Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:ગર્ભવતી પત્નીના આંસુઓએ પતિને બદલી નાખ્યો, અનૈતિક સંબંધ છોડીને માફી માગી, 181ની ટીમે પરિવાર વિખેરાતો બચાવ્યો

    10 hours ago

    શહેરમાં પરિવારિક સંબંધોની નાજુક સ્થિતિ દર્શાવતો અને સાથે જ સમયસર લેવાયેલા યોગ્ય પગલાંથી એક તૂટતું ઘર બચી શકે છે એવો સંદેશ આપતો એક હૃદયસ્પર્શી બનાવ સામે આવ્યો છે. રાજકોટની એક પરિણીતાએ પોતાના પતિના અનૈતિક સંબંધોથી કંટાળી અંતે મદદ માટે હાથ લંબાવ્યો હતો. અંદાજે 10 વર્ષના લગ્નજીવન પછી વિશ્વાસમાં પડેલી તિરાડે પરિવારને તોડી નાખવાની સ્થિતિ ઊભી કરી હતી. પરિસ્થિતિ એટલી વણસી ગઈ હતી કે સાત મહિનાની ગર્ભવતી પત્નીને પણ ઘર છોડીને જવા કહેવામાં આવતું હતું. પીડિતાના જણાવ્યા મુજબ, છેલ્લા લગભગ 11 મહિનાથી તેમના પતિનો અન્ય મહિલા સાથે સંબંધ હતો. આ મુદ્દે ઘરમાં વારંવાર ઝઘડા થતા અને દરેક વખતે પત્ની સમાધાન માટે પ્રયત્ન કરતી, પરંતુ પતિ પર તેની કોઈ અસર પડતી નહોતી. ગર્ભાવસ્થાની સંવેદનશીલ પરિસ્થિતિમાં પણ મહિલાએ સતત માનસિક ત્રાસ સહન કરવો પડતો હતો. અંતે પરિસ્થિતિ કાબૂ બહાર જતી હોવાને કારણે મહિલાએ મદદ માગી. ઘટનાના દિવસે પતિ અન્ય મહિલાને મળવા ગયા હોવાની જાણ થતાં, પત્નીએ હિંમત ભેગી કરી અને બંનેને સામસામે બેસાડી વાત કરવાનો નિર્ણય લીધો. આ દરમિયાન સમજણ અને સંવાદનો એવો માહોલ સર્જાયો કે પતિને પોતાની ભૂલનો અહેસાસ થયો. ગર્ભવતી પત્નીની સ્થિતિ અને તેના દુઃખ સામે તેઓ નમ્યા. તેમણે પોતાની ભૂલ સ્વીકારી પત્ની પાસે માફી માગી અને ભવિષ્યમાં આવું ન થાય તેની ખાતરી આપી. ઘટનામાં જોડાયેલી ટીમે પણ શાંતિપૂર્વક બંને પક્ષને સમજાવ્યા, પતિને તેમના પરિવાર પ્રત્યેની જવાબદારીનું ભાન કરાવ્યું અને સંબંધોમાં વિશ્વાસનું મહત્વ સમજાવ્યું. આખરે, પત્નીએ પણ વિશાળ દિલ રાખીને પતિને માફ કરી અને સંબંધને બીજી તક આપી. આ બનાવ માત્ર એક પરિવારની કહાની નથી, પરંતુ સમાજ માટે વિચારવા જેવી વાત છે, સંબંધોમાં તિરાડ પડ્યા પછી પણ સમજણ અને સંવાદથી પરિવારને બચાવી શકે છે. સમયસર લેવાયેલો નિર્ણય સંબંધ માટે નવી તકરૂપી બને છે દાંપત્ય જીવનમાં તણાવ કે ગેરસમજ ઊભી થાય ત્યારે તેને અવગણવા કરતા સમયસર વાતચીત અને માર્ગદર્શન લેવું જરૂરી છે. આ બનાવ બતાવે છે કે યોગ્ય સમયે સહારો લેવાથી તૂટતાં સંબંધો પણ ફરી જોડાઈ શકે છે. સંવાદ, સમજણ અને જવાબદારી આ ત્રણ બાબતો જ પરિવારને બચાવવાનો સાચો આધાર બને છે.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:શાહ બોલ્યા- જે હથિયાર ઉપાડશે, તે કિંમત ચૂકવશે; ટ્રમ્પ બોલ્યા- સમજૂતી નહીં તો ઈરાન ખતમ, PM મોદી આજે ગુજરાતમાં
    Next Article
    મંત્રમુગ્ધ કરી દેશે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ:કોબાનું મ્યુઝિયમ જોવાનું નહિ, અનુભવવાનું છે, અહીં 800થી 1400 વર્ષ જૂની મૂર્તિઓ છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment