Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યાજખોરનો આતંક:કુતિયાણામાં વ્યાજખોરનો આતંક : પોલીસે 2 શખ્સ સામે ગુન્હો નોંધી તપાસ આદરી

    13 hours ago

    ક્રાઇમ રિપોર્ટર | પોરબંદર કુતિયાણામાં એક યુવાને શખ્સ પાસેથી વ્યાજે રૂપિયા 1 લાખ 5 ટકા લેખે લીધા હતા અને કુલ રૂ.1.43 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોર શખ્સોએ યુવાનને માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. મૂળ કુતિયાણાના ખારીજાર વિસ્તારમાં રહેતા અને હાલ પોરબંદર પોલીટેકનિક કોલેજ પાછળ રાધેશ્યામ સોસાયટીમાં રહેતા સરમણ મેરામણ મોઢવાડીયા નામના યુવાને 2024માં કુતિયાણાના રાજુ વેજા બોખીરીયા નામના શખ્સ પાસેથી રૂ.1 લાખ માસીક વ્યાજ દર 5 ટકા લેખે લીધેલ હોય જેના વ્યાજ સહીત ના રૂપિયા રોકડા રૂ.90,000તથા ઓનલાઇન રૂ.53,000 એમ કુલ રૂ.1,43,000આપી દીધેલ હોવા છતા પણ યુવાન પાસેથી શખ્સે અવાર-નવાર ફોન પર વધુ રૂપિયાની માંગણી તેમજ મારી નાખવાની ધમકીઓ આપી વ્યાજના રૂપિયા ઉઘરાવતા હતા અને ગઇ તા.27/6ના રોજ યુવાનને કુતિયાણા ભાદરજાપા વાછરા ડાડાના મંદીર પાસે બોલાવ્યો હતો અને શખ્સે જેમ ફાવેલ તેમ ગાળો કાઢી હતી. યુવાન ભાગવા જતા આરોપી હિનેશ દૂદા ટીંબાએ યુવાનને પકડી રાખી ઢીકાપાટુનો માર મારી શરીરે મુંઢ ઇજા કરી હતી અને આરોપીએ કહેલ કે,મારા વ્યાજ તથા મુડીના પૈસા આજેને આજે આપી દેજે નહીતર જીવતો મારી નાખીશ. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે બંને શખ્સ આમે ગુન્હો નોંધી આગળની તપાસ કુતિયાણા પોલીસ ચલાવી રહી છે. વ્યાજે રૂપિયા બાબતે ખાસ જાણો વ્યાજે નાણાં લેતા પહેલાં ધિરાણ આપનાર પાસે માન્ય મની લેન્ડર (શાહુકાર) લાઇસન્સ છે કે નહીં તેની ખાતરી કરો. દરેક લેવડ-દેવડની રસીદ, બેંક એન્ટ્રી અથવા ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો પુરાવો સાચવી રાખો. કોઈ પણ વ્યક્તિને દેવાની ઉઘરાણી માટે ધમકી આપવાનો, મારપીટ કરવાનો કે દબાણ કરવાનો કાયદેસર અધિકાર નથી. આવી સ્થિતિ સર્જાય તો તરત પોલીસમાં ફરિયાદ કરી શકાય છે. માસિક 5 ટકા વ્યાજ એટલે વાર્ષિક 60 ટકા વ્યાજ જે સામાન્ય બેંક લોનના વ્યાજ કરતાં અનેક ગણું વધુ હોઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    ચેરમેનની નિમણૂક કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું‎:જિલ્લા પંચાયત કમિટીના ચેરમેનની નિમણૂકમાં નિયમોનો ઉલાળિયો
    Next Article
    2.16 લાખ બાળકને પોલિયોનું સુરક્ષા કવચ અપાયું:જિલ્લામાં 28થી 30 જૂન સુધી પલ્સ પોલિયો રસીકરણ યોજાયું‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment