Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જટીલ સર્જરીથી બાળકને અપાયું નવજીવન:એસએસજીમાં 2 દિવસના બાળકની સર્જરી કરી અન્નનળી અને શ્વાસનળી અલગ કરાઈ

    12 hours ago

    સયાજી હૉસ્પિટલના બાળ રોગ વિભાગમાં 2 દિવસના બાળકની જટીલ સર્જરી કરાઈ હતી. બાળકની અન્નનળી અને શ્વાસનળી પરસ્પર જોડાયેલી હતી. સર્જરી બાદ બંને નળી અલગ કરાઈ હતી.બાળકને 24 દિવસ એનઆઈસીયુમાં રાખી સઘન સારવાર કરાઈ હતી. હાલમાં બાળક માતાનું ધાવણ લઈ શકે છે અને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ગોધરાની 24 વર્ષીય મહિલાની પ્રસૂતિ બાદ બાળકને ટ્રેકિઓ-ઈસોફેજિયલ ફિસ્ટ્યુલા નામની ગંભીર બીમારી હોવાનું જણાયું હતું. જેમાં બાળકની અન્નનળી અને શ્વાસનળી જોડાયેલી હોય છે. જેથી તે દૂધ પીએ તે અન્નનળીને બદલે શ્વાસનળીથી ફેફસામાં જવાની શક્યતા રહે છે, જે શિશુ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. બાળકની સ્થિતિની ગંભીરતા જોતાં જન્મના 11 કલાકમાં જ તેને ગોધરાથી સયાજી હૉસ્પિટલના બાળરોગ વિભાગમાં ખસેડાયું હતું. બાળક દાખલ થયું તેના બીજા દિવસે તબીબોએ સર્જરી કરી હતી, તે પછી બાળકને 10 દિવસ મિકેનિકલ વેન્ટિલેટર પર રખાયું હતું. ખાનગી હૉસ્પિટલમાં સારવારનો રોજનો 25 હજારનો ખર્ચ ખાનગી હૉસ્પિટલમાં આવી સારવારનો પ્રતિદિન ખર્ચ 20 થી 25 હજાર જેટલો થતો હોય છે, જ્યારે સર્જરીનો ખર્ચ અલગ થાય છે. જોકે, સયાજી હૉસ્પિટલમાં આ તમામ જટિલ સર્જરી અને 24 દિવસની સઘન સારવાર વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી. એટલું જ નહીં બાળકની માતાને પણ રહેવા-જમવાની પૂરતી સવલતો હોસ્પિટલ દ્વારા આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા જળ સંરક્ષણ અભિયાનની શરૂઆત:સુભાનપુરામાં બોરવેલ રિચાર્જ સિસ્ટમ સ્થાપિત, શહેરમાં 71 સ્થળે કામગીરી થશે
    Next Article
    સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ:વાઘોડિયા રોડની ગાયત્રી ગેસ એજન્સીના ગોડાઉનમાંથી સિલિન્ડરનું બારોબાર વેચાણ, દંડ માટે નોટિસ ફટકારાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment