસર તેની જાળવણી કરવામાં આવી હોત તો આવી ઘટના ટાળી શકાઈ હોત. ઘટના બાદ તંત્રએ મામલાની તપાસના આદેશ આપ્યા છે અને દોષિતો સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. પોલીસ હાલ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. ખલ્લારી માતા મંદિર વિશે જાણો મહાસમુન્દથી 25 કિમી. દક્ષિણ દિશામાં ખલ્લારી ગામના પહાડ પર ખલ્લારી માતાનું મંદિર આવેલું છે. દર વર્ષે ક્વાંર અને ચૈત્ર નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોની ભીડ આ દુર્ગમ ટેકરી પર દર્શન કરવા આવે છે. દર વર્ષે ચૈત્ર માસની પૂનમના અવસરે વાર્ષિક મેળાનું આયોજન કરવામાં આવે છે. મંદિર સુધી પહોંચવા માટે લગભગ 800 સીડીઓ ચઢવી પડે છે. એવું માનવામાં આવે છે કે મહાભારત યુગમાં પાંડવો પોતાની યાત્રા દરમિયાન આ પહાડ પર આવ્યા હતા. ………………………. આનાથી સંબંધિત આ સમાચાર પણ વાંચો… ડોંગરગઢમાં રોપ-વે ટ્રોલી તૂટી પડી: પૂર્વ ગૃહમંત્રી પૈકરાનો આબાદ બચાવ; પ્રદેશ મહામંત્રી ભરત વર્માને ગંભીર ઈજા, રાયપુર રિફર છત્તીસગઢના ડુંગરગઢ સ્થિત મા બમલેશ્વરી ધામમાં શુક્રવારે અકસ્માત થયો હતો. શ્રદ્ધાળુઓથી ભરેલી રોપવેની એક ટ્રોલી અચાનક તૂટીને જમીન પર પડી ગઈ. આ અકસ્માતમાં ભાજપના પ્રદેશ મહામંત્રી ભરત વર્મા ગંભીર રીતે ઘાયલ થયા. તેમને રાયપુર લઈ જવામાં આવ્યા હતા. જ્યારે પૂર્વ મંત્રી રામસેવક પૈકરા આ અકસ્માતમાં માંડ-માંડ બચ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પ્રેગનન્સીમાં વર્ક ફ્રોમ હોમ ન આપ્યું, ₹200 કરોડનો દંડ:ડિલિવરી પછી બાળકનું મૃત્યુ થયું, અમેરિકી કોર્ટે કહ્યું- આ માટે કંપની જવાબદાર
    Next Article
    સુરતમાં મીની વાવાઝોડાએ વધુ એકનો ભોગ લીધો, મૃત્યુઆંક 3 થયો:યુવકની લાશ 3 દિવસે ઝાડ નીચેથી મળી, 7 વર્ષનો પુત્ર સાથે પત્નીનું હૈયાફાટ રુદન; પોલીસની કામગીરી પર સવાલ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment