Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાંડેસરામાં 18 વર્ષીય યુવકે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું:પરિજનો સાથે હસી-મજાક કરી જમ્યો અને રાત્રે રૂમમાં આપઘાત કર્યો

    6 days ago

    આર્થિક રાજધાની ગણાતા સુરત શહેરમાં આપઘાતના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને શ્રમિક વિસ્તારોમાં માનસિક તણાવ અથવા અગમ્ય કારણોસર યુવાનો મોતને વહાલું કરી રહ્યા છે. આવી જ એક હૃદયદ્રાવક ઘટના પાંડેસરા વિસ્તારમાં સામે આવી છે, જ્યાં 18 વર્ષના એક યુવકે ફાંસી લગાવી આત્મહત્યા કરી લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પરિવારને સવારે બારીમાંથી જોયું તો યુવક લટકતો હતો પાંડેસરા વિસ્તારમાં આવેલા બાપુનગર ફેઝ-2માં રહેતા શિવમ રાજેશ કુશવાહ (ઉં.વ.18)એ શુક્રવારે મોડીરાત્રે પોતાના ઘરે ફાંસી લગાવી લીધી હતી. ઘટના સમયે પરિવારના ઊંઘી રહ્યો હતો, સવારમાં દરવાજો ખટખટાવતા શિવમે દરવાજો ન ખોલતા બારીમાંથી જોયું તો તેણે ફાંસી લગાવી લીધી હતી. ઘરના પરિવારની નજર તેના પર પડી ત્યારે તેને તાત્કાલિક નીચે ઉતારી સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પરંતુ તેનું પ્રાણ પંખીડુ ઉડી ગયું હતું, તેથી તેને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. શિવમ પાંડેસરાની એક ડાઈંગ મિલમાં મજૂરી કરતો હતો મૃતક શિવમ મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો અને રોજીરોટી કમાવવા માટે પરિવાર સાથે સુરતમાં સ્થાયી થયો હતો. તે પાંડેસરાની એક ડાઈંગ મિલમાં મજૂરી કામ કરતો હતો. માત્ર 18 વર્ષની નાની ઉંમરે તે મિલમાં સખત પરિશ્રમ કરી પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. રમતિયાળ સ્વભાવના અને મહેનતુ પુત્રના અકાળે અવસાનથી માતા-પિતા અને ભાઈ-ભાંડુઓ ઘેરા શોકમાં ડૂબી ગયા છે. પડોશીઓના જણાવ્યા મુજબ, શિવમ સ્વભાવે શાંત હતો અને તેની આત્મહત્યાના સમાચારથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અમે એકવાર તેના ઘરે જોવા ગયા તો તે સૂતો હતોઃ પાડોશી પાડોશી કુશવાહા ગોલુ રાકેશે જણાવ્યું હતું કે, આ ઘટના પાંડેસરા GIDC બાપુનગરમાં બની હતી. રાત્રે તે પહેલા અમારા ઘરે આવ્યો હતો, હસીને વાત કરી, જે પણ થોડું-ઘણું જમવાનું હતું તે જમ્યો અને પછી પોતાના ઘરે જતો રહ્યો. ત્યારબાદ તે સૂઈ ગયો હતો. અમે એકવાર તેના ઘરે જોવા ગયા તો તે સૂતો હતો. પછી તેના મોટા ભાઈએ મોબાઈલ એક્સચેન્જ કર્યો. ત્યારબાદ અમે પણ ઘરે જઈને સૂઈ ગયા હતાં. સવારે 9 વાગ્યે અમે દરવાજો ઘણો ખખડાવ્યો પણ તેણે ખોલ્યો નહીં. પછી બારીમાંથી જોયું તો તેણે ફાંસી લગાવી લીધી હતી. અમને બીજું કંઈ લાગતું નથી, તેણે અમને કંઈ જણાવ્યું પણ નહોતું અને બીજી કોઈ સમસ્યા વિશે પણ વાત કરી નહોતી.
    Click here to Read More
    Previous Article
    એનિમલ લાઈફ કેર દ્વારા ચકલીના માળાનું વિતરણ:પરિમલ ગાર્ડન, ગુજરાત વિદ્યાપીઠ અને શહેર વિસ્તારોમાં મફત વિતરણ કરાયું
    Next Article
    અમદાવાદના ખોડીયાર ગામે હનુમાનદાદા પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment