Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપા એક્શન મોડમાં:નવસારીમાં ખાનગી પ્લોટમાં ગંદકી થવા મુદ્દે 18 મિલકતધારકોને નોટિસ

    1 day ago

    નવસારીમાં ખાનગી જગ્યામાં ગંદકી મુદ્દે 18 મિલકતધારકોને નોટિસ અપાઇ છે. જો ગંદકી દૂર નહી કરાય તો કડક પગલા લેવાની ચીમકી પણ અપાઈ છે. નવસારી મનપા શહેર વધુ સ્વચ્છ રહે તે માટે પગલા લઈ રહી છે. જાહેર સ્થળે ગંદકી દૂર કરવા સાથે હવે ખાનગી જગ્યાએ પણ ગંદકી નહીં રહે અને રોગચાળો નહીં ફેલાય તે માટે કડક પગલા લેવાની શરૂઆત કરી છે. પ્રથમ તબક્કે 18 મિલકતધારકોને મનપાએ નોટિસ આપી પણ દીધી છે. આ મિલકતધારકોમાં વોર્ડ-11માં 3, વોર્ડ-10માં 7, વોર્ડ-9માં 5, વોર્ડ-6માં એક મિલકતધારક અને અન્ય બે છે. મનપા સૂત્રોના જણાવ્યા મુજબ હાલ નોટિસ આપી છે, જેમાં સમયમર્યાદામાં ગંદકી દૂર કરવાની રહેશે, જો નહીં કરે તો ભારે દંડ પણ કરાશે. કેટલાક ખાનગી પ્લોટોમાં કચરાના ઢગલા થઇ ગયા છે. તો કેટલાક પ્લોટોમાં જંગલી ઘાસ ઉગી નીકળ્યું અને ગંદા પાણી જોવા મળી રહ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કે હાલ આ 18 મિલકતધારકોની જગ્યામાં ગંદકી નજરે પડી છે, મનપા અગામી દિવસો દરમિયાન જ્યાં પણ ખાનગી જગ્યાના ગંદકી નજરે પડશે ત્યાં પગલા લેશે એમ જાણવા મળે છે.
    Click here to Read More
    Previous Article
    નવસારી કૃષિ યુનિ.નો 21મો વાર્ષિક પદવીદાન સમારોહ:નવસારી કૃષિ યુનિ.માં આજે રાજ્યપાલના હસ્તે 693‎ વિદ્યાર્થીને પદવી અને 57 ગોલ્ડ મેડલ એનાયત થશે‎
    Next Article
    ક્રિકેટ ટુર્નામેન્ટનું પરિણામ:ચીખલી કોલેજ સતત બીજા વર્ષે વીર દ.ગુ. યુનિ. ડી ઝોન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment