Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં 20 હજાર લોકો સાથે શાંતિપૂર્ણ તાજીયાનું જુલુસ:કોઈ હથિયાર કે ઘોંઘાટ વિના નીકળ્યું, ઇતિહાસ રચાયો

    2 days ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં મહોરમ નિમિત્તે એક અનોખો ઇતિહાસ રચાયો છે. શહેરમાં આયોજિત તાજીયાના જુલુસમાં અંદાજે 15 થી 20 હજાર લોકો ઉમટી પડ્યા હતા, છતાં તે સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું. જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત આ જુલુસમાં કોઈ પરંપરાગત હથિયાર કે ડી.જે., ઢોલ જેવા મોટા સાઉન્ડ વગાડવામાં આવ્યા નહોતા. આ વર્ષે તાજીયાનું જુલુસ કોઈ પણ પ્રકારના ઘોંઘાટ કે હથિયારો વિના નીકળ્યું હતું, જે સુરેન્દ્રનગર માટે એક અભૂતપૂર્વ ઘટના છે. સમગ્ર રૂટ પર ક્યાંય પણ કોઈ હથિયાર જોવા મળ્યા નહોતા અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહ્યું હતું. આ ઘટના કોમી એકતા અને શિસ્તબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ શાંતિપૂર્ણ આયોજન પાછળ સુરેન્દ્રનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુની કાર્યશૈલી અને લોકપ્રિયતા મુખ્ય કારણભૂત મનાય છે. જિલ્લામાં ફરજ બજાવતા તેમને હજુ એક વર્ષ પણ થયું નથી, છતાં તેમણે પોતાની પ્રજાભિમુખ કામગીરીથી લોકોના દિલ જીતી લીધા છે. તેઓ સામાન્ય અને ગરીબ લોકોને કાયદાકીય મદદ પૂરી પાડવા અને મુશ્કેલીના સમયમાં સહાય કરવા માટે જાણીતા છે. ગઈકાલે તાજીયાના જુલુસ દરમિયાન એસ.પી. પ્રેમસુખ ડેલુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું નિરીક્ષણ કરવા રૂબરૂ મેદાન પર ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે લોકોમાં તેમની સાથે સેલ્ફી લેવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પોલીસ વડા પ્રત્યે જનતાનો આવો અદ્ભુત પ્રેમ અને આદર જિલ્લાના ઇતિહાસમાં પહેલીવાર જોવા મળ્યો છે. તમામ ધર્મના લોકો અને શાંતિપ્રિય નાગરિકોએ એસ.પી. પ્રેમસુખ ડેલુની આગેવાની હેઠળ શાંતિપૂર્ણ, શિસ્તબદ્ધ અને ભાઈચારાના વાતાવરણમાં સંપન્ન થયેલા આ જુલુસને બિરદાવ્યું હતું. આ ઘટનાએ સુરેન્દ્રનગરમાં કોમી સૌહાર્દનું નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં મોહરમ નિમિત્તે કલાત્મક તાજીયાના જુલુસ:ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ ઉજવણી સંપન્ન
    Next Article
    કોઠારીયા રોડ મર્ડર કેસ:નામચીન દોલુભા સોલંકીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment