Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિવૃત્ત વૃદ્ધના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું:બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમાથી તિજોરી તોડી સોના-ચાંદી અને રોકડ સહિત 1.80 લાખની ચોરી, પાડોશીએ ખુલ્લો દરવાજો જોઈ જાણ કરી

    5 days ago

    વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં રહેતા નિવૃત્ત વૃદ્ધ તેમના પત્ની સાથે દીકરા પાસે બેંગ્લોર ગયા ત્યારે તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં રાખેલી તિજોરીના લોકરનું તાળું તોડીને અંદર રહેલા સોનાના દાગીના, ચાંદીની લગડી અને રોકડ રકમ મળી કુલ 1.80 લાખ રૂપિયાની માલમત્તાની ચોરી કરી તસ્કરો ભાગી ગયા હતા. પડોશીએ ઘરનો દરવાજો ખુલ્લો હોવાનું ધ્યાનમાં આવતા પરિવારને જાણ કરી હતી. ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો અને તાળું તૂટેલું હોવાનું જોઈ પાડોશીએ જાણ કરી વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલ માધવબાગ નજીક કૃષ્ણ શાંતિ સોસાયટીમાં રહેતા 67 વર્ષીય મહેશભાઈ રમેશચંદ્ર પંડ્યાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તેઓ અને તેમની પત્ની 29 મેના રોજ બેંગ્લોર ખાતે રહેતા પુત્ર દેવલ પાસે ગયા હતા. આ દરમિયાન ઘરના ફૂલછોડની સંભાળ માટે એક પરિચિત મહિલાને જવાબદારી સોંપવામાં આવી હતી. 12 જૂનની સાંજે તેઓ ફૂલછોડને પાણી આપી ગયા બાદ બીજા દિવસે સવારે પડોશી શીખાબેન શાહે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો અને તાળું તૂટેલું હોવાનું જોઈ મહેશભાઈની પત્નીને જાણ કરી હતી. કુલ 1.80 લાખ રૂપિયાની માલમત્તા ઘરમાંથી ગાયબ હતી ત્યારબાદ પરિવારજનોએ ઘરે પહોંચી તપાસ કરતાં મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો તેમજ ઘરના સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. બેડરૂમમાં રહેલી તિજોરીનું લોકર તોડી અંદરથી 15 ગ્રામ વજનની સોનાની ચેઇન, 500 ગ્રામ વજનની ચાંદીની લગડી અને 10 હજાર રૂપિયા રોકડ મળી કુલ 1.80 લાખ રૂપિયાની માલમત્તા ગાયબ હતી. આ બનાવ અંગે પોલીસે અજાણ્યા ચોરો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં 500થી વધુ શિક્ષકોની વિશાળ રેલી:TET પરીક્ષા રદ કરવા સહિતની વિવિધ માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
    Next Article
    મોરબીમાં કલેક્ટર કચેરીએ શિક્ષકોના ધરણા:2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોને ટેટમાંથી મુક્તિ, પ્રમોશનના હક્કો જાળવવા રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment