Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ન્યાયતંત્રમાં મોટાપાયે બદલી-બઢતી:મોટા પાયે જજોની આંતરિક જિલ્લા બદલી, 17 ઓગસ્ટ સુધીમાં ચાર્જ સંભાળવાનો રહેશે, જુઓ લિસ્ટ

    1 day ago

    ગુજરાત હાઇકોર્ટ દ્વારા તાબાની અદાલતોમાં મોટા પાયે જજીસથી બદલીઓ અને બઢતીઓ કરવામાં આવી છે. આ બદલી અને ભરતીની જગ્યાએ વર્તમાન જગ્યાએથી 17 ઓગસ્ટ સુધીમાં તેઓએ ચાર્જ સંભાળવાનો રહેશે. સિવિલ જજ ની વાત કરીએ તો રાજ્યની તાબાની અદાલતોમાં 63 જજીસની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે અને એક જ કોર્ટમાં આંતરિક બદલીની વાત કરીએ તો અમદાવાદમાં 02, ભરૂચમાં 02, ભાવનગરમાં 01, દાહોદમાં 01, ગાંધીનગરમાં 01, કચ્છમાં 03, મહેસાણામાં 03, મોરબીમાં 01, રાજકોટમાં 06, સાબરકાંઠામાં 01, સુરતમાં 06 અને વડોદરામાં 02 સિવિલ જજની આંતરકોર્ટ બદલી કરવામાં આવી છે. સિનિયર સિવિલ જજ ની વાત કરીએ તો 26 જજીસની આંતરિક જિલ્લા બદલી કરવામાં આવી છે. જ્યારે 79 જજને પ્રમોશન આપવામાં આવ્યું છે. એક જ કોર્ટમાં આંતરિક બદલીની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 37, અરવલ્લીમાં 01, બનાસકાંઠામાં 05, ભાવનગરમાં 02, દાહોદમાં 02, દ્વારકામાં 02, ગાંધીનગર 04, ગીર સોમનાથ 01, જામનગરમાં 08, જુનાગઢ 03, કચ્છમાં 01 l, ખેડા 07, મહેસાણા 06, મોરબી 03, નર્મદા 02, પાટણ 01 અને પોરબંદરમાં 02, રાજકોટ 21 સાબરકાંઠા 05, સુરત 19, સુરેન્દ્રનગર 2, વડોદરા 21 અને વલસાડમાં 02 નો સમાવેશ થાય છે. ડિસ્ટ્રિક્ટ જજમાં 67 ડિસ્ટ્રિક્ટ જજની આંતરિક જિલ્લા બદલી કરવામાં આવી છે. ઉપરાંત પ્રમોશન સાથે ટ્રાન્સફર કરાયું હોય તેવા 57 જજીસનો સમાવેશ થાય છે. જ્યારે 86 જજીસને એડિશનલ સેશન્સ અથવા સેશન્સથી સેશન્સ ડિવિઝન ખાતે મુકવામાં આવ્યા છે. જેમાં અમદાવાદમાં 09, અમરેલીમાં 02, આણંદમાં 04, અરવલ્લીમાં 01, બનાસકાંઠામાં 06, ભરૂચમાં 05, ભાવનગરમાં 03, બોટાદમાં 01, છોટા ઉદેપુરમાં 01, ગાંધીનગરમાં 04, જામનગરમાં 02, કચ્છમાં 08, ખેડામાં 01, મહેસાણામાં 05, મોરબીમાં 01, નવસારીમાં 01, પાટણમાં 02, રાજકોટમાં 08, સુરતમાં 17, સુરેન્દ્રનગરમાં 04, વડોદરામાં 11નો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    ધ્રોલના શંકાસ્પદ ચાંદીપુરા કેસમાં બાળકનું મૃત્યુ:રાજકોટમાં સારવાર દરમિયાન મોત, રિપોર્ટ હજુ બાકી
    Next Article
    હળવદના જૂના દેવળીયા ગામે ભાજપની પ્રવેશબંધી:ખેડૂતોએ ઢોલ-નગારા સાથે ગામના પ્રવેશદ્વાર પર બેનર લગાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment