Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાયદા વિભાગમાં પ્રમોશનનો ધમધમાટ:18 સેક્શન અધિકારીઓ બન્યા ઉપ સચિવ, બઢતી સાથે બદલીના આદેશ

    9 hours ago

    રાજ્ય સરકારના કાયદા વિભાગમાં મોટા પાયે વહીવટી ફેરફારો અને બઢતીનો ગરમાવો જોવા મળ્યો છે. કાયદા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા એક સત્તાવાર આદેશ અનુસાર, વિભાગમાં ફરજ બજાવતા વર્ગ-2ના 18 જેટલા સેક્શન અધિકારીઓને વર્ગ-૧ ના ઉપ સચિવ (કાયદાકીય બાબતો) તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. સરકારે આ તમામ અધિકારીઓને બઢતી આપવાની સાથે જ સચિવાલયના અલગ-અલગ મહત્વના વિભાગોમાં બદલી સાથે નવી નિમણૂક મેળવતા આદેશો પણ જારી કર્યા છે. 18 સેક્શન અધિકારીઓની ઉપ સચિવ તરીકે બઢતી મળતી વહીવટી વિગતો મુજબ સચિવાલયના કાયદા વિભાગ હેઠળ અત્યાર સુધી પે-મેટ્રિક્સ લેવલ-8 હેઠળ સેવા બજાવતા 18 સેક્શન અધિકારીઓની કામગીરીને ધ્યાને રાખીને સરકારે તેમને પે-મેટ્રિક્સ લેવલ-10માં ઉપ સચિવ તરીકે બઢતી આપી છે. આ પ્રમોશનની સાથે જ સચિવાલયના વહીવટી માળખાને વધુ ગતિશીલ અને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું રાજકીય અને વહીવટી વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે. મહત્વના વિભાગોમાં સોંપાઈ નવી જવાબદારીઓ બઢતી પામેલા આ તમામ 18 કાયદાકીય અધિકારીઓને રાજ્ય સરકારના અતિ મહત્વના ગણાતા વિવિધ વિભાગોમાં કાયદાકીય બાબતોના ઉપ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે: આ સિવાય અન્ય ટેકનિકલ અને વહીવટી ગણના પાત્ર વિભાગોમાં પણ આ અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જવાબદારીઓ સંભાળી લેવા સૂચના આપવામાં આવી છે ખાલી પડનારી જગ્યાઓ પર ટૂંક સમયમાં નવી નિયુક્તિઓ કાયદા વિભાગ દ્વારા આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ 18 અધિકારીઓની ઉપ સચિવ તરીકે બઢતી થવાના પરિણામે સેક્શન અધિકારીઓની જે જગ્યાઓ ખાલી પડશે અથવા સચિવાલયમાં અન્ય જે વહીવટી જગ્યાઓ પ્રભાવિત થશે, તેના પર નિયમોનુસાર અલગથી નવી નિમણૂક અને આગળની જરૂરી વહીવટી કાર્યવાહી ખૂબ જ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વલસાડના જુજવામાં ટ્રકના વ્હીલ 2 મિત્રો પર ફરી વળ્યાં:વેગનઆર કાર સાથે અથડાતા બાદ રોડ પર પડતાં અકસ્માત નડ્યો, 2ના મોત અને એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત
    Next Article
    સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના અધિકારીઓએ વ્યસનમુક્તિના શપથ લીધા:વિશ્વ તમાકુ નિષેધ દિવસ પૂર્વે વ્યસનમુક્ત સમાજ નિર્માણનો સંકલ્પ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment