Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીરગઢડા ટ્રિપલ અકસ્માતમાં મૃત્યુઆંક 2 થયો:સારવાર દરમિયાન અમરેલીના વૃદ્ધનું ભાવનગર સિવિલમાં મોત, પોલીસ તપાસ ચાલુ

    5 days ago

    ગીરગઢડા તાલુકાના ધોકડવા-બેડીયા રોડ પર ગત રાત્રિના સમયે બે કાર અને એક બાઈક વચ્ચે થયેલા ટ્રિપલ અકસ્માતમાં મૃત્યુઆંક બે પર પહોંચ્યો છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક વૃદ્ધનું સારવાર દરમિયાન ભાવનગરમાં મોત નિપજ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, આ અકસ્માતમાં કારમાં સવાર મૂળ બિલખાના અને હાલ રાજકોટ રહેતા 21 વર્ષીય દેવલભાઈ જગદીશભાઈ ગોહિલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાં ચંપુભાઈ મનુભાઈ શેખવા (ઉંમર 60, રહે. ડાભાળી, જિ. અમરેલી), મિહિરભાઈ ચુડાસમા (ઉંમર 22), બાઈક ચાલક વિપુલભાઈ કનુભાઈ મેવાડા (ઉંમર 30, રહે. આંબડા) અને રાહુલભાઈ વાલજીભાઈ મેવાડા (ઉંમર 22, રહે. આંબડા)નો સમાવેશ થાય છે. ચંપુભાઈ શેખવાની હાલત નાજુક હોવાથી તેમને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ સાથે ટ્રિપલ અકસ્માતમાં મૃત્યુઆંક બે પર પહોંચ્યો છે. હાલ ગીરગઢડા પોલીસ દ્વારા આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Ram Mandir Donation Scam : राम मंदिर में करोड़ों के चंदे की चोरी? | Akhilesh Yadav | Champat rai
    Next Article
    મોરબી મહાનગરપાલિકામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ:શહેરમાં વિકાસ, પારદર્શિતા અને નાગરિક સુવિધા પર ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment