Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં વાતાવરણમાં પલટો, ખેડૂતોને પાક નુકસાનની ચિંતા:વાદળછાયા વાતાવરણથી ઠંડક, રાજ્યમાં 18-19 માર્ચે કમોસમી વરસાદની આગાહી

    2 days ago

    મહીસાગર જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા સહિત બાલાસિનોર, સંતરામપુર, કડાણા, વીરપુર, ખાનપુર, કોઠંબા તેમજ ગોધર સહિતના તાલુકાના વિસ્તારોમાં આકાશમાં ઘેરા વાદળો છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હાલમાં ખેડૂતોના ખેતરોમાં ઘઉં, ચણા, ઘાસચારો અને બાગાયતી પાકો તૈયાર થવાના તબક્કામાં છે. જો આ સમયમાં અચાનક વરસાદ પડે તો તૈયાર થયેલા પાકને ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. તે ઉપરાંત, સતત વાદળછાયા વાતાવરણના કારણે ખેતરમાં વાવેતર કરેલા પાકમાં જીવાત અને રોગચાળો ફેલાવાની શક્યતા પણ વધી જતી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. બદલાયેલ વાતાવરણના કારણે આંબા ઉપર તૈયાર થઈ રહેલ કેરીના પાકને પણ અસર થતી હોય છે. હાલ ખેડૂતો વાતાવરણ પર નજર રાખી રહ્યા છે અને વરસાદ ન પડે તેવી પ્રાર્થના કરી રહ્યા છે, જેથી તેમની મહેનતથી તૈયાર કરેલો પાક સુરક્ષિત રહી શકે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ ગતરોજ જણાવ્યું હતું કે, આગામી તારીખ 18 અને 19 માર્ચે રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. પશ્ચિમી વિક્ષેપોને લીધે કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. તારીખ 18 માર્ચે કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં વરસાદ થઈ શકે છે. જ્યારે 19 માર્ચે રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, ભરૂચ, વડોદરા, નર્મદા, સુરત, તાપીમાં વરસાદ પડી શકે છે. બીજી તરફ, રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળવાની છે તેમજ મહત્તમ તાપમાન 35 થી 37 ડિગ્રી રહેશે.
    Click here to Read More
    Previous Article
    કિંજલ રબારીનો યુ-ટર્ન: 'હું રાહ ભટકી ગઈ હતી':ઘરે પરત ફર્યા બાદ ઈન્સ્ટા પર પોસ્ટ મુકી; 'મેં સ્વેચ્છાએ પરિવાર સાથે રહેવાનો નિર્ણય કર્યો છે, અફવાઓથી દૂર રહેવા અપીલ'
    Next Article
    વલસાડમાં મીરલ ગ્રુપ દ્વારા ઇફતારીનું આયોજન:ઇસ્ટ યાર્ડમાં કોમી એકતાનો સંદેશ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment