Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છના પશુપાલકોને રાહત:કલેક્ટરે ચારા વિતરણની સંપૂર્ણ યોજના જાહેર કરી, રૂ. 2 પ્રતિ કિલો ઘાસ મળશે

    4 days ago

    કચ્છ જિલ્લામાં ઓછા વરસાદને કારણે ઊભી થયેલી ચારાની અછત વચ્ચે રાજ્ય સરકારે પશુપાલકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ, કચ્છના પશુપાલકોને રાહતદરે સૂકા ઘાસનું વિતરણ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત નાના ખેડૂતો, સીમાંત ખેડૂતો, જમીનવિહોણા પશુપાલકો અને માલધારીઓને સસ્તા દરે ઘાસ ઉપલબ્ધ કરાવાશે. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ આ યોજનાની વિગતો આપતા જણાવ્યું કે, એક ઘાસકાર્ડ દીઠ વધુમાં વધુ પાંચ પશુઓ માટે પ્રતિ પશુ દરરોજ ચાર કિલોગ્રામ સૂકું ઘાસ માત્ર રૂ. 2 પ્રતિ કિલોગ્રામના રાહતદરે આપવામાં આવશે. પશુઓ માટે જરૂરી ચારો સરળતાથી મળી રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. વન વિભાગના વિવિધ ગોડાઉનમાં આશરે 28 લાખ કિલોગ્રામ ઘાસનો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા પશુપાલકોએ પોતાના ગામના તલાટીનો સંપર્ક કરીને જરૂરી આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે. અરજીની ચકાસણી બાદ મામલતદાર કચેરી દ્વારા ઘાસકાર્ડ આપવામાં આવશે. ત્યારબાદ લાભાર્થી પશુપાલકો પોતાના વિસ્તારના નિયત ગોડાઉન પરથી રાહતદરે ઘાસ મેળવી શકશે. કલેક્ટર અનિલ રાણાવસિયાના જણાવ્યા મુજબ, કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી જનપ્રતિનિધિઓ, પશુપાલક મંડળો અને સ્થાનિક આગેવાનો દ્વારા ચારા સંકટ અંગે રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોના આધારે જિલ્લા વહીવટીતંત્રે રાજ્ય સરકારને દરખાસ્ત મોકલી હતી, જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંજૂરી આપી છે. ચોમાસાની અનિશ્ચિત સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવાયેલો આ નિર્ણય કચ્છના હજારો પશુપાલકો માટે આશ્વાસનરૂપ બનશે. સસ્તા દરે ઘાસ ઉપલબ્ધ થતાં પશુધનની જાળવણી સરળ બનશે અને પશુપાલન પર નિર્ભર પરિવારોને આર્થિક રાહત પણ મળશે.
    Click here to Read More
    Previous Article
    ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ:હિલસ્ટેશન સાપુતારામાં પણ મોસમ જામી; આહવા, વધઈ અને સુબીર તાલુકામાં વરસાદથી ખેડૂતોમાં ખુશી
    Next Article
    ઓછું અનાજ આપતા રેશન દુકાનદારોના લાયસન્સ રદ થશે:જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરનો કડક સંદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment