Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગિરનારમાં કાશ્મીર-આબુ જેવો માહોલ, VIDEO:ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, પ્રવાસી બોલ્યા-જૂનાગઢ તો સ્વર્ગ છે

    1 day ago

    ​હાલમાં ચોમાસાની ઋતુમાં ગિરનાર સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. જાણે ગિરનારમાં કાશ્મીર-આબુ જેવો માહોલ હોય તેવું લાગે. ચારેય બાજુ પથરાયેલી અદભુત હરિયાળીને કારણે એવું પ્રતીત થાય છે કે જાણે આખા પર્વતે લીલી ચાદર ઓઢી લીધી હોય! વાદળોની વચ્ચેથી પસાર થતી શીતળ હવાનો સ્પર્શ અને ચારેય તરફનો નયનરમ્ય નજારો લોકોના મન મોહી રહ્યો છે. સીડીઓ મારફતે ઉપર તરફ જતા શ્રદ્ધાળુઓ અને સૈલાણીઓ આહલાદક પવન વચ્ચે ગિરનારની મોજ માણી રહ્યા છે. જેમ જેમ પર્વત પર ઉપર ચઢતા જઈએ, તેમ તેમ વરસાદના તોફાની ઝાપટાં અને ગાઢ ધુમ્મસ પ્રવાસીઓનો ઉત્સાહ બેવડો કરી રહ્યા છે. 'જૂનાગઢ સ્વર્ગ છે, પ્રકૃતિનો અલગ જ આનંદ' પ્રવાસી કૃતિ તલસાણિયા(ભાવનગર)એ જણાવ્યું હતું કે, અમે આ વાતાવરણ જોઈને ખુબ જ ખુશ છીએ અને એક નવો જ એક્સપિરિયન્સ લઈ રહ્યા છીએ. મિત્રો સાથે અહીં આવવું એ સાચે જ સ્વર્ગનો અહેસાસ કરાવે છે. જૂનાગઢ આપણા ઘર આંગણે આવેલું સ્વર્ગ છે, જ્યાં વાંદરા, વાઘ અને સિંહ જેવા વન્યજીવો સાથે પ્રકૃતિનો અલગ જ આનંદ માણી શકાય છે. 'વરસાદ વધતો ગયો અને ગિરનાર ચડવાની મજા બમણી થઈ' આજે 9 ઓગસ્ટે રવિવારની રજા અને ચોમાસાના આગમન સાથે જ ગિરનાર પર્વત પર પ્રકૃતિનો એક અદ્ભુત અને આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. ગિરનાર પર્વત પર હાલમાં અત્યંત ભેજવાળું, ઠંડકથી ભરેલું અને સુંદર વાતાવરણ સર્જાયું છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓએ મોજ માણી છે. પ્રવાસી પાયલ સોલંકીએ જણાવ્યું હતું કે, અમે ઇન્સ્ટાગ્રામ પર ગિરનારની ઘણી બધી રીલ્સ જોઈ હતી ત્યારબાદ અમે અહીં આવવાનો પ્લાન કર્યો હતો. અન્ય રાજ્યોમાં ફરવા જતા લોકોને સલાહ આપતા ઉમેર્યું હતું કે, બહાર જઈને પૈસા ખર્ચવા કરતા પહેલા આપણે આપણા ગુજરાતની અદભુત કુદરતી સંપત્તિ અને આવા મનોહર સ્થળોની મુલાકાત લેવી જોઈએ. નયનરમ્ય, આહલાદક અને મનને સુકૂન આપે તેવું વાતાવરણ પ્રવાસી અભિષેક ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, અમે જે ધાર્યું નહોતું તેના કરતા પણ વધુ સુંદર વાતાવરણ અહીં મળ્યું છે. જૂનાગઢ ખરેખર સોરઠનું સ્વર્ગ છે. વાતાવરણ એકદમ નયનરમ્ય, આહલાદક અને મનને સુકૂન આપે તેવું છે. જૂનાગઢમાં પ્રવેશતા જ અમને સિંહ દર્શનનો પણ લાભ મળ્યો હતો, જેથી અમારી આ ટ્રીપ યાદગાર બની ગઈ છે. પ્રાકૃતિક સૌંદર્યની પ્રવાસીઓએ મોજ માણી ​ગિરનારના આ ઘેરાયેલા વાદળો, ભેજવાળા હવામાન અને નયનરમ્ય લીલોતરી વચ્ચે પ્રવાસીઓ માટે આ યાત્રા એક સ્વર્ગીય અનુભવ સાબિત થઈ રહી છે. અન્ય રાજ્યો અને દૂર-દૂરથી આવતા લોકો પણ ગુજરાતના આ કુદરતી વૈભવને જોઈને મંત્રમુગ્ધ થઈ રહ્યા છે. પ્રકૃતિના સાનિધ્યમાં વીતાવેલી આ ક્ષણો દરેક પ્રવાસીના મનમાં કાયમ માટે યાદગાર બની ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપના સાંસદે ખરીદેલી જમીનનો વિવાદ:હિરાસર પાસે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહને મળેલી 17 વીઘા જમીનના વેંચાણ સામેનો વાંધો કલેકટરે ફગાવ્યો
    Next Article
    યુવા ભીમસેના પ્રમુખે ધારાસભ્ય ઉમેશ મકવાણાની મુલાકાત લીધી:બોટાદમાં રિક્ષા એસોસિએશનના પ્રમુખ પણ સાથે રહ્યા, વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment