Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેઠક:દામનગરમાં 27 માર્ચે રામનવમી નિમિત્તે રથયાત્રાને લઇ રામજી મંદિરે બેઠક મળી

    3 days ago

    દામનગરમાં રામજી મંદિર ખાતે રામનવમી ઉત્સવ સમિતિની બેઠક મળી હતી. જેમાં 27 માર્ચના રોજ રામ જન્મોત્સવ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે રામનવમી ઉત્સવ સમિતિએ આયોજન અંગે ચર્ચાઓ કરી હતી. રથયાત્રાના રૂટ, માર્ગો પર સુશોભન, ધજા-પતાકા, પ્રસાદ વિતરણ કરાશે. દામનગરમાં રામ જન્મોત્સવને ભવ્ય બનાવવા માટે શહેરના યુવાનો દ્વારા અલગ-અલગ જવાબદારીઓ સ્વીકારી સેવાકાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વિવિધ સમિતિઓ બનાવવામાં આવી હતી. શહેરના રામજી મંદિર પરિસરમાં બેઠકમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ઉત્સવની તૈયારીઓ, વ્યવસ્થા અંગે સૂચનો આપવામાં આવ્યા હતા. રામનવમીના દિવસે બપોરે 2:30 કલાકે રામજી મંદિરથી રથયાત્રા પ્રસ્થાન થશે. જે શહેરના મુખ્ય માર્ગો પર ફરીને ફરી મંદિર ખાતે પહોંચશે. તેમજ બપોર પછી શહેરના મોટાભાગના વેપાર-ધંધા સ્વૈચ્છિક રીતે બંધ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    બેઠક:આંતરિક સંકલનના પ્રશ્નો તથા એ.જી. ઓડિટના વાંધાઓનો નિકાલ સહિતના મુદ્દાઓની સમીક્ષા કરાઈ
    Next Article
    આત્મહત્યા:ખાંભા તાલુકાના ધુંધવાણાના આધેડે ખેતરે ઘાસમાં છાંટવાની દવા પીતા મોત નિપજ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment