Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોડ સેફ્ટી:2 લાખ વાહન ચાલકોની સુરક્ષા માટે વુડા સર્કલનો સિંહ 8 મીટર ખસેડાશે

    3 days ago

    અમિતનગર સર્કલથી વાહનો વુડા સર્કલ સુધી પહોંચ્યા બાદ રસ્તા પર વાહનોની ભીડ વધી જાય છે, પિક અવર્સમાં મુશ્કેલી વધે છે. મુક્તાનંદ સર્કલ તરફ અને ફતેગંજ તરફના વાહનચાલકોને ટ્રાફિકનો ફ્રી ફ્લો ભાગ્યે જ મળે છે. જેનાથી વાહનો બિનજરૂરી ઊભાં રાખવાં પડે છે, બળતણનો બગાડ થાય છે. ધુમાડાથી પ્રદૂષણનું પોકેટ તૈયાર થતું રહે છે. આ સ્થિતિને હળવી કરવા વુડા સર્કલના સિંહને 8 મીટર રાત્રી બજાર તરફ ખસેડવાનું સૂચન શહેર પોલીસના ટ્રાફિક વિભાગે કર્યું છે. સિંહ ઉત્તરે 8 મીટર ખસતાં ટ્રાફિકનો ફ્લો વધુ સરળ બનશે. રોજ 1.50થી 2 લાખ વાહનોની અવર-જવરવાળા આ સર્કલ પર અકસ્માતો થયા કરે છે. આ સમસ્યા દૂર કરવી હોય તો આ ફેરફાર અનિવાર્ય છે. તેનાથી અમિનગરથી ફતેગંજ, ફતેગંજથી અમિતનગર અને રાત્રીબજાર સમા તરફ અને કારેલીબાગ તરફ જતો વાહન વ્યવહાર સરળ બનશે. જુલાઈના પહેલા સપ્તાહમાં ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ, આરટીઓ અને ટ્રાફિકના અધિકારીઓ ડીસીપી તેજલબેન પટેલ, જગદીશ વસાવા, આરટીઓ કેતન ખપેડ અને ટ્રાફિક એક્સપર્ટ અમિત ખત્રીએ સ્થળ તપાસ કરી હતી. ડિસેમ્બરમાં લક્ઝરી બસ નીચે કચડાતાં મહિલાનું મોત થયું હતું 13 જુલાઇ, 2026 : વુડા સર્કલ પાસે કારની ટક્કર વાગતાં ઋતુરાજ સિંઘ ઘાયલ થયા હતા, જેમનું 16 જુલાઈએ મોત નિપજ્યું હતું. 9 ડિસેમ્બર, 2025 : લક્ઝરી બસ નીચે કચડાઈ જતાં શકુંતલાબહેન છાજડનું મોત નિપજ્યું હતું. 2018 : વુડા સર્કલ પર રાત્રે બાઇકસવાર કપલ સર્કલમાં ઘૂસી ગયું હતું. આ બનાવમાં ઘાયલ યુવાનને હોસ્પિટલમાં ખસેડાયો હતો. અમિતનગરથી આવતા રસ્તાની સ્ટોપેજ લાઇન 2 મીટર આગળ જશે સિંહને ખસેડવાથી સર્કલ પરની અમિતનગર તરફથી આવતા રસ્તાની સ્ટોપેજ લાઇન પણ બે મીટર જેટલી આગળ જશે. ફતેગંજ અને વીઆઇપી રોડની ચોકડી તરફની ડિવાઇડરની લાઇનનું એલાઇન્મેન્ટ કરવું પડશે. આ માટે હાલ ત્યાં જે બસ્ટસાઇઝ બાવલું છે તેને પણ ખસેડવું પડશે. > અમિત ખત્રી, ટ્રાફિક એક્સપર્ટ, રાજ્ય ટ્રાફિક એડવાઇઝરી કમિટી હવે પાલિકાએ શું કરવું પડશે? પાલિકાની એન્જિનિયરિંગ ટીમે કેડ ડ્રોઇંગમાં આ સમગ્ર સર્કલને રિડિઝાઇન કરવું પડેશે. ત્યારબાદ સર્કલ અને તેના સિંહને હટાવવાની કામગીરી કરવી પડે. આ માટેનો ખર્ચ રૂા.25થી રૂા.30 લાખની આસપાસ થાય તેવી શક્યતા છે. ટ્રાફિક વિભાગનાં સૂચન મ્યુ.કમિશનરની મંજૂરી માટે મોકલાય છે ટ્રાફિક વિભાગનાં સૂચનોની વ્યવહારિકતાની ચકાસણી કરીને તેને મ્યુ. કમિશનરની મંજૂરી માટે મોકલાય છે. આ સૂચનો બાદ ઝોન કક્ષાએ કામ ફળવાય છે. > હેતલબેન પટેલ, એક્ઝિ. એન્જિનયર, ટ્રાફિક વિભાગ, પાલિકા આ સુધારા પણ સૂચવાયા (ટ્રાફિક ડીસીપી તેજલબેન પટેલે જણાવ્યા અનુસાર)
    Click here to Read More
    Previous Article
    તમામ 22 કેવી ફીડર પણ ટ્રીપિંગથી પ્રભાવિત થયા:પડઘામાં લાઇન ટ્રિપ થતાં 4.6 લાખથી વધુ ગ્રાહકોને અઢી કલાક અંધારામાં રહેવુ પડ્યું
    Next Article
    સિટી એન્કર:વાઘોડિયા જતી સિટી બસ આમોદર પાસે સ્પીડ બ્રેકર પરથી પસાર થતાં સગર્ભાને પ્રસવ પીડા ઊપડી, બસમાં જ શિશુને જન્મ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment