Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં વિકરાળ આગ:ધુમાડાના ગોટેગોટા ઊડતાં ભાગદોડ, 5 કલાકની મથામણ બાદ કાબૂ; પ્લાસ્ટિકની ખુરશીઓ-ટેબલ અને વાયરિંગ સહિતનો માલસામાન બળીને ખાખ

    13 hours ago

    સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી કેપિટલ સ્ક્વેરની પાછળ મહાવીર કેમ્પસમાં પતરાના શેડમાં ચાલતા પ્લાસ્ટિકના ફર્નિચરના ગોડાઉનમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં જ્વલનશીલ પ્લાસ્ટિકનો જથ્થો હોવાથી જોતજોતામાં આગે અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આકાશમાં કાળાડિબાંગ ધુમાડાના ગોટેગોટા ઊડવા લાગતાં જ આસપાસના વિસ્તારમાં અને ગોડાઉનમાં હાજર લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને લોકો જીવ બચાવવા દોડધામ કરવા લાગ્યા હતા. ફાયરની 10થી 12 ગાડીઓએ 5 કલાકે આગ પર કાબૂ મેળવ્યો આગની ગંભીરતાને જોતાં ઘટનાસ્થળેથી તાત્કાલિક ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના 8 જુદા જુદા ફાયર સ્ટેશનોમાંથી 10થી 12 જેટલી ગાડીઓ સાથે ફાયર ઓફિસર અને લશ્કરોનો મોટો કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો. ફાયરના જવાનોએ ચારેય તરફથી સતત પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું. આશરે 5 કલાકની ભારે જહેમત અને કડક મથામણ બાદ ફાયર ફાઇટરો આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં સફળ રહ્યા હતા. બાજુનો શેડ નમી ગયો, લાખોનો સામાન બળીને ખાખ આગની તીવ્રતા અને પ્રચંડ ગરમીના કારણે ગોડાઉનની બાજુમાં આવેલો અન્ય એક ખાલી ગોડાઉનનો પતરાનો શેડ પણ નમી પડ્યો હતો. એટલું જ નહીં, નજીકમાં આવેલા ગોડાઉનમાં રાખેલા કાપડના અમુક ટાંકાઓ સુધી પણ આગની અસર પહોંચતાં તેને પણ નુકસાન થયું હતું. આ ભીષણ અકસ્માતમાં ગોડાઉનમાં રાખેલો પ્લાસ્ટિકની ખુરશીઓનો મોટો જથ્થો, પ્લાસ્ટિકના ટેબલો, ફર્નિચર બનાવવાનું રો-મટીરીયલ્સ, પતરાનો શેડ, પંખા અને ઇલેક્ટ્રિક વાયરિંગ સહિતની તમામ ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. કોઈ જાનહાનિ નહીં થતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. જોકે, ફાયર ઓફિસરે વિગત આપતાં જણાવ્યું હતું કે, સદનસીબે આટલી મોટી અને ભીષણ દુર્ઘટના હોવા છતાં સમયસૂચકતાના કારણે કોઈ પણ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ નથી. જાનહાનિ ટળતાં તંત્ર અને સ્થાનિકોએ મોટી રાહત અનુભવી હતી.
    Click here to Read More
    Previous Article
    ઉમાશંકર જોશીની 115મી જન્મજયંતી ઉજવાઈ:બોટાદ કોલેજમાં ગુજરાતી વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાયો
    Next Article
    ACBના એડિશનલ ડાયરેક્ટર IPS પ્રવીણ માલ સાથે 61 લાખની ઠગાઈ:અમદાવાદમાં ફ્લેટ અપાવવાના નામે રૂપિયા પડાવ્યા, બિલ્ડર દંપતી IAS-IPS અને મંત્રીઓ સાથે સંબંધ હોવાની શેખી મારતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment