Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો અંગે કોંગ્રેસ મંથન કરશે:2થી 6 મે સુધી ઝોનવાઈઝ પ્રદેશ પ્રમુખ અને પ્રભારીઓની અધ્યક્ષતામાં રિવ્યૂ બેઠક, નેતાઓ રિઝલ્ટનું એનાલિસિસ કરશે

    14 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા મંથન કરવામાં આવશે. આવતીકાલથી 5 દિવસ સુધી ગુજરાત કોંગ્રેસ દ્વારા પરિણામોનું એનાલીસિસ કરવામાં આવશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા તુષાર ચૌધરી અને ઝોનના પ્રભારીઓની અધ્યક્ષતામાં રિવ્યૂ બેઠક યોજવામાં આવશે. 2થી 6 મે સુધી અલગ-અલગ દિવસે ઝોનવાઈઝ બેઠક કરી પરિણામોનું એનાલિસિસ કરવામાં આવશે. જિલ્લા, તાલુકા અને શહેર પ્રમુખો અને પ્રભારીઓ પણ રિવ્યુ બેઠકમાં ઉપસ્થિત રાખવામાં આવશે. કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ધાર્યું પરિણામ મેળવી શક્યું નથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. 2021 કરતા પણ વધુ બેઠકો સાથે ભાજપનો વિજય થયો છે. જોકે, મતગણતરી પહેલા જ 732 જેટલી બેઠકો તો બિનહરીફ થઈ ગઈ હતી. તમામ 15 મહાનગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે. 84 નગરપાલિકામાંથી 78 પર ભાજપ અને 6 કોંગ્રેસને મળી છે. 34માંથી 33 જિલ્લા પંચાયત પણ ભાજપ જીતી ગયું છે તો 260 તાલુકા પંચાયતમાંથી ભાજપને ફાળે 253 અને 7 કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ફાળે ગઇ છે ત્યારે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ધાર્યું પરિણામ મેળવી શક્યું નથી. સ્થાનિક ચૂંટણીના પરિણામોને લઈને કોંગ્રેસ મંથન કરશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2027ની વિધાનસભાની ચૂંટણીને લઈને મહત્વની હતી કારણ કે, રાહુલ ગાંધીએ 2027માં ભાજપને ગુજરાતમાં હરાવી કોંગ્રેસની સરકાર બનશે એવું અનેક વખત જાહેર મંચ પરથી નિવેદન આપ્યું હતું. જેથી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કોંગ્રેસ માટે સંગઠનને મજબૂત કરવાની હતી પરંતુ, અનેક પ્રયાસ કરવા છતાં કોંગ્રેસને જોઈએ એવા પરિણામ મળ્યા નથી. જેથી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોને લઈને કોંગ્રેસ દ્વારા મંથન કરવામાં આવશે. 5 દિવસની બેઠકમાં પ્રભારીઓને પણ હાજર રહેવા સૂચના રાજીવ ગાંધી ભવન ખાતે આવતીકાલથી ગુજરાત કોંગ્રેસના બે સહ પ્રભારી ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિપક્ષ નેતા તુષાર ચૌધરી સહિત પ્રદેશના નેતાઓ અને તાલુકા, જિલ્લા અને શહેરના નેતાઓ સાથે બેઠક કરવાના છે. 5 દિવસ સુધી રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ સહ પ્રભારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોને લઈને બેઠક કરશે. તેમજ આ બેઠકોમાં ખાસ ઝોન પ્રભારીઓને પણ હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ જે નેતાઓ ઉમેદવારોની પંસદગી પ્રક્રિયામાં જોડાયા હતા તેમને પણ બેઠકમાં હાજર રાખવામાં આવશે. બેઠકમાં ચૂંટણી દરમિયાનના નેતાઓના વિવાદને પણ શાંત કરવા પ્રયાસ થશે સંગઠન સૃજન અભિયાન કરવા છતાં કોંગ્રેસને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ધાર્યું પરિણામ આવ્યું હતું. ક્યાંક ઉમેદવારોની પંસદગી વિવાદ તો ક્યાંક નેતાઓ વચ્ચેના વિવાદને કારણે કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીનું લક્ષ્ય પૂર્ણ થાય એવું કામ કરવામાં આવ્યું નથી. જેથી સહ પ્રભારીઓ બેઠકમાં પ્રચાર, મતદાનના આંકડાઓ, પરિણામના આંકડાઓ સહિતના મુદ્દાઓને ચર્ચા કરવાના છે તેમજ ચૂંટણી દરમિયાન નેતાઓ વચ્ચે જે વિવાદ સર્જાયા છે, તેને થાળે પાડવા માટેના પ્રયાસ પણ બેઠકમાં કરવામાં આવશે. 5 અને 6 મેના સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળશે જેમાં આવતીકાલે એટલે 2 મેના દક્ષિણ ગુજરાત ઝોનની બેઠક મળશે જેમાં AICCના સેક્રેટરી અને પ્રભારી શ્રીનિવાસ પણ હાજર રહેશે તો 3 મેના ઉત્તર ગુજરાત ઝોનની બેઠક મળશે, જેમાં AICCના સેક્રેટરી અને પ્રભારી સુહાસિની યાદવને ઉપસ્થિત રહેવા સૂચના આપવામાં આવી છે. 4 મેના મધ્ય ગુજરાત ઝોનની બેઠક મળશે જેમાં AICC સેક્રેટરી અને પ્રભારી રામકિશન ઓઝા પણ ઉપસ્થિત રહેવાના છે. 5 અને 6 મેના સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળશે જેમાં AICC સેક્રેટરી અને પ્રભારી દેવેન્દ્ર યાદવ પણ ઉપસ્થિત રહેવાના છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ-મહેસાણા હાઈવે પર અજાણ્યા વાહને બેને કચડ્યા:અન્ય વાહનોના ટાયર ફરી વળતા માર્ગ પર માંસના લોચા વિખેરાયા, છેલ્લા ત્રણ દિવસમાં અકસ્માતમાં 4 જિંદગી હોમાઈ
    Next Article
    રાજકોટનો સર્વાઈકલ કેન્સર સામેના જંગમાં વિજય:મનપાનાં આરોગ્ય વિભાગે HPV રસીકરણમાં 100% કામગીરી સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો, રાજ્ય સરકાર દ્વારા એવોર્ડથી સન્માન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment