Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂન-જુલાઈમાં 1.69 લાખ ઘરોમાં તપાસ:મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં અડધાથી વધુ ઘટાડો, ચિકનગુનિયાનો એક પણ કેસ નહીં

    18 hours ago

    રાજ્ય સરકારના ‘મેલેરિયા મુક્ત ગુજરાત-2030’ના સંકલ્પને સાકાર કરવા મહેસાણા જિલ્લા અને કોર્પોરેશન વિસ્તારના આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન ઝુંબેશના સફળ પરિણામો સામે આવ્યા છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રવીણભાઈ પટેલ અને મેલેરિયા અધિકારી ડો. વિજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી કામગીરીથી રોગચાળાના આંકડામાં નોંધપાત્ર રાહત મળી છે. મેલેરિયાના જુલાઈ 2025 સુધીમાં નોંધાયેલા 21 કેસની સરખામણીએ વર્ષ 2026માં ઘટીને માત્ર 7 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના ગત વર્ષના 51 કેસ સામે આ વર્ષે ઘટીને માત્ર 20 કેસ સામે આવ્યા છે. ચિકનગુનિયાના ગત વર્ષે નોંધાયેલા 5 કેસની સામે ચાલુ વર્ષે હજુ સુધી એક પણ કેસ નોંધાયો નથી. આરોગ્ય વિભાગના આયોજનબદ્ધ સર્વેલન્સ અને અટકાયતી પગલાંના કારણે જિલ્લામાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના કેસોમાં ચાલુ વર્ષે ભારે ઘટાડો નોંધાયો છે. તંત્ર દ્વારા વર્ષ 2027 સુધીમાં મેલેરિયાના કેસ શૂન્ય પર લાવવાનો મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા જૂનને ‘મેલેરિયા વિરોધી’ અને જુલાઈને ‘ડેન્ગ્યુ વિરોધી’ માસ તરીકે ઉજવી કન્સ્ટ્રક્શન સાઈટ્સ, ગેરેજ, ભંગારના વાડા અને શાળાઓમાં તપાસ હાથ ધરાઈ હતી. હાઈરિસ્ક વિસ્તારોમાં 18 વેક્ટર ટીમો દ્વારા છેલ્લા 20 દિવસમાં 1,69,૯94 ઘરો અને 3,70,603 પાણીના પાત્રો તપાસવામાં આવ્યા હતા. જે પૈકી પોરા મળેલા 654 ઘરો અને 671 પાત્રોમાં દવાઓનો છંટકાવ કરાયો હતો. આ ઉપરાંત 8,512 ઘરોમાં ફોગિંગ, 1,984 સ્થળોએ ઓઇલિંગ અને 10 ગામોમાં ફોકલ સ્પ્રે દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    બાળકોને ચક્કર-ઉલટી થતાં‎ વાલીઓએ શાળાએ ‎મોકલવાનું બંધ કર્યું‎:પેપર મિલની દુર્ગંધથી 4 ગામની 5 શાળાનું શિક્ષણ ઠપ
    Next Article
    લંડનના રીચમંડમાં કુમકુમ મંદિર દ્વારા વિશેષ સત્સંગ સભાનું આયોજન કરાયું‎:સંતો જે જળાશયમાં સ્નાન કરે કે જે ભૂમિ પર વિચરણ કરી સત્સંગ કરે છે તે સ્થાન તીર્થ સમાન પવિત્ર બની જાય છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment