Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા જળ સંરક્ષણ અભિયાનની શરૂઆત:સુભાનપુરામાં બોરવેલ રિચાર્જ સિસ્ટમ સ્થાપિત, શહેરમાં 71 સ્થળે કામગીરી થશે

    2 days ago

    ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના 71મા જન્મદિન નિમિત્તે વિશેષ જળ સંરક્ષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શહેરના 5 વિધાનસભા વિસ્તારોમાં દરેક વિધાનસભા દીઠ 71 રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરવાની યોજના બનાવાઈ છે. ડૉ. વિજય શાહ દ્વારા આ અભિયાન જન ભાગીદારીથી ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં ઘર તથા ખાનગી એપાર્ટમેન્ટમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરીને વરસાદી પાણીનું સંચય અને ભૂગર્ભ જળસ્તર વધારવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ સાંસદથી તથા ધારાસભ્યોની ગ્રાન્ટ તથા વડોદરા મનપા દ્વારા 10 કરોડના ખર્ચે જાહેર સ્થળોએ રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કાર્યરત કરાશે. સોમવારે સુભાનપુરામાં નવીનસિંહ જેતાવતના નિવાસસ્થાને બોરવેલ રિચાર્જ સિસ્ટમ સ્થાપિત કરી વરસાદી પાણીના સંચયની શરૂઆત કરવામાં આવી હતી. ઇન્દુ ફાઉન્ડેશન વડોદરા શહેરના નાગરિકોને પણ આ જળ સંરક્ષણ અભિયાનમાં જોડાવા માટે આમંત્રણ આપે છે. જેનો ખર્ચ પેટે 50 ટકા-50 ટકા જન ભાગીદારી થકી કોઈપણ વ્યક્તિને પોતાના ઘર કે ખાનગી મિલકતમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરી આપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગોત્રીમાં સંત પ્રેમવત્સલદાસજી દ્વારા સત્સંગ સભા:સવારે ઊઠીને અને રાત્રે સૂતી વખતે ફોનના દર્શન કરવાથી તણાવ વધ્યો
    Next Article
    જટીલ સર્જરીથી બાળકને અપાયું નવજીવન:એસએસજીમાં 2 દિવસના બાળકની સર્જરી કરી અન્નનળી અને શ્વાસનળી અલગ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment