Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહોત્સવનું આયોજન:થલતેજના સાઈધામ મંદિરમાં 2 વર્ષ પછી નવા મંદિરમાં રામનવમીએ જ રામલલાનું આગમન

    5 days ago

    થલતેજવિસ્તારમાં આવેલા શ્રી સાઈધામ મંદિરમાં રામનવમીના પાવન અવસરે એક વિરલ અને ઐતિહાસિક પ્રસંગ સર્જાવાનો છે. 2 વર્ષથી ચાલી રહેલા મંદિરના નવીનીકરણ પછી હવે પ્રથમ વખત જૂના મંદિરની રામ ભગવાનની મૂર્તિને નવનિર્મિત ગર્ભગૃહમાં પ્રસ્થાપિત કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં આવી ઘટના અતિ દુર્લભ માનવામાં આવે છે. કારણ કે સામાન્ય રીતે નવી મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે જ્યારે અહીં વર્ષોથી ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર રહેલી મૂર્તિને જ નવા મંદિરમાં સ્થાન અપાશે. મંદિરના 1008 વૈષ્ણવ સમ્રાટ મોહનદાસબાપુના જણાવ્યા અનુસાર મહંત 26 માર્ચે યોજાનારા આ મહોત્સવમાં વહેલી સવારે કાકડ આરતી, અભિષેક, શોભાયાત્રા અને પ્રાણપ્રતિષ્ઠા સહિત વિવિધ ધાર્મિક વિધિઓનું આયોજન કરાયું છે. મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. મંદિરનું નવીનીકરણનું કાર્ય અંતિમ 2 વર્ષથી કરવામાં આવી રહ્યું હતું, હવે મંદિરનું કાર્ય અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે, પરંતુ આ દિવસે રામજીની મૂર્તિને પ્રસ્થાપિત કરશે. રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદની શોભાયાત્રા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આયોજિત રામનવમી શોભાયાત્રા બુધવાર બપોરે 2:30 વાગ્યે સરયુ મંદિર, પ્રેમ દરવાજાથી પ્રસ્થાન કરશે. 7 કિમી લાંબા રૂટ પરથી પસાર થનારી યાત્રા દરિયાપુર, શાહપુર અને માધુપુરા સહિતના વિસ્તારોમાં ફરશે અને અંતે અડવાણી માર્કેટ પાસે શ્રીરામજી મંદિરે વિરામ લેશે. યાત્રામાં પ્રભુ શ્રીરામના અદ્ભુત રથ, 7 અખાડા, 15 ટ્રેક્ટર, 12 ઊંટગાડી અને સંસ્કૃતિ દર્શાવતા ટેબ્લો રહેશે. 70 જેટલા બાળકો વેશભૂષામાં ભાગ લેશે, જ્યારે ઊંટગાડાંમાં ભજન મંડળીઓ ભક્તિમય માહોલ સર્જશે. આયોજકોના અનુમાન મુજબ આશરે 25 હજારથી વધુ લોકો યાત્રામાં જોડાશે અને 2 લાખથી વધુ લોકો રૂટ પર હાજર રહીને નિહાળશે. આજે શું શું થશે? સવારે 5:30 વાગ્યે કાકડ આરતી 6:00 વાગ્યે શોભાયાત્રા (નગર ફેરો) 9:00 વાગ્યે અભિષેક 11:30 વાગ્યે પૂજન વિધિ બપોરે 12:00 આરતી સાંજે મહાપ્રસાદ
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ‎:કર્કવૃત્ત પરના ગામમાં ઊર્જાવૃદ્ધિ માટે અમદાવાદનાં વાસ્તુશાસ્ત્રીનું સંશોધન
    Next Article
    મનપાનો સરવે:શહેરના 26 વિસ્તારમાં 3 દિવસ સુધી સામાન્ય કરતાં 3 ડિગ્રી વધુ ગરમી રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment