Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરૂણાંતિકા:ભચાઉ અને મોડવદરમાં વીજ આંચકો લાગતા 2 યુવકના અકાળ મોત નિપજ્યા

    5 days ago

    પૂર્વ કચ્છમાં અકસ્માતે મોતની બે ઘટના સામે આવી છે.જેમાં ભચાઉ નજીક હોટલ પાછળ ટ્રકની તાડપત્રી ખોલવા ચડેલો યુવક વીજ લાઈનને અડી જતા કરંટ લાગ્યો હતો જ્યારે મોડવદરની કંપનીમાં લાકડા કાપતા સમયે મશીનમાં કરંટ લાગતા ગંભીર ઈજાઓથી મોત નીપજ્યું હતું. ભચાઉ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના 40 વર્ષીય અરવિંદભાઈ હરીભાઈનું વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું. બનાવ 7 મેના રાત્રે સાડા અગિયાર વાગ્યાના અરસામાં બન્યો હતો.હતભાગી યુવક ગોલ્ડન હોટલની પાછળ આવેલ પરફેક્ટ મિનરલ કંપનીની બહાર પોતાની ટ્રક નંબર જીજે 36 વાય 3648 વાળીની ઉપર ચડી તાડપત્રી ખોલતો હતો.એ દરમિયાન ઉપરથી પસાર થતી મેઈન લાઈનને અડી જતા કરંટ લાગ્યો હતો અને ગંભીર ઈજાથી મોત નીપજ્યું હતું.જે મામલે ભચાઉ પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ અંજાર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ 29 વર્ષીય રવીશકુમાર સુરેશ યાદવનું પણ અકસ્માતે મોત થયું હતું.બનાવ 7 મેના બપોરે ત્રણ વાગ્યાના અરસામાં બન્યો હતો.હતભાગી યુવક ગ્રીન ગોલ્ડ બેન્સાની પાછળ આવેલ બંસલ કંપનીમાં લાકડા કાપ્ડતો હતો.એ દરમિયાન મશીનમાં કરંટ લાગતા ગંભીર ઈજાઓ થવાથી તેનું મોત થયું હતું.જે મામલે અંજાર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સક્રિયતા:અંજાર પોલીસે અપહરણ થયેલી સગીરાને બાંગ્લાદેશ સરહદેથી શોધી પરિવારને સોંપી
    Next Article
    મધ્યપ્રદેશના કુનો બાદ હવે ગુજરાત બનશે બીજું ‘ચિત્તા સ્ટેટ’:બન્નીના મેદાનોમાં જુલાઈ-ઓગસ્ટમાં 4 આફ્રિકન ચિત્તાનો પુન : ગૃહપ્રવેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment