Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સખત કેદ:જામનગર પોક્સો કોર્ટનો ચુકાદો, પીડિતાને રૂ. 4 લાખ વળતર ચૂકવવાનો પણ આદેશ

    10 hours ago

    જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે જામજોધપુરની 12 વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સ્પેશિયલ જજ આરતી મોગેરાએ આ ગુનાને ઘૃણાસ્પદ ગણાવી આરોપીને આકરી સજા અને દંડનો હુકમ કર્યો હતો. કેસની વિગત મુજબ, 27 જાન્યુઆરી 2025ના રોજ સાંજે જામજોધપુર મામલતદાર ઓફિસ પાછળથી આરોપી મયુર ઉર્ફે અજીત અજય સોલંકીએ 12 વર્ષ અને 6 મહિનાની સગીરાનું અપહરણ કર્યું હતું. આરોપી સગીરાને જામનગર લઈ ગયો હતો, જ્યાં તેણે તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાના પિતાએ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 137(2) હેઠળ ગુનો નોંધાવ્યો હતો. તપાસ બાદ આરોપી વિરુદ્ધ BNS કલમ 64(2), 65(1) અને પોક્સો એક્ટની કલમ 4, 6, 12 હેઠળ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસ સ્પેશિયલ પોક્સો જજ આરતી મોગેરાની કોર્ટમાં ચાલ્યો હતો. સરકારી વકીલ ભારતી વાદીએ સરકાર પક્ષે દલીલો કરી હતી. કોર્ટ સમક્ષ 11 સાક્ષીઓની જુબાની અને 49 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. સરકારી વકીલ ભારતી વાદીએ દલીલ કરી હતી કે, આરોપી સગીર વયની બાળકી હોવાનું જાણતો હોવા છતાં તેણે આ ઘૃણાસ્પદ કૃત્ય આચર્યું હતું, જે સમાજ માટે કલંકરૂપ છે અને આવા આરોપી સામે કોઈ નરમાઈ દાખવી શકાય નહીં. કોર્ટે સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપી મયુર ઉર્ફે અજીત સોલંકીને સજા ફટકારી હતી. પોક્સો કલમ 4 અને 6 હેઠળ 20-20 વર્ષની સખત કેદ અને પોક્સો કલમ 12 હેઠળ 3 વર્ષની સખત કેદની સજાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કોર્ટે અલગ-અલગ કલમો હેઠળ કુલ રૂ. 35,000નો દંડ પણ ફટકાર્યો હતો. જો આરોપી દંડ ન ભરે તો તેને વધુ એક વર્ષની સખત કેદ ભોગવવી પડશે. કોર્ટે ભોગ બનનાર સગીરાને વળતર પેટે રૂ. 4 લાખ ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં ભાભીને લગ્નની લાલચ આપી કૌટુંબિક દિયરે અવારનવાર દુષ્કર્મ આચર્યું:પરિણીતા ગર્ભવતી થતાં આપણે ભાગીને લગ્ન કરી લઈએ કહી અમદાવાદ ભગાડી ગયો, બે દિવસ સુધી હોટેલમાં રાખી ફરી દેહ પીંખ્યો
    Next Article
    બારડોલી પાસે મહારાષ્ટ્રની 2 ST બસની ટક્કર, 7ના મોત:એક બસમાં પલટી માર્યા બાદ આગ, મુસાફરો જીવતાં ભૂંજાયા, મૃત્યુ આંક વધી શકે; પાણીના ટેન્કરના કારણે અકસ્માત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment