Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરના ગાંભોઈમાં ફરિયાદીના ઘર પર પથ્થરમારો:સગીરાની છેડતી થતાં પરિવાર પોલીસસ્ટેશન પહોંચ્યો: ટોળાએ ઘર પર હુમલો કર્યો; 6 લોકો સામે ફરિયાદ

    13 hours ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈમાં એક સગીરાની છેડતીના મામલે ઘર પર પથ્થરમારાની ઘટના બની છે. આ ઘટનામાં હંસાબેન થોરીની ફરિયાદના આધારે છ લોકોના ટોળા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગાંભોઈ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ, ગાંભોઈના થોરીવાસમાં રહેતા હંસાબેન ઈશ્વરભાઈ થોરીના દીકરા અને દીકરી બજારમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. સુરેશભાઈ મનહરભાઈ પરમારની દુકાન પાસેથી પસાર થતી વખતે સુરેશે હંસાબેનના દીકરાને કહ્યું કે, 'તું મારો સાળો છે, તારે મને જીજાજી કહેવાનું.' આ સાંભળીને હંસાબેનની દીકરીએ સુરેશભાઈને કહ્યું કે, 'હું થોરી છું અને તમે દરબાર છો, તમે મારા ભાઈને આવું કેમ કહો છો?' આનાથી ઉશ્કેરાઈને સુરેશે દીકરીને અપશબ્દો કહી ડાબા ગાલ પર થપ્પડ મારી. આ ઘટના બાદ દીકરો અને દીકરી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે સુરેશભાઈ હાઈસ્કૂલ સામે રોડ પર બાઈક લઈને આવ્યા અને ફરીથી દીકરી સાથે ઝઘડો કર્યો. ત્યારબાદ તેઓ હંસાબેનના ઘરે પહોંચ્યા અને હંસાબેન સાથે બોલાચાલી કરી મારામારી કરી. આ મામલે હંસાબેન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા હતા. તે જ સમયે, સુરેશભાઈ મનહરભાઈ પરમાર અને અન્ય છ લોકોનું ટોળું હંસાબેનના ઘરે પહોંચ્યું અને પથ્થરમારો કર્યો. ગાંભોઈ પોલીસે સુરેશભાઈ મનહરભાઈ પરમાર સહિત છ લોકોના ટોળા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી કલેક્ટરની અદેપર ગામની મુલાકાત:સરકારી રેકર્ડ, જમીનો, શાળા-આંગણવાડી અને વિકાસકાર્યોની સમીક્ષા કરી
    Next Article
    રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમ:ગઢડામાં કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પ અર્પણ અને વૃક્ષારોપણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment