Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:...માત્ર કાગળ પર પહોંચાડી નર્મદા; 18 ગામને જૂઠાણાંનું પાણી પણ એજન્સીને લાખોના પેમેન્ટ

    2 days ago

    ગુજરાતમાં નર્મદાનું પાણી પહોંચાડવાના દાવા વચ્ચે અમદાવાદ જિલ્લાના બાવળા, ધોળકા અને સાણંદ તાલુકાના 18 ગામમાં એવો કૌભાંડ સામે આવ્યો છે કે, સરકારી ફાઈલોમાં લોકો પાણી પી ગયા, પરંતુ વાસ્તવમાં આજે પણ મોટાભાગના ગામના લોકો બોર અને સ્થાનિક સ્ત્રોત પર નિર્ભર છે. ભાસ્કરની તપાસમાં ખુલ્યું છે કે પાણીના સમ્પ નથી, જ્યાં પાઇપલાઇનનું જોડાણ જ નથી અને જ્યાં પાણી પહોંચ્યું જ નથી ત્યાં પણ કામ પૂર્ણ બતાવી દેવાયું. એટલું જ નહીં, અધિકારીઓએ 100 ટકા ચેકિંગનો રિપોર્ટ આપી એજન્સીને બે વર્ષના મેન્ટેનન્સના લાખો રૂપિયા પણ ચૂકવી દીધા છે. એટલું જ નહીં રૂ.15 કરોડની યોજનામાં એજન્સીને અંદાજિત ખર્ચ કરતાં રૂ.60 લાખ ઉંચા દરે કામ સોંપાયું હતું. ગુજરાત વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડ દ્વારા વર્ષ 2019માં મહેસાણાની વી.એચ.પટેલ એજન્સીને 18 મહિનાની મર્યાદામાં બાવળા, ધોળકા અને સાણંદ તાલુકાના ગામોમાં નર્મદાનું પાણી પહોંચાડવા પીવીસી લાઇન નાંખવા, અંડરગ્રાઉન્ડ સમ્પ બનાવી જોડાણ આપવાનું કામ સોંપાયું હતું. એજન્સીએ આ કામ વર્ષ 2021માં પૂર્ણ થયું હોવાનું બતાવી કુલ 1 લાખથી વધુ વસતીને પાણી પહોંચાડી પણ દીધું ! જેમાં 18 ગામ તો એવા છે જે આજે પણ પાણી માટે પોતાના સ્થાનિક બોર કેટાંકી ઉપર નિર્ભર છે. ભાસ્કરની તપાસમાં બાવળાના લીલીયાપરામાં આ યોજનાના 3 વર્ષ બાદ નવો સમ્પ બન્યો છે તો ધોળકાના ખાત્રીપુરમાં તો એક સ્ટેન્ડ મૂકી 4 નળ ગોઠવી દેવામાં આવ્યા છે. સાણંદના વિછીયા, જોલાપુર, ચરલ, બોળ, ખોડા હીરાપુર અને કુંડળ ગામોને પીવાના પાણીના સંપમાં કનેક્શન જ આપવામાં આવ્યું નથી. આ અંગે અમદાવાદ જિલ્લાના પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક રિતેશભાઇ પટેલના જણાવ્યા અનુસાર હાલ અમદાવાદ જિલ્લાના 300 ગામોને નર્મદાનું પાણી મળે છે. આમ હજુ 250થી વધુ ગામોમાં નર્મદાનું પાણી પહોંચ્યું નથી તે સ્પષ્ટ થાય છે.લીલીયાપુરા, આંબલીયારા અને ખાત્રીપુર આજે બોર ઉપર નિર્ભરધોળકાના ખાત્રીપુરામાં વસતી કરતાં મોટો સમ્પ બનાવવાનો વિરોધ થયો હતો. જગ્યાના અભાવે સમ્પ બનાવવામાં આવ્યો નથી માત્ર એક સ્ટેન્ડ મૂકી 4 ચકલીઓ ગોઠવી દેવામાં આવી છે. તો બાવળાના લીલીયાપુરામાં હજુ ગામ સુધી લાઇન પહોંચી નથી. સમ્પ પણ 2 વર્ષ પહેલાં જ બન્યો છે. જેમાં હજુ લાઇનનું જોડાણ અપાયું નથી. તો આંબલીયામાં 6 મહિના પહેલાં નવો સંપ બનાવ્યો છે જેમાં હજુ લાઇટ કનેક્શન અપાયું નથી. દસ્તાવેજોમાં સાણંદ, બાવળા અને ધોળકા તાલુકાની 61,243 વસતીને નર્મદાનું પાણી મળતું બતાવાયું છે કૌભાંડ ઉપર પરદો પાડવા બીજુ કૌભાંડ આચર્યું વી.એચ.પટેલ એજન્સીને 2 વર્ષ નિભાવણી સાથે કામ સોંપાયું હતું. બોર પર નિર્ભર ગામોમાં પાણી પહોંચી ગયાનું બતાવી બિલ બનાવી દેવાયા. મેઇન્ટનન્સ પેટે 19.20 લાખ બિલ મુક્યું હતું. જે 100 ટકા ચકાસણીનો રિમાર્ક આપ્યા બાદ કપાત બાદ 8.80 લાખ ચૂકવાયું હતું. લાઇન નથી, પાણી નથી છતાં પેમેન્ટ થઈ ગયું. ભાસ્કરની સ્થળ તપાસમાં અનેક ગામોમાં 100% ચેકિંગ કરનાર અધિકારી કોણ? અમદાવાદ જિલ્લા પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર રાજદેવ બ્રહ્મભટ્ટ, બાવળા પેટા વિભાગ કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેર સમીર ચૌધરી અને મદદનીશ ઇજનેર નટવર સિંધ
    Click here to Read More
    Previous Article
    બહુચરાજી એસટી બસ સ્ટેન્ડમાંથી બાઇકની ચોરી:પશુ ડૉક્ટર પાર્ક કરીને નોકરી પર ગયા હતા, પરત આવતા ચોરાઈ ગયુ હતું
    Next Article
    ભેળસેળિયા તત્ત્વો પર મનપાની ધોંસ યથાવત્:વાસી મલાઈ ઉપરથી ફૂગ કાઢી ગ્રાહકોને વેચાતી હતી, 500 કિલો જથ્થો પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment