Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં દીકરીઓ-યુવતીઓને 'કેરાલા સ્ટોરી-2' ફિલ્મના 9 શો બતાવાયા:ઉદ્યોગકારો અને આગેવાનોએ જાગૃતિ માટે આયોજન કર્યું

    10 hours ago

    મોરબીમાં ઉદ્યોગપતિઓ, સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા દીકરીઓ અને યુવતીઓ માટે 'કેરાલા સ્ટોરી-2' ફિલ્મનું નિશુલ્ક પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું. સમાજમાં બનતી ઘટનાઓ પ્રત્યે યુવતીઓમાં જાગૃતિ લાવવાના હેતુથી આ આયોજન કરાયું હતું. આયોજકોએ શરૂઆતમાં 6 સ્ક્રીન બુક કરી હતી, પરંતુ મોટી સંખ્યામાં યુવતીઓ ફિલ્મ જોવા આવતા કુલ 9 સ્ક્રીનમાં મૂવી બતાવવામાં આવી હતી. આ શો ખાસ કરીને 25 વર્ષથી નાની દીકરીઓ અને યુવતીઓ માટે નિશુલ્ક રાખવામાં આવ્યો હતો. આ આયોજનમાં મોરબી સિરામિક એસોના પ્રમુખ મનોજભાઈ એરવાડિયા, ભાજપ અગ્રણી જયદીપભાઈ દેત્રોજા, પાટીદાર સમાજ અગ્રણી અનિલભાઈ વરમોરા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા, નવયુગ સંકુલના પ્રમુખ પી.ડી. કાંજીયા, તેમજ આર્યવ્રત કોલેજ મોરબીનો આર્થિક સહયોગ મળ્યો હતો. આ ફિલ્મ માત્ર મનોરંજન પૂરતી સીમિત ન રહેતા, વર્તમાન સમયમાં ઊભા થઈ રહેલા સામાજિક પ્રશ્નોની વાસ્તવિકતાઓ દર્શાવે છે. દીકરીઓ અને યુવતીઓ ગેરમાર્ગે દોરાતી અટકે અને વાસ્તવિકતાને સમજે તે માટે આ વિશેષ શોનું આયોજન કરાયું હતું. આ મૂવી દ્વારા દીકરીઓમાં લવજેહાદ જેવી બાબતોથી બચવા માટે જાગૃતિ આવી હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    Final notice issued to 24,000 Dharavi residents to submit eligibility documents
    Next Article
    Jamnagar Corporation News | જામનગર મહાનગર પાલિકાનું વેરા વસુલાત અભિયાન શરૂ કરાયું | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment