Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપના સાંસદે ખરીદેલી જમીનનો વિવાદ:હિરાસર પાસે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહને મળેલી 17 વીઘા જમીનના વેંચાણ સામેનો વાંધો કલેકટરે ફગાવ્યો

    1 day ago

    રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહ ઝાલા દ્વારા રાજકોટના હિરાસર એરપોર્ટ પાસે ખરીદવામાં આવેલી 17 વીઘા જમીન અંગે ઊભો થયેલો કાનૂની વિવાદ કલેક્ટર કોર્ટમાં પહોંચ્યો હતો. જમીનના સીધી લીટીના વારસદારે મામાઓ સામે નામ છુપાવીને જમીન વેચી નાખ્યાનો આરોપ લગાવી અપીલ દાખલ કરી હતી. જોકે, રાજકોટ કલેક્ટરે આ મામલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે વેચાણ દસ્તાવેજ રદ કરવા કે વારસાઈ હક્ક નક્કી કરવાની સત્તા સિવિલ કોર્ટની છે, મહેસૂલી કોર્ટની નહીં. કલેક્ટરે મદદનીશ કલેક્ટરના હુકમને કાયમ રાખી રિવિઝન અરજી ફગાવી દીધી છે. 2023માં રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજથી ખરીદવામાં આવી હતી જમીન કેસની વિગતો અનુસાર, હિરાસર ગામના જૂની શરતના રેવન્યુ સર્વે નંબર 34ની 2.25 હેક્ટર (આશરે 17 વીઘા) જમીન મામદભાઈ સલેમાનભાઈ ચલાંગા સહિતના સંયુક્ત ખાતેદારોના નામે ચાલતી હતી. ફેબ્રુઆરી 2023માં આ જમીન રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજથી રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ દિગ્વિજયસિંહ ઝાલા, યોગેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા અને દશરથસિંહ સજનસિંહ જાડેજા સહિતના ત્રણ ખરીદદારોએ ખરીદી હતી, જેની વેચાણ નોંધ નંબર 373 પણ મંજૂર થઈ ગઈ હતી. મામાઓએ ભાણીનું નામ છુપાવી જમીન વેચી નાખ્યાનો આક્ષેપ સ્વ. સલમાબેન હારૂનભાઈના વારસદાર રેશ્માબેન હનીફ વરોધ દ્વારા મદદનીશ કલેક્ટર અને ત્યારબાદ કલેક્ટરમાં રિવિઝન અરજી દાખલ કરીને આક્ષેપ કરાયો હતો કે, વર્ષ 2021માં તેમના મામાઓએ વારસાઈ નોંધ નંબર 356 ચડાવતી વખતે તેમની માતા સલમાબેનનું નામ જાણીજોઈને છુપાવી દીધું હતું. તેમની કોઈ સંમતિ કે નોટિસ આપ્યા વગર જ જમીનનો વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હતો. આ સામે સાંસદના વકીલે દલીલ કરી હતી કે, અપીલ દાખલ કરવામાં આશરે 4 વર્ષનો વિલંબ થયો છે, જેનો કોઈ યોગ્ય ખુલાસો આપવામાં આવ્યો નથી. સિવિલ કોર્ટના દ્વાર ખટખટાવવા પડશે રાજકોટ કલેક્ટરે રેવન્યુ રેકોર્ડ ચકાસીને તારણ આપ્યું હતું કે વારસાઈ નોંધમાં નામ છુપાવવાની તકરાર જમીનનું વેચાણ થયાના બે વર્ષ બાદ કરવામાં આવી છે. હાલમાં રજિસ્ટર્ડ દસ્તાવેજથી ત્રાહિત પક્ષકારોના હિતો ઊભા થઈ ચૂક્યા છે. તેથી વેચાણ દસ્તાવેજ રદ કરવો કે અરજદાર કાયદેસરના વારસદાર છે કે કેમ તે નક્કી કરવાનો અધિકાર માત્ર સિવિલ કોર્ટ ધરાવે છે. મહેસૂલી કોર્ટ તેમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. સાંસદના વકીલોએ રજૂઆત કરી હતી કે, અરજદાર દ્વારા ખોટો વિવાદ ઊભો કરીને ભાગીદારો પાસેથી આર્થિક વળતર મેળવવાના ઈરાદે જ આ અરજી કરવામાં આવી હોય તેમ સ્પષ્ટ જણાય છે.
    Click here to Read More
    Previous Article
    વડતાલ ગાદી દ્વારા સત્સંગ જ્ઞાન પરીક્ષા ભાગ-2 યોજાઈ:વડોદરા શહેર અને જિલ્લાના 1300થી વધુ હરિભક્તોએ ઉત્સાહપૂર્વક પરીક્ષા આપી
    Next Article
    ગિરનારમાં કાશ્મીર-આબુ જેવો માહોલ, VIDEO:ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, પ્રવાસી બોલ્યા-જૂનાગઢ તો સ્વર્ગ છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment