Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં 19 વર્ષીય પાટીદાર યુવકનો આપઘાત:કોલેજના પ્રથમ વર્ષમાં ભણતા કિર્તને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી, પટેલ પરિવારે વહાલસોયો દીકરો ગુમાવ્યો

    12 hours ago

    ગાંધીનગરના ઉવારસદમાં રહેતા 19 વર્ષીય કોલેજિયન યુવકે પોતાના ઘરે પંખે દુપટ્ટો બાંધી અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. આ બનાવના પગલે જુવાનજોધ દીકરાના મોતના સમાચારથી પટેલ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. સમગ્ર મામલે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કિર્તન પટેલે પોતાના રૂમમાં પંખે લટકી આપઘાત કર્યો પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીનગરના ઉવારસદ ગામમાં આવેલી ઉમિયાનગર સોસાયટીમાં રહેતા 19 વર્ષીય કિર્તન રાજેન્દ્રભાઈ પટેલે 18 માર્ચના રોજ આપઘાત કરી લીધો હતો. કિર્તન કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. વહેલી સવારે કિર્તન તેના પિતા રાજેન્દ્રભાઈ સાથે તેમના પાર્લર પર ગયો હતો. ત્યાંથી થોડીવારમાં ઘરે પરત ફરી તે સીધો જ પોતાના રૂમમાં જતો રહ્યો હતો. તે સમયે તેની માતા ઘરકામમાં વ્યસ્ત હતી. દીકરાને લટકતો જોઈ પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ આ દરમિયાન કિર્તન લાંબા સમય સુધી રૂમમાંથી બહાર ન નીકળતા માતાએ દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ અંદરથી કોઈ જવાબ મળ્યો નહોતો. જેથી ગભરાયેલી માતાએ તાત્કાલિક પિતા રાજેન્દ્રભાઈને જાણ કરી હતી. રાજેન્દ્રભાઈ ઘરે દોડી આવ્યા હતા અને રૂમનો દરવાજો તોડી અંદર જોતા જ કિર્તન પંખે દુપટ્ટો બાંધીને લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. દીકરાને પંખે લટકતો જોઈ પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. યુવકે કયા કારણોસર આત્મહત્યા કરી તે જાણી શકાયું નથી આ બનાવની જાણ થતા જ અડાલજ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતકની લાશનું પંચનામું કરી તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. આ અંગે અડાલજ પોલીસ સ્ટેશનના અધિકારી સજ્જનબેન મકવાણાએ જણાવ્યું હતું કે, યુવકે કયા કારણોસર આત્મહત્યા કરી તે હજુ જાણી શકાયું નથી. હાલ પરિવારમાં ભારે આક્રંદ હોવાથી પૂછપરછ બાકી છે. મૃતકની બહેન વિદેશમાં છે. ઉપરાંત કોઈ સુસાઇડ નોટ પણ મળી આવી નથી.
    Click here to Read More
    Previous Article
    મોડલ રોડ બનશે:શહેરમાં રોડની અદ્યતન ડિઝાઇન સાથે નવા સાત રોડને ડેવલોપમેન્ટ કરવામાં આવશે
    Next Article
    ગંભીરા બ્રિજ પરનો વાહનવ્યવહાર હવે શરૂ થશે:ફેબ્રિકેટેડ ટેકનોલોજીની મદદથી લિંક સ્પાન લગાવવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment