Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચારુસેટમાં કારગિલ વિજય દિવસની 27મી વર્ષગાંઠ ઉજવાઈ:કર્નલ સુધીર પરાશરે 'કારગિલ યુદ્ધ' પર પ્રેરણાત્મક વ્યાખ્યાન આપ્યું

    1 day ago

    ચારુસેટ યુનિવર્સિટીના એનસીસી યુનિટ દ્વારા કારગિલ વિજય દિવસની 27મી વર્ષગાંઠ નિમિત્તે એક પ્રેરણાત્મક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. 'Kargil War – Their Sacrifice, Our Inspiration' શીર્ષક હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ભારતીય સેનાના નિવૃત્ત અધિકારી કર્નલ સુધીર પરાશર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કર્નલ પરાશરે કારગિલ યુદ્ધ દરમિયાનના પોતાના અનુભવો, ભારતીય સૈનિકોની અદમ્ય શૌર્યગાથા અને દેશપ્રેમ વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે શિસ્ત, નેતૃત્વ અને રાષ્ટ્રસેવાના મૂલ્યો પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે કારગિલ યુદ્ધ માત્ર સૈન્ય વિજય નહોતો, પરંતુ દેશ માટે સર્વસ્વ અર્પણ કરનાર વીર જવાનોના અદમ્ય સાહસ અને બલિદાનનું પ્રતિક છે. આ કાર્યક્રમમાં 220થી વધુ વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટ્સ અને ફેકલ્ટી સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ કર્નલ પરાશર સાથે સંવાદ કરી સૈન્ય જીવન, નેતૃત્વ અને દેશસેવા અંગેના પોતાના પ્રશ્નોના જવાબો મેળવ્યા હતા. યુનિવર્સિટીના વરિષ્ઠ અધિકારીઓ, ડીન, ફેકલ્ટી સભ્યો અને એનસીસી સ્ટાફ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન ચારુસેટ એનસીસી યુનિટ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગાન સાથે થયું હતું અને ઉપસ્થિત સૌએ કારગિલના શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    લોકસભામાં હોબાળો, સ્પીકરે કહ્યું- વિપક્ષનું વર્તન યોગ્ય નહીં:કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત; શાહ વિદેશી ફંડ સંબંધિત બિલ પર બોલી શકે છે
    Next Article
    બાકરોલમાં મલેરિયા-ડેન્ગ્યુના કેસ નોંધાયા:અમદાવાદ-સુરતથી આવેલા દર્દીઓ મળતા આરોગ્ય વિભાગ હરકતમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment