Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોળી સમાજ દ્વારા પ્રભાસ પાટણમાં ભાગવતકથા જ્ઞાનયજ્ઞ:અતિથિભવન નિર્માણના સંકલ્પ સાથે 2 થી 8 જૂન સુધી કથા યોજાશે

    10 hours ago

    સમસ્ત કોળી સમાજના દિવંગત આત્માઓના કલ્યાણ અને સમાજના સર્વાંગી વિકાસના શુભ હેતુ સાથે પ્રભાસ પાટણમાં શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત કોળી રાષ્ટ્રીય અતિથિભવન સોમનાથ દ્વારા 2 જૂનથી 8 જૂન દરમિયાન હિરણ નદી કાંઠે, શીતળા માતા મંદિર રોડ પર આ ધાર્મિક મહોત્સવ યોજાશે. મોટી સંખ્યામાં ભક્તજનો જોડાશે તેવી અપેક્ષા છે. આ કથાના મુખ્ય વક્તા આંતરરાષ્ટ્રીય જ્યોતિષી અને ભાગવત વક્તા પાર્થભાઈ જાની રહેશે. તેઓ દરરોજ બપોરે 3 થી 6 વાગ્યા સુધી કથાનું રસપાન કરાવશે. 8 જૂનના રોજ કથાની પૂર્ણાહુતિ સાથે સમાપન થશે. કોળી સમાજના પટેલ લક્ષમણ સોલંકીએ જણાવ્યું કે, આ આયોજનનો મુખ્ય હેતુ કોળી સમાજ માટે એક આદર્શ રાષ્ટ્રીય અતિથિભવનનું નિર્માણ કરવાનો છે. આ અતિથિભવન દ્વારા દેશ-વિદેશથી આવતા કોળી સમાજના મહેમાનોને નિવાસ અને આરોગ્યપ્રદ ભોજનની સુવિધા મળશે. આ ઉપરાંત, અતિથિભવન દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, સમાજની બહેનોને રોજગાર અને સ્વરોજગાર માટે પ્રોત્સાહન, તેમજ યુવાનોને શિક્ષણ અને કારકિર્દી માર્ગદર્શન જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો સંકલ્પ વ્યક્ત કરાયો છે. કથાના પ્રારંભે 2 જૂને સવારે 11 વાગ્યે ભવ્ય પોથીયાત્રા યોજાશે. કથાના વિવિધ દિવસોમાં પરિક્ષિત જન્મ, કપિલ જન્મ, ધ્રુવ ચરિત્ર, શ્રી નૃસિંહ પ્રાગટ્ય, શ્રીરામ જન્મોત્સવ, શ્રીકૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન ઉત્સવ અને રૂક્ષ્મણી વિવાહ જેવા ધાર્મિક પ્રસંગો ઉજવાશે. સાંજે ભવ્ય સ્ટેજ પ્રોગ્રામનું પણ આયોજન કરાયું છે, જેમાં લોકપ્રિય કલાકારો અને સંગીતમંડળીઓ ભક્તિમય અને સાંસ્કૃતિક રંગ જમાવશે. સમસ્ત કોળી સમાજ યુવક મંડળ, પ્રભાસ પાટણ દ્વારા સમાજજનો અને ધર્મપ્રેમી જનતાને આ પવિત્ર કથાશ્રવણનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યમંત્રી પ્રવિણ માળીની નમો વન મુલાકાત:10 લાખ વૃક્ષોના વન કવચની પ્રગતિ નિહાળી, ઓક્સિજન હબ-ઇકો-ટૂરિઝમ વિકાસ પર ભાર મૂકાયો
    Next Article
    વેજલપુર પોલીસ સામે કસ્ટોડિયલ ડેથનો આક્ષેપ:મૃતકના દીકરાએ પોલીસ ફરિયાદ નોંધવા હાઇકોર્ટમાં કરી અરજી, પુરાવા સુરક્ષિત રાખવા નિર્દેશ; મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ જવાની છૂટ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment