Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    16 વર્ષના સગીરે કાર હંકારી બે બાળકીને કચડી એકનું મોત:મેદાનમાં પાર્ક કરેલ કાર ચાલુ કરી પછી કંટ્રોલ ન થતા સાથે રમતી બંને બહેનપણીને હડફેટે લીધી

    2 days ago

    સગીરે વાહન ચલાવી નિર્દોષ બાળકીનો ભોગ લીધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના કુવાડવા રોડ પર રોહિદાસપરામાં 16 વર્ષના સગીરે કાર હંકારી બે બાળકીને કચડી હોવાની ઘટના સામે આવી છે જેમાં એકનો ચમત્કારીક બચાવ થયો છે જયારે બીજી એક બાળકીનું મોત નીપજ્યું છે. સમગ્ર મામલે કુવાડવા પોલીસે ગુનો નોંધી ચાલક સગીર અને કાર માલિકની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે. મહેશભાઈ મનસુખભાઈ ચુડાસમા (ઉં.વ.30)એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું છુટક મજુરી કામ કરી મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. મારે સંતાનમાં બે બાળકો છે. જેમાં મોટી દીકરી જિયાંશી (ઉં.વ.4) તથા તેનાથી નાનો દિકરો હેત (ઉં.વ.2.5) છે. ગઈકાલ તારીખ 25.06.2026 ના રોજ સાંજના આશરે 4 વાગ્યે હું તથા મારી પત્ની તેમજ મારો ભાઈ ઘરે હતા અને મારી દીકરી જિયાંશી અમારા ઘરની સામે રહેતી વૈશાલી સાથે અમારા ઘરથી થોડે દૂર ચામુંડા સોસાયટી પાસેના મેદાનમાં રમવા ગયા હતા. દરમિયાન આશરે 4.30 વાગ્યે શેરી નંબર 7 મેઈન રોડ ખાતે રહેતા દર્શનભાઈ સુરેશભાઈ સોલંકી અમારા ઘરે આવ્યા અને મને જણાવ્યું કે તમારી દીકરી જિયાંશી તથા વૈશાલી બંને મેદાનમાં રમતા હતા તે વખતે ગાંધી વસાહતમાં રહેતો 16 વર્ષીય સગીર મેદાનમાં પાર્ક કરેલ જીજે.03.એચ.કે.1113 નંબરની આર્ટિકા કાર ચાલુ કરી ચલાવતા કાર તેનાથી કંટ્રોલ નહીં થતા તમારી દીકરી તથા વૈશાલીને ટક્કર વાગતા તમારી દીકરીને માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ થવાથી માથાના ભાગેથી લોહી નીકળવા લાગ્યું છે જેથી વાડીવાળા અજય ભાઈ તમારી દીકરી તથા વૈશાલીને સારવાર માટે લઈ ગયા છે. આ પછી હું તથા મારી પત્ની બંને એક્ટિવા ઉપર જે જગ્યાએ બનાવ બન્યો ત્યાં જતા અજયભાઈના પિતા સુરેશભાઈએ જણાવ્યું કે, બંને દીકરીઓને ગોકુલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયેલ છે. જેથી હું તથા મારી પત્ની બંને ગોકુલ હોસ્પિટલ ઇમરજન્સી વોર્ડમાં ગયા અને જોયું તો મારી દીકરીની સારવાર ચાલુ હતી અને તેને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થઇ હોવાથી લોહી નીકળતું હતું. ચાલુ સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે જિયાંશીને મૃત જાહેર કરતા પરિવારમાં આક્રંદ છવાયો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરત રેલવે સ્ટેશન પર DRIના દરોડા:20 કરોડના 2 કિલો શુદ્ધ કોકેઇન સાથે પેસેન્જરની ધરપકડ, દિલ્હીથી મુંબઈ ડ્રગ્સ સપ્લાયનો હતો પ્લાન
    Next Article
    વેરાવળમાં 27 જૂને વીજ પુરવઠો બંધ રહેશે:પ્રી-મોન્સૂન મેન્ટેનન્સ કામગીરી; પૂર્વ સૂચના વિના વીજ પુરવઠો ફરીથી ચાલુ કરી દેવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment