Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાણી ભરાવવાની સમસ્યાનો આવશે અંત:19 કરોડના ખર્ચે વરસાદી પાઈપલાઈનની નંખાશે

    1 day ago

    પાટણ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા હજારો નગરજનોની વર્ષો જૂની વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે પાટણ નગરપાલિકા અને GUDC દ્વારા 19 કરોડના ખર્ચે વિવિધ વિસ્તારોમાં નવી પાઈપલાઈન નાખવાનું આયોજન હાથ ધરાયું છે. શુક્રવારે શહેરના ચાર મુખ્ય પોઈન્ટ્સ પર આ કામોના ખાતમુહૂર્ત સાથે મજબૂત ડ્રેનેજ નેટવર્ક ઊભું કરવાના આ કામો શરૂ કરવા ખાતમુહૂર્ત કરાશે. આ પ્રોજેક્ટ હેઠળ માહી સોસાયટી, અંબાજી નેળિયું, પીતાંબર તળાવ અને રેલવે ગરનાળા જેવા સંવેદનશીલ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં અત્યાર સુધી સામાન્ય વરસાદમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં હતા, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. હવે આ લાઈનો સીધી સરસ્વતી નદી અને આનંદ સરોવર સાથે કનેક્ટ કરાશે, જેથી ગણતરીની મિનિટોમાં જ પાણીનો નિકાલ થઈ જશે. ધનાવાડા છાપરા અને બી.ડી.હાઈસ્કૂલ જેવા શૈક્ષણિક વિસ્તારોમાં પણ આ સુવિધા મળતા વિદ્યાર્થીઓને ચોમાસામાં પડતી મુશ્કેલીઓનો અંત આવશે.
    Click here to Read More
    Previous Article
    ગેસ એજન્સી પર લોકોની લાંબી લાઈનો લાગી:પાટણમાં ગેસ સિલિન્ડરની આવકમાં 20%નો ઘટાડો અને બુકિંગમાં વધારો
    Next Article
    સમીમાં ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ યોજાયો:પ્રાકૃતિક ખેતી એ માત્ર પર્યાવરણ નહીં પણ ખેડૂતોની આર્થિક ઉન્નતિનો માર્ગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment