Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કિશોરીને હેરાન કરવા બદલ યુવકની હત્યા:પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીની ધરપકડ કરી; એક જ સમાજ અને ગામના હોવાથી 2 મહિના પહેલાં ઘરમેળે સમાધાન કર્યું હતું

    1 week ago

    અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં એક યુવકની હત્યાનો બનાવ બન્યો છે. સગીર વયની યુવતીને હેરાન કરવાના મામલે યુવતીના પરિવારે યુવક રાજેશ લક્ષ્મણભાઈ બાંભણીયાની હત્યા કરી હતી. આ ઘટના બાદ જાફરાબાદ પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ ફરિયાદ મુજબ, મૃતક રાજેશ બાંભણીયા સ્થાનિક સગીર વયની યુવતીને અવારનવાર પરેશાન કરતો હતો. આ બાબતે યુવતીના પરિવારજનોને શંકા હતી. બે મહિના પહેલાં ડૂંડાણી ગામે મેળામાં પણ આ મુદ્દે બંને પક્ષો વચ્ચે સામાન્ય વિવાદ થયો હતો, પરંતુ એક જ સમાજ અને ગામના હોવાથી ઘરમેળે સમાધાન કરવામાં આવ્યું હતું. જોકે, ફરી એકવાર રાત્રિના સમયે રાજેશ મોટરસાયકલ લઈને સગીરાના ઘર પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે યુવતીના પરિવારજનોએ તેને રોક્યો હતો. આરોપીઓ ઘેલાભાઈ સોલંકી, કુંવરબેન સોલંકી, રોહિત સોલંકી અને સગીર વયની દીકરીએ એકસંપ થઈને રાજેશને પ્રથમ એક ડેલામાં પૂરી દીધો હતો. આ પરિવારે રાજેશ પર લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા રાજેશને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ જાફરાબાદ પોલીસ અને અમરેલી SPની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમો સક્રિય થઈ હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ ઘેલાભાઈ સોલંકી, કુંવરબેન સોલંકી અને રોહિત સોલંકી એમ ત્રણ પુખ્ત આરોપીઓને ઝડપી લીધા હતા. સગીર વયની યુવતી પણ કાયદાના સંઘર્ષમાં આવી છે. જાફરાબાદ પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને વધુ પુરાવા એકત્ર કરવા માટે તપાસ ચાલી રહી છે. પોલીસે આ મામલે કડક કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી છે. રાજુલાના DYSP નયના ગોરડીયાએ જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, પ્રેમસંબંધ અથવા કોઈ શંકાકુશંકા હોય તો ઘરમેળે સમાધાન કરવાને બદલે પોલીસની મદદ લેવી જોઈએ. તેમણે લોકોને કાયદો હાથમાં ન લેવા અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ડૉ. શૈલાબેન શાહનું પાળીયાદ પાંજરાપોળને એક લાખનું અનુદાન:ભાવનગરના ડૉ. શૈલાબેન શાહે ગૌશાળા ટ્રસ્ટની મુલાકાત લીધી
    Next Article
    '16 દિવસ...ઉપર આભ, નીચે ધરતી સિવાય વિકલ્પ નહીં':'સ્વૈચ્છિક ડિમોલિશન' સાબિત કરવા પીડિતો પર દબાણનો કોંગ્રેસનો આક્ષેપ, સુરતમાં સાયકલવાળાએ કહ્યું આર્થિક પ્રલોભનો અપાય છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment