Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઠગાઇ:‘સુલેમાની પથ્થર બંદૂકની ગોળીની દિશા બદલે છે’ કહી 20 કરોડમાં જ્યોતિષને વેચવા જતા 3 પકડાયા

    16 hours ago

    બંદૂકની ગોળી કે ચપ્પુથી પણ ઇજા ન થાય એવા ચમત્કારી સુલેમાની પથ્થરના નામે કરોડો રૂપિયા પડાવતી ગેંગનો પર્દાફાશ થયોે છે. ગેંગે એક પથ્થર ખિસ્સામાં રાખવાથી શરીર પર છરી, બ્લેડ કે કોઈ હથિયારની ઈજા ન થતી હોવાનો દાવો કરી રૂ.20 કરોડમાં વેચવાનો કારસો રચ્યો હતો. જોકે, ભાંડો ફૂટી જતાં આરોપીઓએ જ્યોતિષી પાસે 50 હજાર ખંડણી માંગતા મામલો પોલીસમાં ગયો હતો કલાદર્શન ચાર રસ્તા પાસે રહેતા જ્યોતિષ યોગેશભાઈ પંડ્યાને તેમના ડ્રાઈવર મારફતે ભાવનગરના વિજયસિંહ ગોહિલની માહિતી મળી હતી. વિજયસિંહે દાવો કર્યો હતો કે તેની પાસે ચમત્કારી પથ્થર છે જે શરીરનું હથિયારોથી થતી ઇજાથી રક્ષણ કરે છે. વિશ્વાસ જીતવા વીડિયો પણ મોકલ્યો હતો. પથ્થર ખરીદવા યોગેશભાઈના પરિચિત કંચનબેને જગદીશભાઈ નામના ગ્રાહક તૈયાર કર્યા હતા. આરોપી વિજયસિંહ, મહેબૂબ અને અકરમ વડોદરા આવ્યા હતા અને ફરિયાદીના ઘરે ગ્રાહકની હાજરીમાં લાઈવ ડેમો આપ્યો હતો. તેમાં ચપ્પુ મારવા છતાં કાતરથી માથાના વાળ ન કપાવા અને બ્લેડ મારવા છતાં લોહી ન નીકળવાનો ઢોંગ રચી ગ્રાહકનો વિશ્વાસ જીતી પથ્થરની કિંમત રૂ. 20 કરોડ માંગવામાં આવી હતી.બીજા દિવસે કપુરાઈ ચોકડી પાસેની માઉન્ટ વ્યુ હોટેલના રૂમ નં. 210માં બધા ભેગા થયા હતા. ગ્રાહકે ફરી ડેમો માંગતા આરોપીએ કહ્યું કે, ‘પહેલા પૈસા બતાવો, પછી જ ડેમો મળશે.’ આ સાંભળતાં જ ગ્રાહક જગદીશભાઈ અને કંચનબેનને ઠગાઈની શંકા જતાં તેઓ સરકી ગયા હતા. પ્લાન નિષ્ફળ જતાં વિજયસિંહ અને ગેંગે યોગેશભાઈ અને તેમના મિત્ર દીપકને બંધક બનાવી ધમકી આપી કે, ‘તમે અમને ખોટા બોલાવ્યા છે એટલે 50 હજાર આપવા જ પડશે.’ જોકે, યોગેશભાઈએ ATMમાંથી પૈસા લાવવાનું બહાનું કાઢી યુક્તિપૂર્વક ત્યાંથી નાસી છૂટી કપુરાઇ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ત્રણેય શખસોને કથિત પથ્થર સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગિરનારના અઘોરી સાધુએ સાધના કરી પથ્થર આપ્યો હોવાનો દાવો કરાયો હતો ગેંગે જણાવ્યું કે પથ્થર ચમત્કારી છે. ગિરનાર પર ગુફામાં વર્ષો સુધી અઘોરી સાધુએ સાધના કર્યા બાદ પથ્થરમાં ચમત્કારિક શક્તિ આવી છે. દુનિયામાં બીજો આવો પથ્થર નથી એટલે એની કિંમત ~20 કરોડ છે. પથ્થર ખિસ્સામાં રાખવાથી ઇજા થતી નથી. - યોગેશ પંડ્યા, ફરિયાદી પોલીસે ડેમો કરાવ્યો, કાતર પણ વાગી અને બ્લેડ પણ આ ચમત્કારિક સુલેમાની પથ્થર ખિસ્સામાં રાખવાથી બંદૂકની ગોળી પણ દિશા બદલી નાંખે એવો દાવો ઠગ કરતા હતાં. ત્રણને ઝડપીને પોલીસ મથક લાવ્યા બાદ ડેમો આપવાનું જણાવતા કાતરથી વાળ પણ કપાઈ જતાં હતા અને બ્લેડ પણ વાગતી હતી. પરિણામે આ આખું કાવતરું રૂપિયા પડાવવાનું હોવાનું બહાર આવ્યું છે. > ડી.સી.રાઓલ, પીઆઇ, કપુરાઇ
    Click here to Read More
    Previous Article
    વેપારી પર પિતા-પુત્રનો જીવલેણ હુમલો:દીકરી બાબતે અપશબ્દો બોલવાની ના પાડતા વેપારી પર પિતા-પુત્રનો ધારીયા વડે જીવલેણ હુમલો, માથામાં 3 ટાંકા આવ્યા, પિતા-પુત્ર સામે પોલીસ ફરિયાદ
    Next Article
    કાઝરીની ટીમ દ્વારા ખેતી ઉપયોગી આયોજન:પધ્ધર અને લાખોંદમાં ‘ખેત બચાવો અભિયાન’ અંતર્ગત ખેડૂતોને ઉપયોગી માહિતી અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment