Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેનેડામાં 2 ગુરુદ્વારાને તોડી પાડવાની ધમકી:એક જ નંબર પરથી 2 વાર ધમકીભર્યો ફોન આવ્યો, કેલગરી પોલીસે સુરક્ષા વધારી

    14 hours ago

    કેનેડાના કેલગરી ખાતે મુખ્ય શીખ ધાર્મિક સ્થળ દશમેશ કલ્ચર સેન્ટરને અજાણ્યા લોકોએ ઇમારત તોડી પાડવાની ધમકી આપી છે. સતત આવી રહેલા આ જાતિવાદી અને ધમકીભર્યા ફોન કોલ્સ બાદ ગુરુદ્વારા મેનેજમેન્ટ, સ્થાનિક પ્રશાસન અને પોલીસની ચિંતા વધી ગઈ છે. સાવચેતીના ભાગરૂપે ગુરુદ્વારા સાહિબ પરિસરમાં વધારાના સુરક્ષા ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકોના મતે, તે જ નંબર પરથી કેનેડાના જ સવાના સ્થિત ગોબિંદ સરવર ગુરુદ્વારા સાહિબને પણ આ જ પ્રકારની ધમકી મળી છે. મામલાની ફરિયાદ મળ્યા બાદ કેલગરી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને સમુદાય કે બંનેમાંથી કોઈપણ ગુરુદ્વારા સાહિબને કોઈ સક્રિય જોખમની સંભાવના નથી. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે ધમકી આપનારા લોકો કોણ હતા અને તેમનો હેતુ શું હતો? પહેલાં પાર્કિંગ ખાલી કરવા કહ્યું, પછી ઇમારત તોડી પાડવાની ધમકી દશમેશ કલ્ચર સેન્ટરના ચેરમેન રણબીર સિંહ પરમારે જણાવ્યું કે ગુરુદ્વારા સાહિબની ઓફિસમાં સતત બે શંકાસ્પદ ફોન કોલ્સ આવ્યા. પહેલા કોલમાં અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને ગુરુદ્વારા સાહિબનું પાર્કિંગ ખાલી કરવા કહ્યું. તેણે દાવો કર્યો કે ત્યાં કેટલાક વાયર નાખવાનું કામ કરવાનું છે. જ્યારે, થોડા સમય પછી અન્ય એક વ્યક્તિએ ફોન કરીને પોતાને એક કન્સ્ટ્રક્શન કંપનીનો CEO ગણાવ્યો. તેણે ગુરુદ્વારા પ્રબંધક કમિટીના ચેરમેન રણબીર સિંહ પરમાર સાથે વાત કરી અને સીધા ગુરુદ્વારા ભવનને તોડી પાડવાની ધમકી આપી. રણબીરે જણાવ્યું કે એ જ નંબર પરથી કેનેડાના સવાના સ્થિત ગોબિંદ સરવર ગુરુદ્વારા સાહિબને પણ આવી જ ધમકીભર્યો ફોન આવ્યો હતો. કેલગરી પોલીસ કરી રહી છે મામલાની તપાસ કેલગરી પોલીસ સર્વિસે મીડિયાને આપેલા પોતાના સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ મામલાની સંપૂર્ણ ગંભીરતાથી તપાસ કરી રહ્યા છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ફક્ત દશમેશ કલ્ચર સેન્ટરને જ નહીં, પરંતુ એક અન્ય નજીકના ગુરુદ્વારાને પણ આ જ પ્રકારનો ધમકીભર્યો ફોન કોલ આવ્યો હતો. પોલીસ કોલ કરનાર અજાણ્યા વ્યક્તિઓની ઓળખ કરવા અને નંબર ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહી છે, જેથી એ સ્પષ્ટ થઈ શકે કે આ કોઈ મજાક હતી કે તેની પાછળ કોઈ નફરતભરી માનસિકતા હતી. સમાજ સેવા સાથે જોડાયેલું છે ગુરુદ્વારા સ્થાનિક સંગત અને નિયમિત આવતા લોકોએ ઘટના પર ભારે દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે કહ્યું કે આ ગુરુદ્વારા તમામ ધર્મો માટે ખુલ્લું છે અને સમાજ સેવા, ફૂડ બેંક અને કપડાં વહેંચવા જેવા કામ કરે છે. દુનિયામાં પહેલાથી જ તણાવ છે, આવા સમયે દેશની અંદર નફરત ફેલાવવાને બદલે પ્રેમ રાખવો જોઈએ. મેયર અને નેતાઓને જાણ કરવામાં આવી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુરુદ્વારા કમિટીએ પોલીસની સાથે-સાથે આલ્બર્ટા પ્રાંતના પ્રીમિયરની ઓફિસ, સ્થાનિક કાઉન્સિલરો, સાંસદો અને ધારાસભ્યોને જાણ કરી છે. કેલગરીના મેયર જેરેમી ફારકસે સોશિયલ મીડિયા પર આ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરતા શીખ સમુદાય પ્રત્યે પોતાનો ટેકો વ્યક્ત કર્યો છે. શીખ સંગઠનો અને ગુરુદ્વારા મેનેજમેન્ટનું નિવેદન ગુરુદ્વારા પ્રબંધનના પ્રતિનિધિ અમનપ્રીત સિંહ પરમારે નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે ગુરુદ્વારા કોઈપણ ભેદભાવ વિના બધા માટે ફૂડ બેંક અને કપડાં દાન કરવા જેવા સામાજિક કાર્યો ચલાવે છે. જ્યારે દુનિયામાં પહેલાથી જ આટલા યુદ્ધો ચાલી રહ્યા છે, ત્યારે આપણે દેશની અંદર આંતરિક યુદ્ધો શરૂ ન કરવા જોઈએ, પરંતુ પ્રેમ રાખવો જોઈએ. વળી, દશમેશ કલ્ચર સેન્ટરના ડાયરેક્ટર ઓફ ઓપરેશન્સ રાજ સિદ્ધુએ જણાવ્યું કે ધમકીભર્યા ફોનના સમયે પરિસરમાં મોટી સંખ્યામાં પરિવારો અને બાળકો હાજર હતા. આ ઘટના ચોક્કસપણે પરેશાન કરનારી છે, પરંતુ આ સમય ડરવાનો નથી, પરંતુ એકજૂટ થવાનો અને સંવાદ કરવાનો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ગુરુદ્વારાના દરવાજા હંમેશની જેમ બધી સંસ્કૃતિઓ અને ધર્મોના લોકો માટે ખુલ્લા રહેશે. ગુરુદ્વારા અધ્યક્ષ હરપાલ સિંહ અને અન્ય સભ્યોએ ચિંતા વ્યક્ત કરી કે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી કેટલીક આકરી અને ઉશ્કેરતી નિવેદનબાજીઓ આવી ઘટનાઓને પ્રોત્સાહન આપી રહી છે. તેમણે ફોન કરનાર વ્યક્તિને પણ આમંત્રિત કર્યા કે તે ગુરુદ્વારા આવે અને શીખ સમુદાય વિશે નજીકથી જાણે. કેનેડામાં વસેલા પંજાબી સમુદાયમાં ગુસ્સો જણાવી દઈએ કે, દશમેશ કલ્ચર સેન્ટરનો ઇતિહાસ ગૌરવપૂર્ણ છે અને 46 વર્ષ પહેલાં તેનો પાયો નાખવામાં આવ્યો હતો. આ ગુરુદ્વારા હવે 15 હજારથી વધુ નોંધાયેલા સભ્યો અને કેલગરીના લગભગ એક લાખથી વધુ શીખ પ્રવાસીઓની ધાર્મિક અને સામાજિક જરૂરિયાતો પૂરી કરે છે. આવા ધાર્મિક સ્થળને તોડી પાડવાની ધમકીથી કેલગરી જ નહીં, પરંતુ સમગ્ર કેનેડામાં વસેલા પંજાબીઓમાં ગુસ્સો છે. આ જ કારણ છે કે આ ઘટના પર સ્થાનિક પ્રશાસને પણ કડક વલણ અપનાવ્યું છે. મેયરે ઘટનાની નિંદા કરી કેલગરીના મેયર જેરોમી ફારકાસે પણ આ કાયરતાપૂર્ણ કૃત્યની સખત શબ્દોમાં નિંદા કરતા કહ્યું કે કેલગરીમાં નફરત, ડર કે કટ્ટરતા માટે કોઈ સ્થાન નથી. તેમણે શીખ સમુદાય પ્રત્યે પોતાની સંવેદના અને સમર્થન વ્યક્ત કરતા કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનો ભરોસો આપ્યો છે. હાલમાં, દશમેશ કલ્ચર સેન્ટર અને અન્ય ગુરુદ્વારામાં વધારાના ખાનગી સુરક્ષાકર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે અને અવર-જવર કરતા વાહનો પર સઘન નજર રાખવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગટર ઉભરાતાં ખાડામા વાહનો ફસાયા:દુષિત પાણી ભરેલા ખાડા જોખમી બનવા લાગતાં સાવચેતીના ભાગરૂપે લોકોએ મધરાત્રે સલામતીની આડશો મૂકી
    Next Article
    યુવકે છેડતી કરતાં કિન્નરે વાળ પકડી બે લાફા ઝીંક્યાં:દશામાની મૂર્તિ વિસર્જનમાં ડીજેના તાલે નાચતી વખતે બબાલ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment