Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટીયનોને ઉનાળામાં પાણીની મુશ્કેલી નહીં પડે:આજી-ન્યારી ડેમ નર્મદાનાં નીરથી ભરવાનું શરૂ, જૂનનાં અંત સુધીમા લોકોને રોજ 20 મિનિટ નિયમિત પાણી મળશે

    17 hours ago

    રાજકોટ શહેરમાં ઉનાળાની સિઝનનો પ્રારંભ થતાની સાથે જ પાણીની માગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. વધતી જતી ગરમી અને પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનપાલિકા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગત સપ્તાહે જ રાજકોટનાં બંને મુખ્ય જળાશયો આજી અને ન્યારી ડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાનાં નીર ઠાલવવાનું શરૂ કરાયું હતું. આ કામગીરી હાલ પણ પુરજોશમાં ચાલું છે. આ બંને ડેમો છલકાઈ જાય ત્યાં સુધી સૌની યોજનાનાં નીર ઠાલવવામાં આવનાર હોય આગામી જૂન મહિનાનાં અંત સુધી લોકોને રોજ 20 મિનિટ નિયમિત પાણી મળી રહેશે. આજી-ન્યારી ડેમ નર્મદાનાં નીરથી 80 ટકાથી વધારે ભરાઈ ચુક્યા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ શહેરની પ્રજાને ખાતરી આપતા જણાવ્યું છે કે, ઉનાળામાં લોકોને પાણી અંગેની કોઈ મુશ્કેલી ન પડે તેના માટે અગાઉ જ મનપા દ્વારા રાજ્ય સરકાર પાસે 'સૌની યોજના' હેઠળ નર્મદાના નીરની માગણી કરવામાં આવી હતી, જેને પગલે અત્યારે આજી અને ન્યારી ડેમમાં નર્મદાના પાણી ઠાલવવા માટે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હાલ બંને ડેમો 80 ટકાથી વધારે ભરાઈ ચુક્યા છે. અને જ્યાં સુધી બંને ડેમો છલકાઈ ન જાય ત્યાં સુધી કામગીરી ચાલુ રાખવામાં આવનાર છે. ત્યારે ઉનાળામાં રંગીલા રાજકોટીયનોને પાણીની કોઈ પ્રકારની તકલીફ પડવા દેવામાં આવશે નહીં. દરરોજ 20 મિનિટ નિયમિત પાણી વિતરણ કરાશે વર્તમાન પરિસ્થિતિ મુજબ, રાજકોટની વસ્તી તેમજ સતત વિસ્તરતા જતા વિસ્તારોને કારણે દરરોજ 20 મિનિટ પાણી વિતરણ કરવામાં આવે છે. ખાસ કરીને માર્ચ મહિનાથી જૂન મહિના સુધીના સમયગાળામાં પાણીની માંગ વધતી હોય છે. આ કપરી પરિસ્થિતિમાં સ્થાનિક જળાશયોમાં પાણીનું સ્તર જળવાઈ રહે તે અત્યંત આવશ્યક છે. જેને લઈને ગત સપ્તાહથી બંને મુખ્ય જળાશયોમાં પાણી છોડવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હોવાથી આગામી દિવસોમાં આ બંને ડેમ સંપૂર્ણપણે ભરાઈ જશે. આગામી 10 દિવસમાં આજીડેમ સંપૂર્ણપણે ભરાઈ જશે આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, આજી-1 ડેમમાં 9 માર્ચથી નર્મદાના નીર ઠાલવવાની શરૂઆત કરવામાં આવી છે. આજી ડેમમાં અત્યાર સુધીમાં 150 એમસીએફટી પાણીનો જથ્થો આવતા હાલ ડેમનું લેવલ 27.13 ફૂટ (800 એમસીએફટી) પર પહોંચી ગયું છે. આજી ડેમની કુલ સપાટી 29 ફૂટની છે અને તેમાં મહત્તમ 917 એમસીએફટી પાણીનો સંગ્રહ થઈ શકે છે. તંત્રના અંદાજ મુજબ, જે ગતિએ પાણી ઠાલવવામાં આવી રહ્યું છે તે જોતા આગામી 10 દિવસમાં આજીડેમ સંપૂર્ણપણે ભરાઈ જશે. બીજી તરફ, ન્યારી-1 ડેમમાં 6 માર્ચથી નર્મદાના પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ન્યારી ડેમમાં કુલ 180 એમસીએફટી પાણીનો જથ્થો ઠલવાઈ ચૂક્યો છે. હાલમાં ન્યારી ડેમની જળ સપાટી 21.25 ફૂટ સુધી પહોંચી છે, જે 834 એમસીએફટી જથ્થો સૂચવે છે. ન્યારી ડેમની કુલ ઊંડાઈ 25.09 ફૂટ છે અને તેની કુલ ક્ષમતા 1248 એમસીએફટી જેટલી છે. આમ ન્યારી ડેમ પણ ગણતરીના દિવસોમાં છલકાઇ જશે. 'સૌની યોજના'ના સહારે પણ બંને મુખ્ય જળાશયો છલોછલ થશે ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાના સચોટ આયોજન અને 'સૌની યોજના'ના સહારે ભર ઉનાળામાં પણ રાજકોટના બંને મુખ્ય જળાશયો છલોછલ જોવા મળશે. આ કામગીરીથી શહેરના જળ સ્ત્રોતો મજબૂત બનશે અને ઉનાળાના આકરા દિવસોમાં પણ નાગરિકોને નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે. સમયસર ટેન્કર દ્વારા પાણી વિતરણ થશે જોકે અમુક વિસ્તારોમાં હાલ પણ ટેન્કરો દ્વારા પાણી વિતરણ થઈ રહ્યું હોવા અંગે કમિશનરે જણાવ્યું કે, બંને ડેમમાં પુરતી માત્રામાં જળરાશી હોવાના કારણે સમયસર ટેન્કર દ્વારા પાણી વિતરણ થશે. તેમજ અનેક સોસાયટીઓ અને વિસ્તારોમાં હાલ નવી લાઈનો નાખવાનું કામ ચાલુ હોય ધીમે ધીમે ટેન્કર પ્રથા બંધ કરવામાં આવશે અને મોટા ભાગના વિસ્તારોમાં નળ મારફતે દરેક ઘરે પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    'માફિયા કા મતલબ મૈં ઓર મૈં કા મતલબ માફિયા':અસામાજિક તત્ત્વોએ લોકોમાં ભય ઉભો કરવા ભાઈગીરીની રિલ્સો બનાવી, પાસા ભોગવી ચુકેલા રાજા મેવાતી સહિત 14 સામે ગુનો
    Next Article
    પાટણ નગરપાલિકાએ બાકી વેરા માટે 5 મિલકતો સીલ કરી:ઓમ કોમલેક્સમાં ફાયર સેફટી નહીં હોવાના કારણે સીલ મારવાની ચેતવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment