Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંજાબના ખેડૂતોનું દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ:કલમ 163 લાગુ, અમેરિકા સાથે ટ્રેડ ડીલનો વિરોધ; હરિયાણા પોલીસે રૂટ ડાયવર્ટ કર્યો

    2 days ago

    અમેરિકા-ભારત ટ્રેડ ડીલના વિરોધમાં પંજાબના ખેડૂતોએ આજે દિલ્હી કૂચનું એલાન કર્યું છે. આ માટે શંભુ બોર્ડર પર મોટી સંખ્યામાં પંજાબના ખેડૂતો એકઠા થયા છે. આ જોતા હરિયાણા પોલીસે શંભુ બોર્ડર બંધ કરી દીધી છે. બોર્ડર પર ભારે પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે. બેરિકેડ્સ લગાવવાની સાથે જેસીબી મશીનો પણ તૈનાત કરવામાં આવી છે, જેથી ખેડૂતોને આગળ વધતા રોકી શકાય. ખેડૂત નેતા તેજબીર સિંહે જણાવ્યું કે શંભુ બોર્ડર પર બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે હરિયાણાના ખેડૂતો જેવા કે પિહોવા, અંબાલા, કુરુક્ષેત્રવાળા દિલ્હી તરફ કૂચ કરશે. પંજાબવાળા શંભુ બોર્ડર પર આવશે. તેમણે કહ્યું કે ખનૌરીવાળો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. આજે અમારો દિલ્હીમાં કાર્યક્રમ 12 થી ચાર વાગ્યા સુધીનો છે. આવી સ્થિતિમાં જે સ્ટેજ પરથી આદેશ આવે. તેનું પાલન કરવાનું છે. શંભુ બોર્ડર પર અંબાલા પોલીસે ખેડૂતોને ચેતવણી આપતા કહ્યું કે કલમ 163 લાગુ કરવામાં આવી છે. ખેડૂતો બેરિકેડથી 100 મીટર દૂર રહે. આ સાથે પોલીસે ટ્રાફિક એડવાઇઝરી જારી કરીને લોકોને વૈકલ્પિક માર્ગ અપનાવવા અપીલ કરી છે. પોલીસે કહ્યું કે કોઈપણ કટોકટીની સ્થિતિમાં 112 પર કોલ કરો. શંભુ બોર્ડર પર પહોંચેલા ખેડૂતો અને બેરિકેડિંગના PHOTOS… ખેડૂતોના દિલ્હી કૂચના પળેપળના અપડેટ્સ માટે બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    દેવશયની એકાદશી ક્યારે છે?:ભાગવત મહાપુરાણ પ્રમાણે 4 મહિના સુધી ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગ નિદ્રામાં સૂવે છે
    Next Article
    આણંદ એન્કાઉન્ટર,'નરાધમોને કંટ્રોલમાં રાખવા, એ જ પોલીસનું કામ':ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને હર્ષ સંઘવી મળ્યા, ખબર-અંતર પૂછી બહાદુરીને બિરદાવી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment