Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લસકાણામાં 'પિતૃદોષ' મટાડવાના બહાને ઠગાઈ:કેન્સર પીડિતના ઘરે તાંત્રિક વિધિના નામે બે ગઠિયાઓએ 1.55 લાખના દાગીના-રોકડા પોટલામાં લઈ રફુચક્કર

    10 hours ago

    સુરત શહેરના લસકાણા વિસ્તારમાં અંધશ્રદ્ધાનો ફાયદો ઉઠાવી છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘરના સભ્યની કેન્સરની બીમારી અને પિતૃદોષ હોવાનો ડર બતાવી રામાપીરના મોટા ભક્ત હોવાની ઓળખ આપી બે અજાણ્યા ગઠિયાઓ સોનાના દાગીના અને રોકડ રકમ મળી કુલ ₹1,55,100ની મત્તા ઠગીને ફરાર થઈ ગયા છે. આ સમગ્ર મામલે ભોગ બનનાર મહિલાએ લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રામાપીરના ભક્ત હોવાની ઓળખ આપી ઘરમાં પ્રવેશ્યા પોલીસ ફરિયાદ અનુસાર, લસકાણા સ્થિત બજરંગ રો હાઉસ વિભાગ-1માં રહેતા હેતલબેન ડોંડાના પતિ વિજયભાઈ છેલ્લા બે મહિનાથી કેન્સરની ગંભીર બીમારીથી પીડિત છે. ગત તા. 15/05/2026ના રોજ સવારે હેતલબેનના સસરા બટુકભાઈની પાન-મસાલાની દુકાને બે અજાણ્યા ઈસમો મોટરસાયકલ પર આવ્યા હતા. તેઓએ વાતો-વાતોમાં "તમારા ઘરે મોટું દવાખાનું આવેલું છે" તેમ કહી ડર પેદા કર્યો હતો. ત્યારબાદ તેઓ ઘરમાં પ્રવેશ્યા હતા અને પોતાને રામાપીરના મોટા ભક્ત ગણાવ્યા હતા. ‘ઘરમાં પિતૃદોષ છે, એટલે જ બીમારી રહે છે’ તેમ કહી વિધિ શરૂ કરી ઠગ ટોળકીએ પરિવારને વિશ્વાસમાં લઈ જણાવ્યું હતું કે, "તમારા ઘરમાં પિતૃદોષ છે અને કોઈની વિધિ નડતી હોવાથી ઘરમાં બીમારી રહે છે અને પૈસા ટકતા નથી." જો તમે કહો તો અમે વિધિ કરી આપીએ. પરિવારજનો બીમારીથી કંટાળેલા હોવાથી તેઓ વિધિ કરવા તૈયાર થઈ ગયા હતા. ગઠિયાઓએ વિધિના બહાને સ્ટીલનો ગ્લાસ, કંકુ, ચોખા, પાણી અને સોનાના દાગીના મંગાવ્યા હતા. જેમાં સાસુએ કાનની સોનાની બુટી અને હેતલબેને હાથની સોનાની વીંટી આપી હતી. દાગીના અને રોકડા શર્ટના પોટલામાં બંધાવી મંદિરમાં મુકાવ્યા બંને ઠગોએ પરિવારના સભ્યોના માથા પર સોનાના દાગીના ભરેલો ગ્લાસ ફેરવી તેને મંદિર પાસે મુકાવ્યો હતો. ત્યારબાદ ત્રણેય દીકરાઓ પર ઘાત હોવાનું કહી વિધિના નામે ₹5,100 રોકડા મંગાવ્યા હતા. આ પછી ગઠિયાઓએ એક જૂનો કાળો શર્ટ મંગાવી, તેમાં ₹1 લાખની કિંમતની 10 ગ્રામ સોનાની બુટી, ₹50 હજારની કિંમતની 5 ગ્રામની સોનાની વીંટી અને ₹5,100 રોકડા મૂકીને પોટલું બાંધી મંદિરની અંદર મૂકી રાખ્યું હતું. ભોગ બનનાર પરિવારને જાપ કરવા બેસાડી ગઠિયા રફુચક્કર થઈ ગયા વિધિના અંતે અજાણ્યા ઈસમોએ પરિવારના સભ્યોને મંદિરમાં માતાજીના જાપ કરવા બેસાડી દીધા હતા અને પોતે તક જોઈને ઘરમાંથી કાળા શર્ટનું પોટલું (જેમાં દાગીના અને રોકડા હતા) લઈને છૂમંતર થઈ ગયા હતા. થોડીવાર પછી પરિવારને છેતરાયા હોવાનો અહેસાસ થતાં તેઓએ સગા-સંબંધીઓને જાણ કરી હતી. પતિ કેન્સર પીડિત હોવાથી અને તેમની સારવાર ચાલતી હોવાથી ફરિયાદ કરવામાં વિલંબ થયો હતો. આખરે 28 જૂનના રોજ લસકાણા પોલીસ મથકમાં અજાણ્યા ઠગો વિરૂદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 318(4), 61(2) અને 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પીએસઆઈ નિહિલકુમાર રમેશભાઈ પટેલે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં 'નો ડ્રગ્સ' બાઈક રેલી યોજાઈ:યુવાધનને ડ્રગ્સના દૂષણથી બચાવવા વિશેષ અભિયાન
    Next Article
    ધો-9 અને 10માં હવે 10 નહીં, 8 ફરજિયાત વિષયો:NEP-2020 હેઠળ ગુજરાત બોર્ડનો નવો અભ્યાસક્રમ જાહેર, 2026-27થી ધો-10માં 'વ્યક્તિ અને સમાજજીવન' વિષયનો ઉમેરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment