Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાવરકુંડલાનું મમતા ઘર:130 નિરાધાર બાળકો માટે આશરો અને શિક્ષણનો આધાર પણ બન્યું

    3 days ago

    સાવરકુંડલા શહેરમાં રહેતા અને હાલ ટ્રેજરી વિભાગમાં ફરજ બજાવતા મંજુલાબેન દુધરેજિયાએ સમાજસેવાનું અનોખું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. સેવા કરવાની ભાવના ધરાવતા મંજુલાબેને એક વર્ષ પહેલાં બાળકોને સુરક્ષિત આશરો , ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્યના હેતુથી નિરાધાર અને અભ્યાસથી વંચિત બાળકો માટે મમતા ઘરની શરૂઆત કરી હતી. હાલ મમતા ઘરમાં 7 જેટલા બાળકો રહી રહ્યા છે. અહીં તેમને રહેવા, જમવા તેમજ શિક્ષણની સંપૂર્ણ નિઃશુલ્ક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એટલું જ નહીં આસપાસના વિસ્તારોમાં રહેતા અને આર્થિક રીતે નબળા પરિવારોના 130 જેટલા બાળકોને પણ મફત ટ્યુશન ક્લાસ આપવામાં આવે છે. અહીં કોઈ બાળક આર્થિક સંજોગોના કારણે અભ્યાસથી વંચિત રહે નહી. મંજુલાબેન દુધરેજીયાએ જણાવ્યું હતું કે શિક્ષણ બાળકના જીવનનો સૌથી મજબૂત પાયો છે. આ વિચાર સાથે તેમણે મમતા ઘરની શરૂઆત કરી હતી. તેઓ માને છે કે યોગ્ય શિક્ષણ અને સંસ્કાર દ્વારા બાળકોનું જીવન બદલાઈ શકે છે અને તેઓ સમાજમાં સન્માનપૂર્વક આગળ વધી શકે છે. મમતા ઘર આજે બાળકો માટે ઉજ્જવળ ભવિષ્યનું કેન્દ્ર મંજુલાબેન દુધરેજિયાની આ પહેલ માત્ર એક સેવાકીય પ્રવૃત્તિ નથી. પરંતુ સમાજ માટે પ્રેરણારૂપ ઉદાહરણ છે. નિરાધાર અને જરૂરિયાતમંદ બાળકોના જીવનમાં શિક્ષણનો દીવો પ્રગટાવી તેઓ માનવતાની સાચી સેવા કરી રહ્યા છે. સાવરકુંડલાનું મમતા ઘર આજે અનેક બાળકો માટે આશા, સ્નેહ અને ઉજ્જવળ ભવિષ્યનું કેન્દ્ર બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    શેત્રુંજીને બચાવવા સુરત, અમદાવાદના લોકો પણ વતનમાં પહોંચ્યા:સરંભડામાં રેત માફિયાઓ સામે નદીના પટમાં ગામના લોકોએ રામધૂન બોલાવી
    Next Article
    How Ferran Torres Scored World Cup-Winning Goal In 106th Minute For Spain

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment