Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મિત્રતા અને સાહિત્યનો અનોખો સંગમ:રાજકોટની રાષ્ટ્રીય શાળામાં 2 વર્ષની બાળકીના હસ્તે પુસ્તકાલયનું ઉદઘાટન, લેખક મિત્રને જન્મદિને લાયબ્રેરીની અનોખી ભેટ

    1 week ago

    રાજકોટની ઐતિહાસિક અને ગાંધીજીના સંસ્કારોથી સિંચાયેલી રાષ્ટ્રીય શાળાની ભૂમિ પર રવિવારની સાંજ એક સુવર્ણ ઇતિહાસની સાક્ષી બની. જાણીતા હાસ્ય કલાકાર અને પદ્મશ્રી જગદીશ ત્રિવેદીએ પોતાના મિત્ર અને લોકપ્રિય લેખક-વક્તા જય વસાવડાના 50મા જન્મદિન નિમિત્તે આપેલું વચન પૂર્ણ કર્યું છે. કોઈ એક સર્જક બીજા સર્જકને જન્મદિનની ભેટ તરીકે આખું પુસ્તકાલય તૈયાર કરી આપે તેવો આ વિશ્વનો પ્રથમ અને બેજોડ કિસ્સો છે. આ પ્રસંગે માત્ર 2 વર્ષની બાળકી પ્રથાના હસ્તે ઉદઘાટન કરાવીને જગદીશ ત્રિવેદીએ સાહિત્ય જગતમાં એક નવો વિશ્વવિક્રમ સ્થાપ્યો છે. 21 કરોડનું દાન કરનાર કલાકારની ઉમદા પહેલ પોતાની 50 વર્ષની ઉંમર બાદ કાર્યક્રમોની તમામ આવક સમાજસેવામાં વાપરવાનો સંકલ્પ કરનાર જગદીશ ત્રિવેદી અત્યાર સુધીમાં 21 કરોડનું દાન કરી ચૂક્યા છે. 3 વખત PhD થયેલા આ વિદ્વાન કલાકારે અઢી વર્ષ પહેલા પૂજ્ય મોરારિબાપુની ઉપસ્થિતિમાં જય વસાવડાના નામનું પુસ્તકાલય બનાવવાની જાહેરાત કરી હતી. જય વસાવડાના માતા-પિતા પ્રત્યેના આદર અને જયના વાચન પ્રેમથી પ્રભાવિત થઈને આ પ્રોજેક્ટ સાકાર કરવામાં આવ્યો છે. આર્કિટેકટ પ્રતીક દઢાણિયાએ જગદીશભાઈના માર્ગદર્શન હેઠળ આ આધુનિક પુસ્તકાલયનું નિર્માણ કર્યું છે. ગાંધીજીના નિવાસસ્થાન પાસે સાહિત્યનું નવું સરનામું રાષ્ટ્રીય શાળામાં જે ઓરડામાં મહાત્મા ગાંધી પોતે રોકાતા હતા, તેની બરાબર બાજુનો રૂમ આ પુસ્તકાલય માટે ફાળવવામાં આવ્યો છે. ઉદઘાટન પ્રસંગે રાષ્ટ્રીય શાળાના સંચાલક જીતુભાઈ ભટ્ટે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ફાળવેલી 2.5 કરોડની ગ્રાન્ટ બાદ સંસ્થામાં ઘણું નવું કામ થયું છે, જેમાં આ લાયબ્રેરી એક નવું ઘરેણું બની રહેશે. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા અને રાજવી માંધાતાસિંહજીએ પણ આ કાર્યને રાજકોટનું ગૌરવ ગણાવ્યું હતું. ભાવુક ક્ષણો અને ગુરુવંદના પોતાના સંબોધનમાં જગદીશ ત્રિવેદીએ જણાવ્યું કે જય વસાવડા કોઈ વિદ્યાલયનું નહીં પણ પુસ્તકાલયનું સંતાન છે. તેમણે આ મૌલિક વિચાર પાછળ પોતાના પુત્ર મૌલિકનો પણ ફાળો હોવાનું સ્વીકાર્યું હતું. સામે પક્ષે જય વસાવડાએ ભાવવિભોર થઈને જણાવ્યું કે તેમના ઘડતરમાં ગોંડલ અને રાજકોટની કોલેજ લાયબ્રેરીઓનો મોટો ફાળો રહ્યો છે. તેમણે પોતાના સ્વર્ગસ્થ ગુરુજનો ડૉ. જે. એમ. મહેતા અને ડૉ. રમેશભાઈ ફુલેત્રાને યાદ કરીને આ લાયબ્રેરીને 'અસ્તિત્વના આશીર્વાદ' ગણાવ્યા હતા. જનમેદની અને મહેમાનોની ઉપસ્થિતિ માત્ર 24 કલાકના સોશિયલ મીડિયા આમંત્રણ પર 650થી વધુ પુસ્તકપ્રેમીઓ ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં મદદનીશ ગ્રંથાલય નિયામક લલિતભાઈ મોઢ, મિલન ત્રિવેદી, અવની વ્યાસ, રશ્મિ ભાલોડિયા, મિતુલ ધોળકિયા, હિરેન કોટક, સંજુ વાળા અને બળવંત જાની જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જયેશભાઈ (બોલબાલા ટ્રસ્ટ) એ કર્યું હતું અને આભારવિધિ ઉદ્યોગપતિ ઈલેશભાઈ ખખ્ખરે કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ગોંડલમાં કેસર કેરીનું 10 કિલોનું બોક્સ ₹5,500માં વેચાયું:યાર્ડમાં પ્રથમ દિવસે 200 બોક્સની આવક; જસાધાર, મોતીસર અને કંટાળાના ખેડૂતોને સારો ભાવ મળ્યો, સીઝન 8 દિવસ વહેલાં શરૂ
    Next Article
    રોજગારીના ધામ સુરતમાં 'ચૂલા' ઠર્યા, હજારોની હિજરત:ગેસની અછત-મોંઘવારીએ શ્રમિકોને વતન જવા મજબૂર કર્યા, કહ્યું-ફ્લેટમાં ચૂલો સળગાવવા દેતા નથી, જમવું શું?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment